હઝરત સય્યદુશ્શોહદાનું સરે અકદસ કયાં દફન છે

દસ મોહર્રમ આશુરાના હઝરત સય્યદુશ્શોહદા અ.સ.ની હૃદય દ્રવિત શહાદતની ઘટના ઘટી ગયા પછી ખુદા અને રસુલને ભુલી ગએલા યઝીદના લશ્કરે અહલેબય્તના તંબુઓને આગ લગાડી, અહલે હરમને લૂંટયા, લાશોને પાયમાલ કરી. યઝીદના લશ્કરના વડા ઉમરે સઅદે હઝરત ઈમામ હુસય્ન અ.સ.ના પવિત્ર સર ખુલી બીન યઝીદ અસ્બહી અને હમીદ બીન મુસ્લિમની સાથે અને બાકીના શોહદાઓના પવિત્ર સરો શીમ્ર બીન ઝીલ જવશન, કયસ બીન અશઅસ અને અમરૂ બીજ હજ્જાજની સાથે કુફાના હાકીમ ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદની તરફ રવાના કર્યા. ઉબયદુલ્લાહ ઈબ્ને ઝીયાદે હ. ઈમામ હુસય્ન અ.સ.ના સરે અકદસ સાથે બેહુરમતી કરવામાં કોઈ કસર ન છોડી. સરોને કુફાના શહેરમાં ફેરવવામાં આવ્યા. શામથી જવાબ આવ્યા પછી પાકીઝા સરોને યઝીદ બીન મોઆવીયાના દરબારમાં શામ તરફ રવાના કરી દીધા.

જનાબે ફાતેમા બિન્તુલ હુસય્ન અ.સ.નો ખુત્બો

જનાબ ઝયદ બીન મુસા બીન જઅફરે પોતાના બાપ-દાદા અ.સ.થી રિવાયત નોંધી છે કે જ્યારે અહલે હરમનો કાફલો કરબલાથી કૂફા લાવવામાં આવ્યો તે સમયે જનાબ ફાતેમા સુગરા સ.અ. કંઈક આ રીતે ખુત્બો પઢયા: પ્રસંશા અલ્લાહની રેતી, રજ અને પથ્થરોની સંખ્યામાં અને આસમાનથી જમીન સુધીના વજન જેટલી તેની પ્રસંશા કરૂં છું અને તેની ઉપર સંપૂર્ણ ઈમાન ધરાવું છું અને તેના ઉપર તવક્કલ કરૂં છું અને હું ગવાહી આપું છું કે અલ્લાહની સિવાય કોઈ મઅબુદ નથી. તે એક એકલો છે, જેનો કોઈ શરિક નથી અને મોહમ્મદ સ.અ.વ. તેના બંદા અને રસુલ છે અને આપ સ.અ.વ.ની અવલાદને ફુરાત નદીના કિનારે કોઈપણ ગુનાહ કે ખતા વગર નાહક ઝબહ કરવામાં આવ્યા. એ ખુદા! તારી પાસે પનાહ માંગુ છું તારી તરફ ખોટી નિસ્બત આપવાથી અને વિરૂધ્ધ કહેવાથી. જે પણ કંઈ અલી બીન અબી તાલીબ અ.સ.ના સિલસિલમાં વસી હોવાના તારા કોલ-કરાર છે તે અલી (અ.સ.)ને અલ્લાહના ઘરમાં બેગુનાહ શહીદ કરી દીધા. અને કાલે તેમના ફરંઝદોને શહિદ કરી નાખ્યા.

અહલેબય્ત અ.સ.ની ભવ્યતા

અહલેબય્ત અ.સ.ની ભવ્યતા સય્યદુશ્શોહદાના સ્વમુખે ઈસ્લામ ધર્મના મૂળભુત સિધ્ધાંતો પૈકી એક સિધ્ધાંત છે, અહલેબય્તે રસુલ સ.અ.વ.નું અનુસરણ, તેટલા જ માટે રસુલે ખુદા સ.અ.વ. એ ફરમાવ્યું, “હું તમારી વચ્ચે બે મહત્વની વસ્તુઓ છોડીને જઈ રહ્યો છું. એક અલ્લાહની કિતાબ (કુરઆને મજીદ) અને બીજી મારી એહલેબય્ત (અ.સ.) જો તમે આ બંનેને મજબુતીથી […]

શામના માર્ગની ઘટનાઓ

કરબલાની ઘટના પછી પ્રકાશમાં આવતા દ્રષ્યોનો બિહામણો અને આક્રમક ઈતિહાસ આધારભૂત પુસ્તકોના અભ્યાસ કરવાથી દ્રશ્યમાન થાય છે.

જનાબ સય્યદ ઈબ્ને તાઉસ અ.ર.એ તેમના પુસ્તક “ઈકબાલ”માં લખ્યું છે કે: તમારે એ જાણવું જોઈએ કે આશુરાના દિવસનો અંતિમ ભાગ એ છે કે જેમાં હુસય્ન અ.સ.ના અહલે હરમ, આપની પુત્રીઓ અને બાળકો દુશ્મનોની કેદમાં નિરાધર અને ભાવહીન, દુ:ખ અને દર્દ અને રૂદન અને આક્રંદમાં તડપી રહ્યા હતાં. તે દિવસનો અંતિમ ભાગ તેઓએ એવી પરિસ્થિતીમાં પસાર કર્યો કે તેઓ એવી હિણપત અને બેઈઝઝતીમાં હતા કે મારી કલમની મર્યાદા તેનું વર્ણન કરી નથી શકતી.

શીમ્રે ઝીલ જવશન (લ.અ.)

ઈમામ હુસય્ન અ.સ.ના કાતીલોના વર્ણનો અગાઉના અંકોથી રજુ કરવામાં આવી રહ્યા છે. આ સિલસિલાની કડી શીમ્રે મલઉનનું વર્ણન છે.

સુરએ ઈબ્રાહીમની આયત ૨૬ માં છે કે “મસલો કલેમતીન ખબીસતીન શજરતીન ખબીસહ”. નાપાક અને વિકૃત વાતનું ઉદાહરણ નાપાક અને વિકૃત ઝાડના જેવું છે. (ન તો તેનું મુળ મજબુત ન ડાળીઓ ઉંચી). જમીન ઉપરથી જ ઉખાડીને ફેંકી દેવામાં આવે તેને જરા પણ મજબુતી નથી. તેવી જ રીતે સુરએ બની ઈસરાઈલની આયત ૬૦ માં ખુદાવંદે આલમ ઈરશાદ ફરમાવે છે “અને મલઉનોની વંશાવળી પણ લોકો માટે ફિત્નો છે.”

ઈમામ હુસય્ન અ.સ. અને અખ્લાક

ઈમામ હુસય્ન અ.સ. અને અખ્લાક ઈમામ હુસય્ન અ.સ.ના જીવનના જુદા જુદા સ્વરૂપો છે તેમાંનું એક મહત્વનું સ્વરૂપ આપના સંસ્કારોની સુંદરતા છે. અને કેમ ન હોય? જગતના સૌથી વધુ ચારિત્રવાન રસુલ સ.અ.વ.ના નવાસા છે. જેમની બેઅસત જ ચારિત્રની પરાકાષ્ટાનું મુળ છે. “ઈન્ની બોઈસ્તો લે ઓતીમ્મ મકારેમલ અખ્લાક”. (રસુલ અકરમ સ.અ.વ.) ઈમામ […]

જનાબ ઝોહયર બિન કૈન બજલી

કરબલાની ઘટનાની મહાન વિભૂતિઓમાં સૌથી વધુ મહત્વની અને અસરકારક વિભૂતિ તો ખુદ ઈમામ હુસય્ન અ.સ.નું વ્યકિતત્વ અને પ્રતિભા છે, પરંતુ અમુક ચહેરાઓ તેમાં શામીલ થઈને તેને ઈતિહાસની એક અજોડ ઘટના બનાવી દીધી છે. ઈમામ હુસય્ન અ.સ.ના અસ્હાબો પૈકી દરેક પોતાની જુદી જુદી પ્રતિભા પણ ધરાવે છે. અને શહાદતના ગુલદસ્તામાં ભળી જઈને તેની સામુહીક ભવ્યતા અને સ્વરૂપમાં વધારો પણ કર્યો છે. આ સૌની રહેણી કરણીમાં, સિધ્ધાંતો અને અકીદાઓમાં, ધ્યેય અને વિચાર સરણીમાં, જીવન અને મૃત્યુની ઈચ્છાઓમાં, હુસયની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. તેઓ ઈમામ હુસય્ન અ.સ. માટે ગર્વને પાત્ર હતાં.

અસ્સલામો અલલ હુસય્ન વ અલા અલીય્યીબ્નીલ હુસય્ન વ અલા અવ્લાદીલ હુસય્ન વ અલા અસ્હાબીલ હુસય્ન

હઝરત ઈમામ હુસય્ન અ.સ.નો ઝીક્ર સાંભળીને જ દિલોમાં દીની જઝબાત ઉભરાવા લાગે છે. ઈમાન અને અમલ, ત્યાગ અને બલીદાન, શિષ્ટાચાર અને સદગુણો, ધૈર્ય અને સહનશીલતા, જાંનિસારીની ઉમટતી લાગણીઓ, ઈમામે વકતના ઈશારાઓના પાલનનું સંપૂર્ણ પ્રતિબિંબીત થએલી લાગણીઓ – સ્વ-પ્રસંશાથી ખુદાની પ્રસંશા મેળવીને ઈમામની પ્રસંશાની મંઝીલ ઉપર પહોંચીને, પોતાની જાતને ભુલી જઈને એટલે માત્ર અને માત્ર ઈમામે વકતના રક્ષણની ચિંતા, તેમની ખુશ્નુદી પ્રાપ્ત કરવા માટેની મથામણ, ખુદાની મરજી પ્રાપ્ત કરવાની તડપ, રીસાલત અને ઈમામતની બારગાહમાં સુર્ખરૂ (લાલિત્યવાળો ચહેરો) થવાની તમન્ના.