વિલાયતની સરહદોનું રક્ષણ અને સારસંભાળ રાખનાર, શીયાઓના અલમબરદાર, ઇમામીયા મઝહબના જુદા તરી આવતા આલિમ, ઇસ્નાઅશરી ફીરકાના સરદારોના સરદાર, દીન અને હકના મિનારા, તીવ્ર બુદ્ધિશાળી શયખે અઅઝમ, અબુ જઅફર મોહમ્મદ બિન અલી બિન અલ હસન બિન બાબવયા કુમ્મી જે શયખ સદ્દુકના નામે જાણીતા છે, ચોથી સદી હિજરીમાં તેમણે શીયા મઝહબના રક્ષણ માટે એવા મહાન કાર્યો કર્યા જે કયામત સુધી ઇમામતની દિફા માટે બખ્તર અને ઢાલનું કામ કરશે.
‘અલ મુન્તઝર’ના જુદા જુદા અંકોમાં આપ્ના વ્યક્તિત્વ અને લખાણોનો ભરપુર ઝિક્ર થતો રહ્યો છે. આ અંકમાં આપ્નીજ કૃતિ ‘કમાલુદ્દીન વ તમામુન્નેઅમત’ની પ્રસ્તાવનામાંથી એક મુનાઝરા (વાર્તાલાપ)ના પ્રસંગને રજુ કરી રહ્યા છીએ. કનુદ્દૌલાના દરબારમાં એક મુલ્હીદે મરહમ શયખ સદ્દુક (રહ.) સાથે ઇમામતની સામે પોતાના વાંધાઓ રજુ કર્યા હતા અને આપે આ બેઠકમાં તેના જવાબો આપ્યા હતા. આ ચર્ચાને મુનાઝરા (સવાલ જવાબ)ના સ્વપે રજુ કરી રહ્યા છીએ.
મુલ્હીદ : તમારા ઇમામ ઉપર વાજીબ છે કે તેઓ નીકળે અને પરદામાંથી બહાર આવે. કારણ કે રોમના લોકો ટૂંક સમયમાં મુસલમાનો ઉપર વર્ચસ્વ જમાવી લેશે.