શહાદતે હુસયન અ.સ.ની આગાહીઓ
હઝરત રસુલે ખુદા સ.અ.વ.ની રીસાલતના મોઅજીઝાઓ પૈકી એક મોઅજીઝો એ પણ છે કે આપના પવિત્ર મુખેથી પવિત્ર વહી દ્વારા કરવામાં આવે બધીજ આગાહીઓ સત્ય પુરવાર થઈ છે.
આં હઝરત સ.અ.વ. એ ભવિષ્યના બનાવો અને સમયકાળની આગાહી તેમના પવિત્ર જીવન દરમ્યાન કરી, તે પ્રસંગો બન્યા છે અને પ્રકાશમાં આવ્યા છે. આગાહીઓ અને પ્રસંગો બંનેને ઈતિહાસે તેના પાનાઓમાં સુરક્ષિત કરી લીધા છે, જેથી કરીને ઈસ્લામના ઈતિહાસની સાથે ન્યાય કરનારા બુદ્ઘિજીવીઓ કયારેય ન તો તેનો ઈન્કાર કરી શકે ન