ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૬

ઝિયારતે નાહિયાની સમજૂતી (અલ-મુન્તઝર મોહર્રમુલ હરામ ખાસ અંક હિ.સ. ૧૪૩૩ અગાઉના અંકથી શ‚) અસ્સલામો અલલ્ જોયુબીલ્ મોઝર્રજાતે “સલામ થાય ફાટેલા ગિરેબાનો પર ઝિયારતે નાહિયાના આ વાક્યમાં બે શબ્દો છે, જોયુબ અને મુઝર્રજાત. જોયુબ એ ‘જયબ’નું બહુવચન છે અને જયબનો અર્થ ગિરેબાન (શર્ટનો કોલર) છે અને મુઝર્રજાતનો મૂળ શબ્દ ‘ઝરજ’ છે […]

ઇમામ હુસૈન(અ.સ.)ના કયામના કારણો અને સબબો, મરાજએ કેરામના ફત્વાઓ સાથે

કરબલાની ખૂન ભરેલી દાસ્તાન અને સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની આગાહીઓ, હઝરત આદમ(અ.સ.)થી લઇને હઝરતે ખાતમ મોહમ્મદે મુસ્તફા(સ.અ.વ.), તમામ અંબીયા(અ.મુ.સ.)એ મખ્સૂસ રીતે બયાન કરી છે. અઇમ્મએ હોદા(અ.સ.)ની રિવાયતોમાં અમુક અંબીયા(અ.મુ.સ.)દ્વારા ટુંકમાં અને અમુક અંબીયા દ્વારા વિગતવાર કરબલાના બનાવ બનવાના બારામાં વર્ણન કરવામાં આવ્યુ છે. આ લેખમાં અમારો હેતુ અને મકસદ આ બનાવોની વિગત નથી, અલબત્ત ફક્ત એ યાદ રાખવુ જોઇએ કે કરબલાના બનાવ અને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના મૂળ બહુજ મજબૂત છે અને તેની મઝહબી તથા શરીઅતી હૈસીયત મજબૂત અને પ્રમાણિત છે.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને હકનું બયાન

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો અમુલ્ય ખુત્બો જે હિ.સ. ૫૯ અને ૬૦ ના દરમ્યાન હજના મૌકા ઉપર આપે ઇર્શાદ ફરમાવ્યો હતો. તેના નૂરાની જુમ્લાઓ પૂરી દુનિયાની ઇન્કેલાબી, આર્થિક, સામાજીક હાલતને એવી રીતે જાહેર કરી રહ્યા છે, જાણે કે આજે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો અવાજ દરેક તરફ ગુંજી રહી રહ્યો છે. સરકારે રિસાલત મઆબના આ એલાનથી કોણ ઇન્કાર કરી શકે છે કે કુર્આન અને અઇમ્મએ મઅસૂમીન(અ.મુ.સ.) એકબીજાથી ક્યારેય જુદા નહી થશે. આ સેરાતે મુસ્તકીમ પર ચાલવાવાળાના એવા રક્ષકો છે જે હૌઝે કવસર સુધી રહેબરી કરતા રહેશે.

કયામતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારના દરજ્જાઓ

આવો, આપણે જોઇએ કે ઇમામ હુસયન (અ.સ.)ની ઝીયારત કરનારાની કયામતના મેદાનમાં શું શાનો શૌકત હશે. આ હકીકત માત્ર એજ મહાનુભાવો બતાવી શકે જેની દ્રષ્ટિ દુનિયા અને આખેરત ઉપર સરખી હોય. કયામતના દ્રષ્યો તેઓની સામે એવી રીતે સ્પષ્ટ છે જેવી રીતે સામે બેસેલો માણસ. અગાઉના લેખમાં આ બાબત ઉપર તો ઇશારો કરી ચૂક્યા છીએ કે ઝવ્વારનું સન્માન અને બખ્શીશનો સિલસિલો તો ત્યારથી જ શરુ થઇ જાય છે ,જ્યારે ઇનસાન ઝીયારતનો ઇરાદો કરે છે. સામાન્ય રીતે એવું બને છે કે લોકો એક વખતની મુલાકાતને વધારે યાદ નથી રાખતા. તેમજ દરેક વખતે તેનું ધ્યાન અને માન નથી રાખતા, પરંતુ આ પવિત્ર અહલેબયત (અ.સ.ની બખ્શીશની શાન અને ગુલામ નવાઝી છે કે જેણે એક વખત તેમની ઝીયારત કરી અને એક વખત મઅરેફતની સાથે તેમની મુલાકાત માટે ગયા, તેને તેઓ જીદંગીના દરેક પ્રસંગે ન માત્ર યાદ રાખે છે પરંતુ તેની મુશ્કેલીઓ હલ કરતા રહે છે.

નાપાક વંશાવળી યઝીદ બીન મોઆવીયા લ.અ.

જનાબે આએશાએ મરવાન હકમને કહ્યું: મેં રસુલે ખુદા સ.અ.વ. પાસેથી સાંભળ્યું છે કે આપ સ.અ.વ. તમારા બાપ-દાદા વિષે ફરમાવ્યું: મલઉનોનો વંશનો અર્થ તમે લોકો છો. (દુર્રે મન્સુર ૪/૧૯૧)

મરવાન બીન હકમ એજ છે જેની તરફ બની મરવાનનો સંબંધ છે તેની કુન્નીયત અબુ અબ્દુલ મલક હતી. વંશાવળી આ રીતે છે: “મરવાન બીન હકમ બીન અબીલ આસ ઈબ્ને ઉમય્યા.” (વિગત માટે અલ મુન્તઝર હી. ૧૪૧૫નો અંક જુઓ)

ઈમામ હુસયન અ.સ.નો પત્ર અમીરે શામ મોઆવીયાના નામે

બીજા ખલીફા ઉમર બીન ખત્તાબના સમયમાં હુકમથી મોઆવીયાહ બીન અબુ સુફિયાને શામનો હાકીમ બનાવી દેવામાં આવ્યો અને આ સિલસિલો હઝરત ઈમામ હુસયન અ.સ.ના પવિત્ર જીવનના આખરી દિવસો સુધી ચાલુ રહ્યો. હઝરત ઈમામ હુસયન અ.સ.ની ઈમામતના દસ વર્ષ મોઆવીયાની ખીલાફત અને હકુમતમાં પસાર થયા

સહાબા અને તાબેઈનની દ્રષ્ટિએ શહિદે કરબલાની મહાનતા

હિજરીની પહેલી સદીમાં મુસલમાનોના દિલોમાં ઈમામ હુસયન અ.સ. માટે જે મોહબ્બત અને મહાનતા જોવામાં આવતી હતી તે અજોડ હતી. તે મોહબ્બત અને સન્માનના કારણે તે અસાધારાણ મહેરબાનીઓ, પ્રેમભાવ, આદરભાવ અને ઔચિત્ય જેના વિષે આં હઝરત સ.અ.વ. ફરમાવ્યા કરતા હતા, તે હદીસો જે રસુલે ખુદા સ.અ.વ. એ સય્યદુશ્શોહદાના ગુણગાન અને પ્રશંસામાં બયાન કરી હતી તે મુસલમાનોમાં પ્રચલિત હતી. અને જેની ચર્ચા મોઅમીનોની મહેફીલો અને મજલીસોમાં થયા કરતી હતી. સામાન્ય લોકો અને ખાસ વ્યકિતઓ બધાજ અપવાદ વિના તેનાથી માહિતગાર હતા.

કયામે ઈમામ હુસયન અલયહિસ્સલામના પરિણામો

હઝરત રસુલે ખુદા સ.અ.વ.ના મૃત્યુ અથવા શહાદત પછી તુરતજ પવિત્ર એહલેબય્ત અ.સ.એ ધર્મના રક્ષણ કાજે ધીરજ અને સબ્રનો જે સીલસીલો શરૂ કર્યો તે આજ સુધી બાકી છે. પોતાના હક્ક-સત્યની સાબિતીની પાયમાલી ઉપર માત્ર એટલા માટે સબર કરતાં રહ્યાં કે દીન બાકી રહે. તકબીર અને કલમે શહાદતય્નનો અવાજ વાતાવરણમાં ગુંજતો રહે.