યઝીદના જમાનાની સામાજિક સ્થિતિ
ત્રીજા ખલીફાના ખીલાફતના કાળ દરમ્યાન જ્યારે ખિલાફતની ધૂરા બની ઉમય્યાએ સંભાળી અને તેઓના ખુનભર્યા હાથોએ ઈસ્લામી શહેર અને સુબાઓને પોતાની પકડમાં લઈ લીધા ત્યારે મુસલમાનોની સામાજીક પરિસ્થિતિઓમાં અજબ-ગજબ પ્રકારનું પરિવર્તન આવ્યું. જેના સાક્ષી ઈતિહાસકારોના વિધાનો છે. મોઆવીયાની હુકુમત દરમ્યાન અને ખાસ કરીને હઝરત ઈમામ હસને મુજતબા અ.સ. ની શહાદત પછી એટલી ઝડપથી અધર્મતા અને ચારિત્ર્યહીનતા પૈદા થઇ કે જો પયગમ્બરે ઈસ્લામ અને મવલાએ કાએનાતની ખિલાફતના સમયકાળથી તે સમયની સરખામણી કરવામાં આવે તો ઘણોજ સ્પષ્ટ તફાવત દેખાઈ આવશે.