ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત

Print Friendly, PDF & Email

બિસ્મીલ્લાહ હિર્રહમા ર્રિહીમ

અહસનલ્લાહો લકલ્ અઝાઅ યા મવ્લાય યા સાહેબઝ્ઝમાન

ઇલાહી રેહમતની ચર્ચા – લે યકુમન્નાસો બીલ્કીસ્ત

અલ્લાહ તબારક વ તઆલાએ ઇન્સાનની છાતીમાં એક ધડકતું દિલ રાખી દીધું છે. તેને કલ્બથી પણ યાદ કરવામાં આવે છે, એટલે કે તે મુન્ક્લીબ થતુ રહે છે, તેનું ધડકવું જીંદગીની અલામત છે. આ ધડકન બંધ થઇ જાય છે તો જીંદગી ખત્મ થઇ જાય છે અને ઇન્સાન મૌતના ખોળામાં સુઈ જાય છે. સુકુન, સકીના, સાકિત, મસ્ક્ન આ બધા શબ્દો મુન્ક્લીબના વિરોધી શબ્દો છે, જેનો અર્થ ‘રોકવું/સ્થિર થવું’નો થાય છે, રોકાઇ જવું થાય છે. તેનો સમાનાર્થી એક અન્ય શબ્દ છે, જેને કશ્મકશ, ખેચાવ, તનાવ, ઓછુ વધતું થવું. તેનો વિરોધી શબ્દ ઇત્મેનાન છે. મુત્મઇન થવું જે સારી હાલત કે એવી પરિસ્થિતિ જે દિલના ધડકવાની સાથે એક હંમેશાની ખુશી ઉપર સ્થાપિત હોય. જેવી રીતે તે રોજીંદા જીવનમાં ભાષામાં ઇન્સાનની કેફિયતને શાબ્દિક રીતે ઇઝહાર કરે છે કે મારો કહેવાનો અર્થ ઉપરોક્ત હાલત ઈન્સાની જીંદગીની કે બીજાઓની સામે મેહસૂસ કરે છે. તેનો એક અમલી મફ્હૂમ કુરઆને કરીમ છે. તેણે અતા ફરમાવ્યું છે બીલ્કીસ્તના લફ્ઝથી તેનો અર્થ અને મતલબની સ્પષ્ટતા ફરમાવી છે અને તેના વર્તુળમાં અદલ, ઇન્સાફ અને પુર સુકુન માહોલની ખુશીઓ છે. બેચૈની અને અશાંતિવાળું આ મેળે ભાગેડું. એ શર્ત કે ઇન્સાનની ખુદાવંદે મુતઆલની બેશુમાર નિશાનીઓ પર દરેક પળ નજર રહે અને અમલ કરતો રહે.

પરંતુ આ દુનિયાની જીંદગીમાં જ્યારથી શોરબકોરી આંખો ખુલ્લે છે અને માટી અને આસાસા વિસ્તારી પરિચિત થઇને તેમાં રહેવા માટે પોતાની ફિતરતને પોતાના પ્રશ્નોના હલ કરવા માટે તેના સાંચામાં ઢાળવાની તરબિયત દેતો રહે છે અને પોતાના હિસાબથી જીવવાો તરીકો પસંદ કરે છે. કારણ કે દરેક જગ્યા અગર જોવામાં આવે તો હલચલ છે, બેચેની છે, નુકસાન પહોચાડવું, મકસદ હાસિલ કરવા માટે અને જાએઝ અને નાજાએઝ રીત અને અમલ પ્રમાણે દરિયાના વમળની જેમ ઉઠતો રહે છે. પોતાની જરુરીયાતો મુજબ ખોટું, સાચુ કોઇ પણ રસ્તાઓથી પોતાની સુવિધા હાસિલ કરવાની કોશિશ કરે છે. અમ્બીયા અને અવ્સીયા(અ.મુ.સ.)ની મરતબાી જવાબદારીમાં આ જ તબ્લીગની રુહ છે કે તે ઇન્સાનને કુદરતી રીતે એવી રીતે જીવવાનો અંદાજ પસંદ કરવાની તાલીમ આપે કે તે એક તાકતવર અને ઇઝ્ઝતદાર અને સમજણ વાળી મખ્લુક છે, જેના કિરદારની સામે તમામ હલચલ, બેચેનીઓ, ફરેબકારીઓ, મક્કારીઓ સિતમગરીઓ, તાકતોના ઝુલ્મ અને જોરની નસો ઢીલી પડી જાય છે અને તે સાફ સુથરા માહોલમાં સુકુનની સાથે જીંદગી ગુજારવાની સલાહીય્યત રાખે છે.

તેહઝીબ:

ઇન્સાનની સામાજિક જીંદગીમાં જે સામાજિક સબંધો પરહેઝગારીના ઉસુલ અને બાકીના તમામ કાનૂનો પર જે પુરા સમાજ ઉપર લાગુ પડે છે, તેનું નામ તેહઝીબ છે. આસ્માની મઝહબોમાં અવલીયા અને અવ્સીયાના કી એક તેહઝીબના કાનૂનો ઉપર અમલ કરવાની તબ્લીગ ઉપર સ્થાપિત થયા છે, તેનો એક સબંધિત સિલસિલો છે. અગર ઈતિહાસ ઉપર નજર નાખવામાં આવે તો એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે દરેક નબી અથવા રસુલના સામે બહુ મોટી સંખ્યાના લોકો વિરોધી સફમાં આવીને ઉભા નજર આવે છે. તે હકીકત બયાનીના હેઠળ આ હકીકત બયાન કરવા માટે અલ્લામા ઇકબાલ એ બે પંક્તિમાં પોતાની ફિક્રની તરજુમાની કરી છે.

આગ હે, ઈબ્રાહીમ હે, નમરુદ હે,

કિસીકો ફીર કિસીકા ઇમ્તેહા મકસુદ હે.

લેખક ન્યાયની સાથે દુન્યવી જીંદગી પસાર કરવાના વિષય ઉપર વાંચકોનું ધ્યાન કેન્દ્રિત કરવા ચાહે છે. જ્યારે કે જાહેરી રીતે અમ્બીયા અને અવ્સીયાની તબ્લીગી જીંદગી દરેક તરફથી મુશ્કેલીઓ અને વિરોધો અને ઈજા પહોચાડવાના તમામ પ્રપંચોના મુકાબલામાં ઘેરાયેલી નજર આવે છે અને ઘણી બધી હદ સુધી તેની તસ્વીર ખેંચવા ઈતિહાસકારોએ લખીને લોકોની સામે રાખી દીધી છે. આપણે આ બે વિરોધી ઉલ્લેખિત બાબતોની હેઠળ અભ્યાસ કરીશું કે કરબલા એ ઇસ્લામી જીંદગીની દરેક બુનિયાદ ન્યાયનો માપદંડ જે ઇન્સાન ચાહે છે કેવી રીતે તેને સ્થાપિત કરી દીધો છે, કે એક ક્ષિતિજ દરેક તરફથી ગંદગીઓ અને ઉલ્જનોથી સાફ થઇ ગઇ છે અને ઈન્સાની દિમાગે જીંદગીની તમામ ગૈર મુત્મઇનની તરફથી ખેચવાવાળી જીંદગીથી સુરક્ષિત કરી દીધી છે.

કરબલા:

આ એક એવો બનાવ છે, જે ભૂતકાળની ઇલાહી તબ્લીગાત જેના ઉસુલ અમ્બીયા એ તાલીમ કર્યાં, તેની રુહ જગમગી રહી છે અને બીજી તરફ ભવિષ્યના માટે એક એવી આગાહી છે, એલાન છે જે બીલ્કીસ્તના રસ્તાથી એટલે કે ન્યાયના રસ્તાથી તમામ રુકાવટોને કિનારે લગાવી દે છે.

આપણે નબુવ્વત, રિસાલત, વસાયત, ઈમામતના ઈતિહાસથી પસાર થઇને ખાતેમુલ મુર્સલીન મોહમ્મદે મુસ્તુફા(સ.અ.વ.)ની તબ્લીગી જીંદગીનો ખુબ જ ટુંકાણની સાથે અભ્યાસ કરીશું અને આપના મૃત્યુ બાદ આપના વસી અને ખલીફાનો ટુકમાં ઝીક્ર કરીને દિમાગને કરબલાની તરફ કેન્દ્રિત કરવાની કોશિશ કરીશું.

રિસાલત મઆબ (સ.અ.વ.)ની જીંદગી મક્કામાં લગભગ 40 વર્ષ બેઅસતથી પહેલા અને 13 વર્ષ બેઅસત પછી.

બેઅસત પહેલા:

આપ(સ.અ.વ.)નો સ્પષ્ટ દેખીતો કિરદાર મક્કા વાળાઓની સામે આવ્યો. આપનો રોજગાર, આપની અમાતદારી. આપે એક કમિટી બનાવી જેનું નામ ફુસુલુલ મોહિમ્મા હતું. જેનું કાનૂની બંધારણ હતું. જે મક્કાની સરઝમીન ઉપર પેહલી વખત કાનૂની તૌર પર અમલની હૈસિયત રાખતું હતું અને તેના હેઠળ તેનો કાનુન દરેક પર લાગુ પડતો હતો. આના પહેલા અગર કોઈ વેપારી ઊંટ ઉપર વેપારનો સમાન લઇને આવતો હતો તો તેને મક્કા વાળા લુંટી લેતા હતા અને ઊંટને ગાયબ કરી દેતા હતા. આ કમિટીના હેઠળ એવી હરકતો પર પાબંદી લગાવી દેવામાં આવી અને કોઈ પણ વેપારી ઇત્મીનાનની સાથે પોતાના વેપારનો માલ લઇને મક્કા આવતો અને વેચતો. હયાતે તય્યબાના પહેલા સમયમાં જયારે આપ પોતાના ઉપર ઝીમ્મેદારીઓ લેવા લાગ્યા તો આપ પોતે જનાબે અબુતાલીબ(અ.સ.)ની સાથે સામાન લઇને શામ જતા. હવે આ દરમિયાન ઘણા વાકેયાત એવા બન્યા કે જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઇ જતા હતા જેમ કે અમુક ઝાડ આપની સામે જુકી જતા. યહુદી ઓલમાની જૂની ખબર રાખવા વાળા કહેતા કે આ શખ્સ આપણી જેવા સામાન્ય લોકોમાંથી નથી પરંતુ કોઈ બશરથી ઉચ્ચ દરજ્જો રાખનાર માલુમ થાય છે. ત્રીજું શોહરતનો સૌથી મોટો સબબ આપની આશ્ચર્યચકિત કરી નાખનારી સીરતનો એક પેહલું છે, જે જનાબે ખદીજા(સ.અ.)થી શાદીની સુરતમાં સામે આવ્યો અને કેટલાય મહિનાઓ સુધી જનાબે ખદીજા(સ.અ.)નો માલ મક્કાવાળાઓમાં એવી રીતે વહેચવામાં આવ્યો કે તેઓના માટે ખોરાકનો ઇન્તેજામ થતો રહ્યો. બેઅસતના પહેલાની જીંદગીની આ એક જલક છે.

બેઅસત પછી:

બેઅસત પહેલા તે શખ્સ જે મક્કાના કુરૈશમાં એટલા મેહબૂબ, ભરોસાપાત્ર અને પ્યારા હતા કે તેને મોહમ્મદ એ અમીન(સ.અ.વ.)ના લકબથી યાદ કરવામાં આવતા હતા. આ બધુ હોવા ઉપરાંત પછી શું થયું કે બેઅસતના એલાન પછી ચારેય તરફથી મક્કા શહેરમાં જાન લેવા દુશ્મન પૈદા થવા લાગ્યા. ચાલીસ વર્ષની સીરતના આઈનામાં આપ(સ.અ.વ.) કુરૈશા દિલોમાં રાજ કરતા હતા અને એકાએક એવી દુશ્મનીનું ઝેર ફેલાણું કે આપના અમુક મખ્સુસ માનનારાઓ ઉપર ઝુલ્મ કરવામાં આવ્યો. ઈતિહાસના લફઝોથી ખૂન ટપકવા લાગ્યું. એવી બેરેહમીથી જનાબે યાસીર અને જનાબે સુમય્યાને કત્લ કરવામાં આવ્યા, અગર એકદમ મુખ્તસર રીતે અમુક જુમ્લાઓમાં બયાન કરવામાં આવે તો કારણ સામે અરીસો દેખાડવા લાગે છે. બેઅસત પહેલા મક્કા ઉપર અબુ સુફિયાનનો ખુબ જ દબદબો શોહરત, તાકત, સત્તા અને પ્રભુત્વની ચર્ચા હતી. શાયર તેની મદહમાં શેર કહેતા અને મકસદ હાસિલ કરવા માટે શબ્દકોષનો એક કાનૂન હતો જે સમાજી કાનૂન કહેવામાં આવતો અને અબુ સુફિયાન તેનું કેન્દ્ર હતો. ભલા એ કેવી રીતે શક્ય છે કે બદતરીન અખલાક વાળા સમાજની સામે એક ઉચ્ચ અખલાકવાળાની ચળવળ મક્કાના રહેવાવાળાઓમાં જેની ફિતરત દરેક બુરાઈઓમાં વિંટળાયેલી હોય તેને કબુલ કરે. આથી મક્કાવાળાનો સરદાર અબુસુફીયાને આ તેહઝીબ અને અખ્લાક, જે તેઓની બેહુદા રસમો, બુતપરસ્તી મીટાવવા આવી હતી તેને કબુલ કરે. મક્કાના ઈતિહાસને ધ્યાનથી પઢયા પછી અને ત્યાંના કુરૈશની હાલત જાણ્યા પછી દિલ હચમચી જાય છે. શું એવો પણ જમીન પર ઇલાકો હતો જ્યાં ઝુલ્મની ઈબાદત થતી હતી, તેના સિવાય કોઈ શબ્દ પાસે નથી જે તેને સમજાવી શકે.

હિજરત:

મક્કાથી મદીનાની તરફ આ જ કારણોના લીધે તમામ મુસીબતો ઉઠાવ્યા પછી આ હઝરત (સ.અ.વ.)એ મદીના તરફ હિઝરત કરી. (વિગતવાર બયાન અત્યારે શક્ય નથી). હવે જયારે ઇસ્લામની રગોમાં એટલી તાકત અને આવડત પૈદા થઇ ગઇ કે તે મક્કાવાળાઓનો મુકાબલો ઝુલ્મની ખિલાફ કરી શકે છે તો લગભગ 80 મોટી જંગો થઇ, જે તમામ બચાવ કરનારી હતી.

મદીના અને કરબલા:

તે કરબલા જે હઝરત ઈમામ હુસૈન(અ.સ.)એ વસાવ્યું તે કરબલા જ્યાં ઈન્સાનિયતનો મકસદ ઈન્સાની હયાત જેની બુનિયાદ અશરફીયત ઉપર હતી અને જે મુમકીન હતું કે આ ફક્ત અને ફક્ત આ ચળવળને જીવંત રાખવી હતી જેને ઇસ્લામ કહે છે અને જેમાં ખુદ્પરસ્તી, બુતપરસ્તી, ઝુલ્મ અને જૌરનો દખલ બિલ્કુલ નથી થતો. અકલ અને સમજણની રોશની હતી અને તે એક સંપૂર્ણ અમલ કરવા માટેનો દસ્તુર હતો. જેના છાયામાં ઇન્સાન ન્યાયની સાથે જીંદગી પસાર કરી શકતો હતો અને જેના માટે કુરઆન એ ભૂતકાળમાં શબ્દ મોહમ્મદ એ અમીનની તકરાર કરીને ફરમાવ્યું અય રસુલ કહી દયો.

ઇન્ની લકુમ્ રસુલુન અમીન. ઇત્તકુલ્લાહ વ અતીઉને

બેશક! હું તમારામાં રસુલે અમી છુ. તો છી અલ્લાહી ડરો અને તમો મારી ઇતાઅત.

(સુ. શોઅરા – 107-108)

કરબલા:

આ ભૂતકાળની જેહાલત અને ખરાબ કાર્યોનો એક ઈતિહાસ છે. જેની સુધારણા માટે અમ્બીયા અને મુર્સલીન આવ્યા અને દુ:ખના અંધકારમાં અજવાળાના ચિરાગ રોશન કરીને ચાલ્યા ગયા. તો બીજી તરફ કરબલા, ભવિષ્યની ઝુહુરે ઇમામ મહદી(અ.સ.) સુધી એવી ખબર છે કે સામાન્ય ઇન્સાફ પસંદ વિદ્વાનોએ પોતાના જમાનામાં પોતાની આવડત પ્રમાણે બયાન કરી દીધી છે. દા.ત. ઇકબાલનુ કેહવું છે

નકશે ઈલ્લલ્લાહ બર સહરા નવીશ્ત સતરે ઉનવાન નજાતે મા નવીશ્ત

ગાલીબની પોતાની આઝાદ જીંદગીની રવીશની સામે આખરી શ્વાસમાં વસીયત કરી દીધી કે મારો મઝહબ બારાહ ઈમામી છે. મૌલાના રુમના ઈશારા જોઈએ:

એહલે દુનિયા કારે દુનિયા સાખ્તંદ મુસ્તફા રા બી કફન અન્દાખતંદ

આ તો અમુક મીસાલો ઈશારા કરવાવાળી છે કે કરબલા એક બેપનાહ લાંબી મુદ્દતની ભવિષ્યની ખબર છે કે જેટલું મન ભરાય એટલું ઝુલ્મ અને જૌરની સાથે મક્કારીયો, બેશુમાર ચાલબાજીયો અને ખુંરેજીયોની સાથે ઇન્સાનને શૈતાની વસવસાની સાથે હિદાયત અને ન્યાયના રસ્તોઓથી ગુમરાહી તરફ મોકલવામાં આવે પણ કરબલા એક એવી રોશનીનો મિનારો છે કે જેની રોશની મગરીબથી લઇને મશરિક તમામ હદો ઉપર અદલો ઇન્સાફથી અને દુનિયાની ટુકી જીંદગીને એક પુર સુકુન જીંદગી તરફ રુજુ અને ધ્યાન દોરતી રેહશે. બયાન કરવું અને અમલની તરફ આગળ વધવું તેના તાલમેલમાં કોઈ ફરક નહિ આવશે. આ ઇસ્લામી તાલીમાતનુ દિમાગોમાં મજબૂતીથી બેઠાડી દેવું ખુબ જ મુશ્કિલ કામ પણ છે અને આસાન પણ. આ બન્ને જાહેરી રીતે તો વિરોધાભાસી દેખાય છે પરંતુ હકીકતમાં એવું નથી. શરત એ છે કે તે તમામ હયાતના દસ્તુર ઉપર અમલ કરતુ રહે જેવી રીતે કે તે આપણને આપીને ગયેલા છે. જેના માટે દિવસમાં પાંચ ટાઈમ ગૈરીલ મગ્ઝૂબ અને વલઝ્ ઝાલ્લીન ઝબાન પર લાવીને (નમાઝ કાયમ કરીને) એહસાસને જગાવે છે.

એક શખ્સ જયારે અકલ સમજણની મંઝીલોમાં પગ રાખે છે તો તેના વિચારો પોતાના વ્યક્તિગત વર્તુળમાં રહીને સમાજ અને આજુ બાજુના વાતાવરણમાં એકબીજાથી સબંધિત જોડાયેલા રહે છે અને તેના પછી તેને આલમી પશ્ચાદ ભુમિકામાં શું થઇ રહ્યું છે, તેનાથી પોતાના દિલને પ્રભાવિત કરે છે અને તેની સામે રાજકારણ અને તબ્લીગાતે બીલ્લાહની રસ્સીના રેસાઓ ખુલવા લાગે છે. જો કે તે કાઈ નથી કરી શકતો પરંતુ પોતે પોતાની જાત અથવા જે તેની સાથે હોય છે તેને પ્રભાવિત તો કરી જ લેય છે. દા.ત. સાઉદી અરબમાં એક 11 વર્ષના બચ્ચાને તેની હિંમતથી ભરેલા કારનામાઓના લીધે ફાંસી દેવી. અગર કાઈ નહી કરી શકે તો ઝુલ્મથી પૈદા થયેલ બેચૈનીના હેઠળ બે આંસુ વહાવીને એક ફાતેહો તો પડી શકે છે.

આપણો વિષય હતો મદીનાથી કરબલા સુધી બનાવો ઇસ્લામની તાલીમાતની સાથે પેશ આવ્યા. તે મુર્સલે આઝમ (સ.અ.વ.)ના મૃત્યુ પછી કેટલા ખતરનાક અને ઈન્સાની જીંદગીના માટે બેતાબી અને બેચૈની અને અણગમતા ખરાબ કાર્યોના તૂફાન હતા જેમાં સારા સારા પડી ગયા ત્યાં સુધી કે અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ અને કાજી શુરેઅ જેવા લોકો કેટલા હતા જે હુકુમતના અકીદામાં ફસાઈને પોતાના ચેહરા ઉપર કિતાબનો નકાબ નાખીને હુકુમત સાઝીના વમળમાં ડૂબી ગયા. માનનીય વાંચકો જાણે છે કે સિયાસત અને હુકુમત હમેશા જીંદગીની રવીશના વિરુદ્ધ કદમ ઉઠાવે છે કે જેને અલ્લાહ તઆલા એ અમાનત કહીને પુરુ બંધારણ પોતાના અમ્બીયાની સાથે જમીન ઉપર ઉતાર્યું હતું. અહીં શરીઅતના અમીન પોતાના હેતુઓને બયાન કરતા રહયા અને મસાએબનુ તૂફાન આવતું રહયું અને ટકરાયને ખાકમાં મળતું રહયું અને એવી સિયાસતના પૂરની સામે પોતાના હોદ્દાની રુએ વાજીબાત જે ખુદાવંદે મુતઆલથી વાજીબ કરવામાં આવ્યા હતા, તેને અંજામ દેતા રહયા. આ અનુસંધાનમાં જે પૂરથી મુરાદ લેવામાં આવ્યું છે તેનું કેટલાક ઉદાહરણોથી નકશો ખેચીશું, જેથી બીલ્કીસ્ત જીંદગીનો તરીકો પ્રકાશિત થાય છે.

મક્કાની બેઅસતની મુદ્દત 13 વર્ષમાં 10 વર્ષ અબુસુફિયાનનું આવવું જવું અને રાત દિવસની વ્યસ્તતા રિસાલતની તબ્લીગની વિરુદ્ધ કોઇ પણ સાધનોની કસર છોડી ન હતી. તેના પછી (હીજરત પછી) અબુસુફીયાન ખામોશ ક્યાં બેઠો હતો? યહુદીઓ અને નસરાનીઓને ખરાબ દિમાગની મદીના અને મક્કાના ભવિષ્યના ઇસ્લામના વિરુદ્ધ ભાગદોડ મચાવી રાખી હતી. જેના પરિણામમાં અબુસુફીયાન સંપૂર્ણ રીતે ઇસ્લામ સાથે દુશ્મનીના જેટલા કાવતરાઓ હતા તે દરેક જંગ, જેદાલ, કેતાલના થકી અથાગ કોશિષ કરતો રહ્યો. મુરસલે આઝમ એક એવા સ્તંભ હતા જેને ખુદાવંદે કરીમે, બીલ્કીસ્ત જીંદગી બસર કરવા માટે એક નમુને હયાત હતા, જેને બાદમાં “સીરતે નબ્વી” કહેવામાં આવે છે. તમામ જવાબદારીઓ સાથે જમીન ઉપર ઉતર્યા હતા અને આપના એહલેબૈત બેઅસતની શરૂઆતથી લઇને નબીએ કરીમની સાથે તમામ જીંદગીનો અમલી લિબાસ અતા કર્યો હતો અને તેના પછી આ મકસદના નેતૃત્વમાં તમામ સીરતે નબ્વીના તમામ પેહલુંની તબ્લીગમાં એક તે કિરદાર જેને નબીની સીરત કહે છે, તેને કાયમ રાખવામાં સતત વ્યસ્ત રહ્યા.

જયારે સિયાસત હુકમરાનીયત મજબુત થઇ ગઇ અને મક્કા ફતેહ થવા પછી 3 વર્ષના દરમિયાનમાં દુશ્મનો એ ઇસ્લામનો લિબાસ ઓઢીને દુશ્મની પર ઉતરી આવ્યા. આ 3 વર્ષની બાતીલ તબ્લિગના રાજકીય શું શું પરિબળો હતા જેણે કરબલા જે 61 હિજરી સુધી ઇસ્લામ અથવા શરિયત અને સીરતે નબવીના ખિલાફ ક્યાં ક્યાં કાવતરાઓ કર્યાં, તેના પર અગર પૃથક્કરણ કરતા તો અમુક સમયે બધુ જ સમજમાં આવી જાય છે.

નબુવતની તબ્લીગમાં તે સુફિયાની મીજાઝ જે મક્કાના લોકોની દરમિયાન ઘર કરી ચુક્યો હતો, તેને મુરસલે આઝમે એક એવી ચળવળને વેગ આપી રહ્યા હતા, જેના નીચે આખી દુનિયામાં ઇસ્લામના નામની હુકુમત કાયમ થઇ જશે. આના થોડાક ઈશારા આપણને સુલેહ હોદેબીયાહમાં પણ જોવા મળે છે. રેહલત પછીના આ વાકેયાતના અભ્યાસ અને વિચારની સાથે ઇન્સાફ કરીએ.

(1) સકીફાનો શોરબકોર

એહલે દુનિયા કારે દુનિયા સાખ્તંદ, મુસ્તફા રા બી કફન અન્દાખતંદ

(2) પ્રથમ ખલીફાનો ખત પોતાના વાલીદના નામે અને તેનો જવાબ. અવામે, અલી (અ.સ.)ની સંપૂર્ણ જીંદગી ભરની મેહનત, કોશિશો, કામ્યાબીઓ અને તમામ ફઝીલતોને ભુલાવી દીધી.

(3) બાગે ફીદકનુ ગસ્બ અને તેની આવકથી લશ્કરની ગોઠવણી કરવી, આ(સ.અ.વ.)ના લખ્તેજીગર જનાબે ફાતેમા(સ.અ.)ના ઘરને આગના હવાલે કરવું.

ઈતિહાસમાં અને ટીકાકાર દુશ્મનોના માપદંડમાં કોઇ પણ જગ્યાએ પણ તેનો ઉલ્લેખ નથી થતો. મોટા મોટા સમુહોમાં કેવી કેવી પ્રશંસા થતી રહી અને આ બનાવનું ક્યાય બયાન નથી થયું.

આ અનુસંધાનમાં એ કેહવું મુનાસીબ થશે:

કરબલા ઇસ્લામની શરુઆતથી 61 હિજરી સુધી જેટલા તબક્કાઓથી પસાર થયો, તેનો એક સંપૂર્ણ ઈતિહાસ છે જે મક્કા અને મદીનાના કેન્દ્રોમાં હાદેસાતે ઇસ્લામ તરફથી પોતાની હક્કાનીયતના સબુતમાં બન્યા હતા. જાણે કે કરબલામાં દરેક પળ એ દોહરાવી રહી છે કે હુકુમતના વેચાયેલા ઈતિહાસકારોએ તે ઈતિહાસમાં પોતાની કલમથી ફેરફાર ના કરી શક્યા.

જનાબે સુમય્યા અને જનાબે યાસીરની એ અઝીય્યતનાક પહેલી શહાદતનો ઝીક્ર દિમાગોથી મીટાવવા માટે ઇસ્લામના દુશ્મન કરે કે ના કરે પરંતુ જયારે કરબલાનો ઝીક્ર થશે તો કાતિલનો ચેહરો ખુદ બ ખુદ સામે આવી જશે કે તે કોણ હતા? શું હતો? અને તેનો સીનો કેવી અદાવતથી ભરેલો હતો? કરબલા તેની પ્રતિબીંબીત કરતી રેહશે. આ ખ્યાલના માટે એક બનાવ છે, મક્કાના કેન્દ્ર ઉપર જે બનાવોના સીલસીલા હતા અને જેની વિગત ઇતિહાસમાં જોવા મળે છે. હકવાળા લોકો આવે અને મદીનાની વાત કરે. ઇસ્લામના ત્રણ મોટા દુશ્મન હતા યહુદી, ઈસાઈઓ અને મુનાફીકો.

મુનાફીકોનો કિલ્લો મીસ્માર કર્યો, મસ્જીદે ઝેરાર તોડીને, યહુદીની ઘેરાબંદી તોડી ખય્બર ફતેહ કરીને અને ઈસાઈઓને હાર માનવી પડી મૈદાને મુબાહેલામાં, જેની પ્રશંસા કુરઆને કરીમ કરી રહ્યું છે.

અહી તારીખે ઇસ્લામ વાંચ્યા પછી અંદાજો થાય છે કે ખૂનમાં ન્હાયેલા ઇસ્લામના દીનને કેવી રીતે, અને ક્યાં સ્વરુપમાં ક્યાં રસ્તાથી કરબલાએ તેના ઝખ્મોને ધોયા છે અને કેવી રીતે ઇસ્લામ જેને ખુદાવંદે મુતઆલ એ પોતાનો પસંદીદા દીન કહ્યો છે, તેને સેહત આપી કે તે એ તમામ દાનીશ્વરો અને ઇન્સાફ પસંદ અને એક ખુદા ઉપર યકીન રાખવાવાળાઓ માટે નજાતનો ઝરીયો અને હકની તપાસ કરવાવાળાઓ માટે હંમેશના માટે પનાહગાહ બની ગયો.

કરબલા એક તરફ ઇસ્લામના ભૂતકાળનો ઈતિહાસ એવી રીતે સંપૂર્ણ કર્યો કે ગોરો ફિક્રમાં જાણે પૂરી લડાઈ સામે રાખી દીધી અને ભવિષ્યના માટે આવાઝ દેવાવાળો બની ગયો, જેથી દરેક ઇસ્લામનો ચાહવાવાળો ગૈરીલ મગ્ઝૂબ અને વલઝ્ ઝાલ્લીનના રસ્તાથી ન ભટકે, ન હદ ઓળંગી જાય, અને ન તે પસ્તીમાં જઈને પડી જાય પરંતુ તે સીધો રસ્તો ઇખ્તીયાર કરે અને નજાતના માટે આખેરતના ભાથાના તમામ અસબાબ તૈયાર કરે. એક લાંબુ લીસ્ટ છે અને સંગ્રહ છે ઘટાઓનો, કરબલાથી પહેલા 60 વર્ષના ઇસ્લામ પર જે કઈ ગુઝર્યું અને ઝુહુર સુધીના ભવિષ્ય માટે એક મુનાદી અવાઝ આપી રહ્યો હોય. કરબલા સામે રાખીને જેણે જીંદગી ગુજારી તે કામયાબ અને કામરાન અને પોતાની મુરાદ સુધી પહોચી ગયો.

દાખલા તરીકે અગર સિર્ફ બે બનાવો ઝરુખો ખોલીએ જેથી મંઝિલે મકસૂદના રસ્તામાં જે માર્ગ સ્તંભ ઉપર લખેલી ઇબારતનુ નૂર ઝહેનમાં ચમકી ઉઠે, બાતીલનો મકરુહ ચેહરો બેનકાબ થતો રહે અને હક પરસ્તોની પેશાનીથી નૂરના કિરણો ફુટી પડે.

શું મુબાહેલાનો ઝીક્ર આમ થઇ રહ્યો છે? મારો મકસદ જમ્હુરે ઇસ્લામ તરફ છે. શું તેની એહમિયત તેનું વજૂદમાં આવવું મુબાહેસા અને મુનાઝેરહનુ પીઠબળ છે? ફીરકાઓની દરમિયાન ક્યાં લોકો હતા જે બધા પરિબળો ઉપર તબ્લીગથી અને પક્ષપાતની બીના ઉપર કે હુસૈન(અ.સ.) કોણ હતા. ઝીક્રથી ભાગતા રહ્યા? તો કદાચ સમજમાં આવશે કે ગયરીલ મગ્ઝૂબનો શબ્દ કુરઆનમાં રાખ્યો છે તો મગ્ઝૂબ પણ હશે.

બીજો વાકેઓ જેણે તમામ હુજ્જતની મોહર મારી દીધી એ વાકેઓ ગદીરે ખૂમ છે. ફક્ત મુરસલે આઝમનુ એલાન “અવ્લા બીત્તસર્ફ”ની ચમકતી શરિયતના કાયદાની કિતાબ ઉપર મોહર કાફી છે. વિગત આપમેળે સામે આવી જાય છે. હુસૈન(અ.સ.) એ ઇસ્લામને કરબલાની જમીનને એવી બુઝુર્ગી અને અઝમતી હામિલ બનાવી દીધી કે તેની મીટ્ટી ઉપર અર્શના રહેવાવાળાઓએ ગર્વ કરેલ છે અને તેના વાકેઆની કિતાબે શીર્ષક આપી દીધું.

મીસ્લી લા યોબાયેઓ મીસ્લહુ

(બેહારુલ અન્વાર જી. 44 / પે. 324)

મારા સલામ થાય આ પુર્વના શાએર ઉપર કે જેનું નામ ઇકબાલ હતું કે જેણે પુરા ઇસ્લામના ઈતિહાસને સમેટીને આ એક શેરમાં કહી દીધું:

ઇસ્લામકે દામનમે બસ ઇસકે સિવા ક્યાં હૈ,

એક ઝર્બે યદુલ્લાહ એક સજદ એ શબ્બીર

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *