અસ્રારે શહાદાત
આ લેખમાં એક કિતાબનો પરિચય રજુ કરવામાં આવ્યો છે. અલ મુન્તઝરના મોહર્રમના વિશેષ અંકોમાં જે લેખો લખવામાં આવે છે તે લેખોમાં મોટા ભાગના વાંચકોએ કિતાબ ‘અસ્રારે શહાદાત’નું નામ જરૂર વાંચ્યુ હશે.
એક ટુંકા લેખમાં એક દળદાર પુસ્તકનો પરિચય આપવો તે માત્ર મુશ્કેલજ નહિં બલ્કે અશક્ય છે. કદાચ તેનો પૂરેપૂરો હક્ક અદા ન થઇ શકે. પરંતુ ઇન્શાઅલ્લાહ અલ મુન્તઝરના વાંચકો અમૂક હદ સુધી જરૂર આ કિતાબના મહત્ત્વ, તેની ઉપયોગિતા અને તેના વસ્તુવિચારથી માહિતગાર થઇ શકશે. બસ, માત્ર આ આશા સાથે હઝરત અબા અબ્દીલ્લાહીલ હુસૈન (અ.સ.)ની બારગાહમાં તવસ્સુલની સાથે આ લેખની શરૂઆત કરીએ છીએ.