ઇમામ હુસૈન(અ.સ.)ની મદદ અને ઇમામે ઝમાના(અ.સ.)ની મદદ
ખુદાવંદે આલમે આ દુનિયાના ઇન્સાનને સંપૂર્ણતા હાસિલ કરવા માટે પૈદા કર્યો છે અને અલ્લાહે વ્યવસ્થા પણ એવી કરી છે કે અગર હઝરતે ઇન્સાન અલ્લાહના બનાવેલા કાનૂનો અને તરીકા ઉપર ચાલે તો ખૂબ જ આસાનીથી દુનિયા અને આખેરતમાં સફળતાની મંઝિલો પાર કરી શકે છે. પરંતુ જનાબે આદમ(અ.સ.)ના ઝમાનાથી આજ સુધી દુનિયામાં મોટા ભાગના લોકોએ ન તો ઇલાહી કાનૂનોને આદર્શ બનાવ્યા અને ન તો ઇલાહી તાલીમાત પર સંપૂર્ણ રીતે અમલ કર્યો છે. પરંતુ એનાથી વધીને લોકોએ ગુમરાહીનો રસ્તો અપનાવ્યો છે અને હંમેશા અલ્લાહના અવલીયા(અ.મુ.સ.), અંબિયા (અ.મુ.સ.) તથા અઇમ્મા(અ.મુ.સ.)ને શહીદ કર્યા છે. આ અત્યાચાર છતા અલ્લાહની સુન્નત હંમેશાથી એ રહી છે કે