ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૧

આ વર્ષે “અલ મુન્તઝર’ના મોહર્રમના વિશેષાંક માટે અમે ઝિયારતે નાહીયાની પસંદગી કરી છે. પ્રસ્તાવના : પવિત્ર ઝિયારતે નાહીયાના પરિચય માટે અમે એ ઓળખને પસંદ કરી છે જે શહીદે મેહરાબ મૌલાના સૈયદ મોહમ્મદ જઅફર સાહેબ ઝૈદી (રહ.) (જેમની શહાદત ૨૮ ઝીલ્હજ હિ.સ. ૧૪૦૦ મુજબ ૭ નવેમ્બર ૧૯૮૦માં લાહોરમાં થઇ હતી.) એ […]

કરબલાનો બનાવ હક્ક અને બાતિલનો અરીસો

અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે

“અમે તે (ઇન્સાન)ને સાચા માર્ગની દોરવણી આપી દીધી છે પછી (તેને અખત્યાર છે કે) શુક્ર ગુઝાર બને અથવા (તેને છોડીને) કુફ્ર અખત્યાર કરે.

અલ્લાહે દરેક ઇન્સાનને અક્કલ આપી છે. જેના આધારે તે હક્ક અને બાતિલ વચ્ચેનો તફાવત જાણે છે અને હક્કનો માર્ગ પસંદ કરીને તેવા ઉચ્ચ સ્થાને પહોંચી જાય છે કે તેના ચારિત્ર્ય અને કારકીર્દીમા મઅસુમ રહેબરોના ગુણો અને ખાસિયતોનું પ્રતિબિંબ ઝળહળે છે. તેનાથી વિરૂદ્ધ અગર ઇન્સાન બાતિલને અનુસરે તો અનહદ ઇલ્મ, ઉચ્ચ સ્થાન અને હોદ્દો ધરાવતો હોવા છતાં ઝિલ્લત અને રૂસવાઇની ખાઇમાં ગબડી પડે છે.

ઇમામ હુસૈન (અ.સ.)ની ક્રાંતિ અને તે જમાનાના યુવાનોની હાલત

કોઇપણ કૌમ અને કબીલામાં યુવાનોને કૌમના પ્રતિનિધિ ગણવામાં આવે છે. કૌમની આશાઓ પણ તેઓની સાથે બંધાએલી હોય છે તેઓ જ કૌમના ભાવિનું ઘડતર કરે છે, તેઓજ કૌમ અને મઝહબની આંખો, દીવા અને ભવિષ્ય હોય છે. તેની સૌથી ઉત્તમ દલીલ આજના નવયુવાનો છે. આજે સમગ્ર દુનિયામાં આપખુદીનો જમાનો છે. જે મનમાં આવે તે કરી નાખે છે એટલેકે પોતાની ઇચ્છાઓ ઉપર જ અમલ કરે છે. આજના યુવાનોનો શ્રેષ્ઠ ધંધો કિંમતી સમયને નકામી ચીઝોમાં વેડફી નાખવાનો છે. આજના યુગમાં દ્રષ્ટાંતરૂપ યુવાન તેને કહેવામાં આવે છે જે નાણાં કમાવાનું મશીન હોય અને આ તુચ્છ દુનિયા સંબંધિત પ્રાથમિક જાણકારી ધરાવતો હોય. આજે સમગ્ર દુનિયાના યુવાનોની પ્રાથમિકતા મોજશોખ અને એશોઆરામનું જીવન તથા વધુમા વધુ ખ્વાહીશો પૂરી કરવી છે. આજના યુવાનો માટે અખ્લાકી મુલ્યો, ઇન્સાનિય્યતની સીફાતો, રૂહાની શાંતિ, અલ્લાહની નજદિકી તથા તેની ઇતાઅત, ઇલાહી નિશાનીઓનું સન્માન જાળવવું, સગાઓ સાથે સારો વ્યવહાર કરવો, વડીલોનું સન્માન જાળવવું અને ર્માં-બાપની તાબેદારી કરવી વિગેરે બાબતોને જુનવાણી ગણવામાં આવે છે. ન્યાય સમજ અને જ્ઞાન ધરાવતા ઇન્સાનો આવા યુવાનો પાસેથી શું આશા રાખી શકે? શું તે કહી શકે છે કે ભવિષ્યમાં ઇન્સાનને સંપૂર્ણ ઇન્સાન બનાવવાની જવાબદારી આવા લોકો અદા કરી શકશે? અગર સમાજની પ્રગતિની જવાબદારી તેઓને સોંપવામાં આવે તો શું તેઓ એક ટકો પણ પોતાની જવાબદારી સંંભાળવાની લાયકાત ધરાવે છે? અગર એમ નથી તો આવા સંજોગોમાં દર્દમંદ દીલ ધરાવતા ઇન્સાનોએ તેઓને સુધારવા માટે એવો ક્યો રસ્તો અપનાવ્યો છે જેનું સો ટકા સાચું પરિણામ આવે શકે?

ઇમામ અને ઇમામત

હુસૈનિય્યત દિલના દર્દનો ઇલાજ છે. હુસૈનિય્યત એવા લોકો માટે હિમ્મત અને ધીરજ છે જેઓના હક્કોને છીનવી લેવામાં આવ્યા છે. હુસૈનિય્યત હિંમત અને બહાદુરી છે એવા લોકોનો સામનો કરવા માટે જે માલ, દૌલત, ઝુલ્મ અને અત્યાચાર થકી નબળા અને કમઝોરને પાછળ ધકેલી રહ્યા છે. હુસૈનિય્યત એક મીશન છે જે જગતમાં ફેલાએલી બેશુમાર માનસિક, બૌદ્ધિક, આર્થિક તથા સમાજીક ગુંચવણભરી બિમારીઓ માટે માટે સુરક્ષિતતાની દિવાલ છે, જેને કોઇ તોડી શકતું નથી. અર્થાંત ઇસ્લામની ૨૩ વર્ષની રિસાલતનો સારાંશ કરબલાનો બનાવ છે.

અઝાદારી….. જમીનના પટથી આકાશની પરિસીમાઓ સુધી સય્યદુશ્શોહદાની મુસીબતની અસરો

મઅસુમ ઇમામો (અ.સ.)થી જે રિવાયતોની નોંધ થઇ છે તેમાં એક મહત્ત્વનું પ્રકરણ ઝિયારતો છે. આ વિષય ઉપર આપણા ભરોસાપાત્ર અને સનદ મેળવેલા આલિમોએ સંપૂર્ણ કિતાબોનું સંપાદન કર્યું છે. તેમાં તેઓએ અત્યંત વિશ્ર્વસનીય અને સાચી સનદ ધરાવતી ઝિયારતો ટાંકી છે.

લોકો સામાન્ય રીતે ઝિયારતના સવાબ ઉપર ધ્યાન આપે છે. પરંતુ ઝિયારતોમાં જે બાબતો બયાન કરવામાં આવી છે અને ઝિયારતના સમયે ક્યા શબ્દો અને લકબોથી પોતાના ઇમામ (અ.સ.)ને સંબોધન કરી રહ્યા છે તે તરફ ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. અર્થાંત ઝિયારતમાં જે ભાવાર્થ સમાએલો છે તેની તરફ ક્યારેકજ ધ્યાન અપાય છે. આથી એ બાબતનો પણ ખ્યાલ નથી રહેતો કે આપણે આ ઝિયારતમાં આપણા ઇમામને શું વાયદો અને વચન આપી રહ્યા છીએ. અગર આપણને એ અનુભુતિ થઇ જાય કે આપણે શું વાયદો કર્યો છે તથા કોને કોને સાક્ષી રાખીને વાયદો કર્યો છે તો શક્ય છે કે આપણે તેની ઉપર અમલ પણ કરવા લાગીએ. કારણકે દરેક શરીફ ઇન્સાન તેના વાયદા અને વચનનો ખ્યાલ રાખે છે. ઇન્સાન જ્યારે તેની શરાફત તથા ખાનદાનીના કેન્દ્ર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેની નજર સામેથી રહસ્ય અને કરામતના પરદાઓ દૂર થવા લાગે છે.

અઝાદારી અને કુરઆન

આધુનિક શિક્ષણો અને વર્તમાન યુગની વિચારધારાએ જ્યાં વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે અને માનવીને નવા વાતાવરણોની જાણકારી આપી છે ત્યાં ભૌતિકતામાં સપડાવવાના એવા સાધનો પણ પેદા થયા છે કે દરેક તે વસ્તુ કે જેમાં જાહેરી રીતે કોઇ ભૌતિક ફાયદો અને તે પણ રોકડ સ્વરૂપમાં ન દેખાતો હોય ત્યાં આ આધુનિક વિચારધારા અનેક પ્રકારનાં પ્રશ્ર્નો કરે છે અને તેના ફાયદાનો ઇન્કાર કરે છે.