પ્રસ્તાવના :
હાલમાં આપણે જે યુગમાંથી પસાર થઇ રહ્યા છીએ તે મોટી ગયબત એટલે કે ‘ગયબતે કુબરા’નો યુગ છે. આ તે યુગ છે જેમાં હઝરત હુજ્જત (અ.સ.)ના કોઇ ખાસ નાએબ નથી, જેમના થકી ઇમામ (અ.સ.)નો સંપર્ક સાધી શકાય અને આપણા સવાલો રજુ કરીને આપ (અ.સ.) પાસેથી જવાબો મેળવી શકાય. આ યુગ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ખુદાવન્દે આલમ હઝરત મહદી (અ.સ.)ને ઝુહરની પરવાનગી ન આપે. જ્યારે આપ (અ.સ.) અલ્લાહના હકમથી જાહેર થશે ત્યારે લોકોને તેમની ઝિયારતની ખુશનસીબી હાંસિલ થશે. તેમની પવિત્ર સેવામાં હાજર રહેવાનું બહમાન પ્રાપ્ત થશે. જ્યાં સુધી અલ્લાહ ઝુહરની પરવાનગી નહિં આપે ત્યાં સુધી આ ‘ગયબતે કુબરા’નો યુગ ચાલુ રહેશે. આ યુગ કસોટી અને પરીક્ષાનો યુગ છે. આ યુગની અમુક લાક્ષણિકતાઓ છે.