એહકાકુલ હક વ અઝહાકુલ બાતિલ

Print Friendly, PDF & Email

લેખક: સૈયદ કાઝી નુરૂલ્લાહ શુસ્તર (નવ્વરલ્લાહો મરકદહુ)
કાઝી નુરૂલ્લાહ મરઅશી શુસ્તરીનો શુમાર ઇલ્મ, જેહાદ અને શહાદતના કાફલાઓના સાલારમાંથી એક સાલાર તરીકે ગણના થાય છે. એવી જીવંત શખ્સીયત છે, જેમણે ઓલમાઓની શાહીને શોહદાઓના ખુનમાં મેળવી દીધુ અને બલ્ અહ્યા(હજી સુધી જીવંત)ના ગૌરવશાળી મકામને હાસિલ કરી લીધુ.
આપની વિલાદત હિજરી સન ૯૫૬માં શુસ્તર (ઇરાન) પાસે થઇ. ૨૩ વર્ષની ઉંમરે હિ.સ. ૯૭૯ માં આપ મશ્હદમાં સ્થાઇ થયા અને પછી હિ.સ. ૯૯૨ માં શવ્વાલની શરૂઆતમાં મશ્હદથી હિન્દુસ્તાન તરફ રવાના થયા અને લાહોરમાં અકબરના દરબારમાં પહોંચ્યા. બે વર્ષ પછી કાઝીના ઓહદા ઉપર નિયુક્ત થયા.
૨૬ મી રબીઉલ આખર હિ.સ.૧૦૨૯ ની અડધી રાત્રે ૬૪ વર્ષની ઉંમરે આપની શહાદત થઇ અને આગ્રામાં દફન થયા. ઇન્શાઅલ્લાહ, એક વિગતવાર કિતાબ આપની જીંદગી અને આપની કાર્યશૈલી ઉપર પ્રકાશિત થઇ રહી છે.
આ કિતાબની જાણકારી માટે તેની પહેલા બે કિતાબો અને તેના લેખકોનું વર્ણન કરવું જરૂરી છે. ‘એહકાકુલ હક’, શા માટે લખવામાં આવી? શીઆઓના બુઝુર્ગ આલિમ હસન બિન યુસુફ બિન ઝયનુદ્દીન અલી બિન મોતહ્હરે હિલ્લી કે જે અલ્લામા હિલ્લી તરીકે મશ્હૂર છે(હિ.સ. ૬૪૮ થી હિ.સ. ૭૨૬ સુધી) અલ્લામા હિલ્લીને સુલ્તાન મોહમ્મદ ખુદાબંદ જે સુન્ની હતો, તેણે પોતાની એક પત્નીથી નારાઝ થઇને તેને ૩ તલાક આપી. તેને અલ્લામા હિલ્લીથી મુલાકાત નસીબ થઇ અને શીઆ થઇ ગયો. તે આપનો કદરદાન અને મુરીદ થઇ ગયો. પછી તેણે વિનંતી કરી કે તેના માટે કિતાબ લખવામાં આવે જેમાં તેઓ અકલી અને નકલી દલીલો (કુર્આન અને હદીસ થકી) શીઆ અકાએદને સાબિત કરે. અલ્લામાએ સુલ્તાનની દાવતને કબુલ કરી અને કિતાબ લખી, જેનું નામ છે ‘નહજુલ હક વ કશ્ફુલ સિદ્દીક’.
ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે ઘણી કિતાબોની રદ્દ(જવાબ)માં કિતાબ લખવામાં આવી છે, પરંતુ અલ્લામા હિલ્લીનો મકામ અને મરતબો, તેની અસરાત, ઇસ્લામી દુનિયામાં તેમની કિતાબોની અસાધારણ પ્રસિધ્ધિનાં લીધે,તેમની જીંદગી દરમિયાન કોઇપણને તેમનીકિતાબના જવાબનો મોકો ન આપ્યો, ત્યાં સુધી કે આપની શહાદતના લગભગ ૨૦૦ વર્ષ પછી એક સુન્ની પુર્વાગ્રહી આલિમ ફઝ્લ બિન રોઝબહાન ખંજી શીરાઝી ઇસ્ફહાની કાશાની કે જે શાફઇ મઝહબનો હતો, તેણે ‘નહ્જુલ હક વ કશ્ફુસ્ સિદ્દીક’ની રદ્દમાં કિતાબ ‘ઇબ્તાલુલ નહ્જુલ બાતિલ’ લખી કે જે હિ.સ. ૯૦૯ માં લખવામાં આવી. તેણે પોતાની કિતાબમાં અલ્લામાની પૂરી કિતાબ ‘નહ્જુલ હક વ કશ્ફુસ્ સિદ્દીક’નો ઉલ્લેખ કર્યોે છે અને તેમના લખાણો ઉપર શંકા ઉભી કરી છે. તેની આ વર્તણુંકથી ઘણા બધા શીઆ ઓલમાએ તેનો જવાબ આપ્યો છે. તેમાના એક કાઝી નુરૂલ્લાહ શુસ્તરી(ર.અ.)એ તેના જવાબમાં કિતાબ લખી કે જેનું નામ ‘એહકાકુલ હક વ અઝહાકુલ બાતિલ’ રાખ્યું. આ રીતે કિતાબ એહકાકુલ હકમાં અલ્લામા હિલ્લીની કિતાબ નહજુલ હકનું મૂળ લખાણ, રોઝબહાનની કિતાબ ‘ઇબ્તાલુલ નહ્જુલ બાતિલ’ના મૂળ લખાણોની સાથે આવી છે. કાઝી નુરૂલ્લાહ(અ.ર.) ફઝ્લ બિન રોઝબહાનના મૂળ લખાણોનો જવાબ આપેલ છે.
‘એહકાકુલ હક’ની રીત અને સબક
જેવી રીતે આપણે ઉપર બયાન કર્યુ કે અલ્લામા હિલ્લીની કિતાબની સામે ફઝ્લ બિન રોઝબહાને જવાબ લખ્યો અને તેના જવાબમાં કાઝી નુરૂલ્લાહ(અ.ર.)એ લખ્યું છે, તો આપે રીત એ અપનાવી કે જ્યાં અલ્લામા હિલ્લીના લખાણો બયાન કર્યા છે, તેની આગળ લખ્યું (કાલ મુસન્નેફો રફઅલ્લાહો દરજહૂ) એટલે કે અલ્લામા હિલ્લીએ (અલ્લાહ તેમના દરજ્જાને બુલંદ કરે) અને જ્યારે ફઝ્લ બિન રોઝબહાનના લખાણોને રજૂ કર્યા તો તેના માટે (કાલન્ નાસેબો ખફઝહુલ્લાહો) એટલે કે નાસિબ ફઝ્લ બિન રોઝબહાને કહ્યું કે જેને ખુદા ઝલીલ કરે. ત્યાર પછી પોતાની વાત જણાવતા લખ્યું છે કે ‘અકૂલો’ (હું કહું છું)
આ રીતે આપે પૂરી કિતાબમાં અલ્લામા હિલ્લીની દરેક વાતને સાબિત કરી છે અને ફઝ્લ બિન રોઝબહાનની દરેક બાબત રદ્દ (બાતિલ) કરી છે.
કિતાબ ‘એહકાકુલ હક’ અલ્લામા મજલીસી (અ.ર.)ની નઝરમાં:
અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વારના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં ‘મસાદેરૂલ કેતાબ’ અને ‘તવસીકુલ મસાદેર’ બે લેખો લખ્યા છે, જેમાં આપે એ કિતાબો અને તેના લેખકો તેમજ તેના સંકલનકર્તાઓનો ઉલ્લેખ કર્યો છે, જેનો ‘બેહારૂલ અન્વાર’ લખવામાં ઉપયોગ કર્યો છે. તેથી ‘મસાદેરૂલ કેતાબ’ પાના નંબર ૩૨ ઉપરથી કિતાબ ‘એહકાકુલ હક’ના બારામાં આ રીતે લખ્યું છે:
વ કેતાબો એહકાકુલ હકકે વ કેતાબો મસાએબુન્ નવાસેબે વ કેતાબુસ્ સવારેમિલ મોહ્રકતે ફી દફઇસ્ સવાએકિલ મોહ્રકતે વ ગય્રોહા મિમ્ મોઅલ્લફાતિસ્ સય્યેદિલ્ કાઝી નુરૂલ્લાહ શુસ્તરી રફઅલ્લાહો દરજતહૂ
આ રીતે ‘તવસીકુલ્ મસાદિર્’ના સંદર્ભમાં પાના:૪૧ માં આ રીતે લખ્યું છે:
વસ્ સય્યેદર્ રશીદશ્ શહીદત્ તુસ્તરી હશરહુલ્લાહો મઅશ્ શોહદાઇલ અવ્વલીન બઝલલ્ જહ્દે ફી નુસરતિદ્દીનિલ મુબીને વ રફ્એ શિબ્હીલ મુખાલેફીન વ કોતોબોહૂ મઅરૂફતો લાકિન્ અખઝના અખ્બારહા મિમ્માખઝેહા
આ બંને લખાણો ઉપર ધ્યાન આપવાથી જાણવા મળે છે કે અલ્લામા મજલીસી(અ.ર.)એ બેહારૂલ અન્વારના સંકલનમાં ‘એહકાકુલ હક’ અને કાઝી શહીદની બીજી કિતાબથી ફાયદો ઉપાડ્યો છે. અલબત્તા, બીજા રસ્તાઓથી તેની કિતાબોમાંથી હાસિલ કર્યુ છે. આપના માટે સૈયદુલ અજલ, શહીદ કાઝીયુલ રશીદ જેવા લકબોનો ઉપયોગ કરેલ છે અને દુઆ કરી છે કે ખુદા આપના દરજ્જાઓને બલંદ કરે અને ખુદા આપને અવ્વલ દરજ્જાના શોહદાઓની સાથે ઉઠાવે, કારણકે આપે દીને-મુબીનની મદદમાં અને વિરોધીઓની શંકાઓના જવાબમાં સંઘર્ષ કર્યો છે.
‘એહકાકુલ હક’માં ઇમામ મહદી(અ.સ.)નો ઝિક્ર:
કિતાબ ‘એહકાકુલ હક’ના સંપૂર્ણ પરિચયના માટે કોઇ લેખ નહી, પરંતુ એક વિગતવાર કિતાબ લખવાની જરૂરત છે. તેથી આપણે મજબૂર છીએ કે ફક્ત તેના એ ભાગનો પરિચય આપીએ જેમાં ઇમામે ઝમાના(અ.સ.)નો ઝિક્ર છે, બાકીની બાબતોમાં પરિચય માટે હવે પછી તેનો ઝિક્ર કરીશું.
જેમકે, આપણે ઉપર બયાન જ કર્યુ કે, અલ્લામા હિલ્લીએ સુલ્તાન મોહમ્મદ ખુદાબંદની વિનંતી મૂજબ કિતાબ ‘નહજુલ હક વ કશ્ફુલ સિદ્દીક’ લખી અને તેની ઇચ્છા હતી કે શીઆ અકાએદને અકલી અને નકલી દલીલો (કુર્આન અને હદીસ) મૂજબ રજુઆત કરે, તેથી અલ્લામા હિલ્લીએ કિતાબમાં તૌહીદ, અદ્લ, નબુવ્વત, ઇમામત અને કયામત જેવા મહત્વના અકીદાઓને દલીલ સાથે રજુ કર્યા. કિતાબની શરૂઆત તૌહીદની ચર્ચામાં ‘ઇદરાક’થી કરેલ છે, કે જે એક મહત્વની અને મુશ્કેલ ચર્ચા છે. કિતાબની શરૂઆત આ રીતે કરી છે ‘અલ્ મસ્અલતુલ ઉલા ફીલ ઇદ્રાકે: વ ફીહે મુબાહેસુન: અલ અવ્વલો….’ પહેલી ચર્ચામાં આપે ‘ઇદરાક’નો અર્થ અને મફહુમને બયાન કરેલ છે. રોઝબહાને અલ્લામા હિલ્લીના નઝરીયાને રદ્દ કર્યો અને લખ્યું કે, આ બધુ અશાએરા અને મોઅતઝેલાની દરમિયાન રૂઈય્યતે ખુદા(ખુદાને જોવા)ના બારામાં વિવાદાસ્પદ બાબત છે, અને આ ગિરોહ ઇમામીયાએ તેની પૈરવી કરેલ છે, પછી તેણે અલ્લામાના બયાન કરેલા અર્થ અને મફહુમને રદ્દ કર્યુ છે. શહીદ કાઝી નુરૂલ્લાહ(અ.ર.)એ તેના અલગ અલગ જુમ્લાઓના જવાબ આપેલ છે. દા.ત. લખ્યુ છે કે અલ્લામા હિલ્લીએ પ્રથમ ચર્ચામાં ‘ઇદરાક’ની ચર્ચામાં એહકામે ઇલ્મ જરૂરી વ કસ્બીની સ્પષ્ટતા કરેલ છે. (જો કે રોઝબહાનને સમજમાં ન આવી, તેણે રદ્દ કરેલ છે) તે જ રીતે આપે જવાબ આપ્યો કે ઇમામીયાહ મોઅતઝેલાને અનુસરતા નથી, પરંતુ અઇમ્મા(અ.મુ.સ.)થી સમજણ મેળવે છે.
અલ્લામા હિલ્લીએ ઇમામતની ચર્ચામાં હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની ઇમામતને સાબિત કરવા માટે કુર્આને મજીદની ૮૪ આયતોને નસ્સના સંદર્ભમાં (સાબિતી માટે) રજુ કરેલ છે, જ્યારે કે ફઝલ બિન રોઝબહાને દરેકને બેહુદા નિરર્થક દલીલોથી રદ્દ કરવાની કોશીષ કરી છે. અમે બેહુદા અને બેકાર એટલા માટે લખેલ છે કે શહીદ કાઝી નુરૂલ્લાહ શુસ્તરી(અ.ર.)એ તેને નકામા અને બેહુદા દાવાઓને કાપનારી દલીલો વડે રદ્દ કરેલ છે.
ફરી, અલ્લામા હિલ્લીએ હદીસોના મારફતે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી(અ.સ.)ની ઇમામતને સાબિત કરી છે, તેના અનુસંધાનમાં ૨૮ હદીસો વર્ણવી છે. જે તમામ પ્રકારની કિતાબો(આમ્મા અને ખાસ્સા)માં જોવા મળે છે, પરંતુ રોઝબહાને પોતાની શંકાશિલ વિચારધારાના કારણે આ હદીસોને બનાવટી કરાર દીધી અથવા તો તે હદીસોના ખોટા અર્થઘટન અને ખોટી તાવીલના ઝરીએ તેના અર્થને બીજા મફહુમ ઉપર બંધબેસતી કરી છે. ખુલાસો એ છે કે ૨૮ હદીસો ઇસ્નાઅશર ખલીફાવાળી હદીસો છે. આ હદીસ પર રોઝબહાનની રદ્દ અને અમે કાઝી નુરૂલ્લાહના જવાબને બયાન કરીશું. અલ્લામા હિલ્લીનું બયાન આ મુજબ છે.
વ અમ્મસ સનતો: ફલ્ અખ્બારિલ મુતવાતેરતિન અલન્ નબીય્યે સલ્લલ્લાહો અલય્હે વ આલેહીદ્ દાલ્લતો અલા ઇમામતેહી હેય અક્સરો મિન્ અન્ તુહસા કદ્ સનોફલ્ જમહૂરે વ અસ્હાબેના ફી ઝાલેક વ અકસરૂ વલનકતસેરો હાહોના અલલ્ કલીલે ફઇન્નલ કસીર ગય્ર મુતનાહિન્ વહેય અખ્બારો: અલ અવ્વલો
અને જ્યાં સુધી સુન્નત એટલે કે હદીસોની વાત છે, તો નબી(સ.અ.વ.)થી મુતવાતિર હદીસો અલી(અ.સ.)ની ઇમામત ઉપર દલાલત કરે છે, તે એટલા પ્રમાણમાં છે કે તેની ગણતરી થઇ શકે તેમ તથી. બેશક! જમ્હૂર(વધારે પડતા લોકોએ) અને અમારા અસ્હાબો(શીઆ)એ તેમાંથી લખેલ છે. આ હદીસોઘણી વધારે છે. આપણે તેમાંથી થોડી હદીસોને પુરતી માનીશું, કેમકે તે ઘણું બધું લંબાણપૂર્વક અને વધારે છે. તે હદીસો આ પ્રમાણે છે: ૧. હદીસે ઇત્તેહાદિલ નૂરય્ને ૨. હદીસુદ્દાર
અસ્સામેનો વલ્ ઇશ્રૂન: ફી સહીહ મુસ્લેમે વલ્ બુખારી ફી મવઝેઅય્ને બે તરીકય્ને અન્ જાબેરિન વબ્ને અયીનતે કાલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી લા યઝાલો અમરન્નાસો માઝેયમ્ મા વલીહિમ્ ઇસ્ના અશર ખલીફતન્ કુલ્લોહુમ્ મિન કુરૈશિન્ વ ફી રિવાયતે અનિન્ નબીય્યે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી લા યઝાલો અમરલ્ ઇસ્લામે અઝીઝન્ એલા ઇસ્ના અશર ખલીફતન્ કુલ્લોહુમ મિન કુરયશ્ વ ફી સહીહ મુસ્લેમે અયઝન્ લા યઝાલુદ્દીન કાએમન્ હત્તા તકૂમુસ્સાઅતો વ યકૂનો અલયહિમ્ ઇસ્ના અશર ખલીફતન્ કુલ્લોહુમ મિન્ કુરૈશિન વ ફીલ્ જમઅ બય્નસ્ સેહાહે સિત્તત ફી મવઝેઅય્ને કાલ રસૂલુલ્લાહ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી હાઝલ્ અમ્રો લા યુન્કઝા હત્તા યમ્ઝા ફીહિમ્ ઇસ્ના અશર ખલીફતિન્ કુલ્લોહુમ્ મિન્ કુરૈશિન્ વ કઝા ફી સહીહ અબી દાઉદે વ જમીઅ બય્નસ્ સેહાહિસ્ સિત્તતે વ કદ્ ઝકરસ્ સદા ફી તફસીરતે વ કદ્ ઝકરસ સદા ફી તફસીરેહી વહોવ મિન્ ઓલમાઇલ્ જમહૂરે વ સકાતહુમ્ કાલ લમ્મા કરેહત્ સારતો મકાન હાજેરો અવ્હલ્લાહો એલા ઇબ્રાહીમ્ ફકાલ અન્તક બેઇસ્માઇલ વ ઉમ્મેહી હત્તા તન્ઝલહૂ બય્તન્ નબીય્યીત્ તહામી યઅ્ની મકકતો ફ ઇન્ની નાશેરો ઝર્યતોક વ જાએલોહુમ્ સકલન્ અલા મન્ કફર બી વ જાએલો મિનહુમ્ નબીયન્ અઝીમન્ વ મઝહેરહૂ અલલ્ અદ્યાને વ જાએલો મિન્ ઝુર્રીય્યતેહિસ્ના અશર અઝીમન્ વ જાએલો ઝુર્રીય્યતેહી અદદ નોજુમસ્ સમાએ વ કદ્ દલ્લત હાઝેહીલ્ અખ્બાર અલા ઇમામતે ઇસ્ના અશર ઇમામન મિન ઝુર્રીય્યતે મોહમ્મદિન સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વલા કાબેલો બિલ્ હસરે ઇલ્લલ્ ઇમામિય્યતે ફી મઅ્સૂમીન વલ્ અખ્બારે ફી ઝાલેક અકસરો અન્ તુહસા ‘ઇન્તહા’
સહીહ મુસ્લીમ અને બુખારીમાં બે જગ્યાએ બે રીતોથી જાબીર અને ઇબ્ને અય્નીય્યહથી વર્ણવવામાં આવ્યું છે કે રસૂલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું છે: લોકોનો દીન (અમ્ર) આ જ રીતે ચાલતો રહેશે, ત્યાં સુધી કે ૧૨ ખલીફાઓ તેમના વલી થશે, તે તમામ કુરૈશમાંથી હશે. બીજી એક રિવાયતમાં નબી(સ.અ.વ.)થી વારિદ થયેલ છે: ઇસ્લામ હંમેશા મજબૂત અને માનનિય રહેશે, ત્યાં સુધી કે ૧૨ ખલીફા થશે અને તે તમામ કુરૈશમાંથી હશે અને સહીહ મુસ્લીમમાં આ રીતે આવ્યું છે: દીન હંમેશા કાએમ રહેશે, ત્યાં સુધી કે કયામત આવી જશે અને લોકો ઉપર ૧૨ ખલીફા થશે અને તે બધા જ કુરૈશમાંથી હશે અને ‘અલ જમ્ઓ બયનસ્ સેહાહે સિત્તહ’માં બે જગ્યાઓ ઉપર નોંધવામાં આવ્યું છે: રસૂલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું છે: આ અમ્ર(દીન) બેશક! ખત્મ નહીં થાય, ત્યાં સુધી કે તેમા ૧૨ ખલીફા આવી ન જાય અને તે બધા જ કુરૈશમાંથી હશે, અને આ જ રીતે સહીહે અબી દાઉદ અને અલ જમ્ઓ બય્નસ્ સહીહૈનમાં લખેલું છે કે, સદયએ પોતાની તફસીરમાં વર્ણવ્યું છે, અને તે ઓલમાએ જમ્હૂરમાંથી છે, અને તેમાં મોઅતબર છે, કહે છે: જ્યારે સારાએ હાજરાની મન્ઝેલતને પસંદ ન કરી, તો અલ્લાહે હઝરત ઇબ્રાહીમ ખલીલુલ્લાહ પર વહી નાઝિલ કરી કે, ઇસ્માઇલ(અ.સ.) અને તેમની વાલેદાને લઇને મારા ઘર મક્કા સુધી મુકી આવો, કે હું તેમના વંશને આસમાનના સિતારાઓની બરાબર ફેલાવનાર છું, અને તેઓને તે લોકોની દરમિયાન પ્રતિષ્ઠિત અને માનવંત બનાવીશ, જેઓ તેમને જુઠલાવે છે.
બેશક! આ હદીસ હઝરત મોહંમદ(સ.અ.વ.)ના વંશમાંથી ૧૨ ઇમામો હોવાની દલાલત કરે છે અને આ હદીસો ફક્ત ઇમામીય્યાહ ફિરકાના ૧૨ મઅસૂમ ઇમામોથી વર્ણવવા પૂરતી સિમિત નથી, આ સિલસિલામાં રિવાયતો ગણતરીથી વધારે એટલે ખૂબ વધારે છે.
કાલન્ નાસેબો ખફઝહુલ્લાહો (ફઝલ ઇબ્ને રોઝબહાન, અલ્લાહ તેને પસ્ત અને ઝલીલ કરે) તેણે કહ્યું છે, એટલે કે તેણે અલ્લામા હિલ્લીના ઉપરોક્ત બાબત ઉપર ટીકા-ટીપ્પણ કરવાનું શરૂ કર્યુ અને લખ્યું છે કે હું કહું છું. ફઝલ બિન રોઝબહાને અલ્લામા હિલ્લીના લખાણો પર આ રીતે એઅતેરાઝ કર્યા છે:
કુરૈશમાંથી બાર ખલીફાના બારામાં હદીસોમાં જે કાંઇ વારિદ થયું છે, જાબિર બિન સમરાહથી નકલ થયેલી રિવાયત સહીહ છે, પરંતુ ઇબ્ને અયનીયાહ (ઇબ્ને કસીરે ‘બદાયા વ નહાયા’ ભાગ-૬, પાના:૨૪૮, તબઉસ્સઆદત, મિસ્રમાં, સહીહ બુખારી અને સહીહએ હદીસે ઇસ્નાઅશર ખલીફાને સુફયાના બિન અયનીયાહના હવાલાથી નકલ કર્યુ છે) ન તો સહાબી છે, ન તો તાબેઇન છે બલ્કે શક્ય છે કે રાવીઓના સિલ સિલસિલામાં કોઇ હોય. તેણે (અલ્લામા હિલ્લીને) ઇબ્ને હદીસ અને ઇલ્મે અસનાદની મઅરેફત ન હોવાના કારણે તેમણે ઇબ્ને અયનીયાહ અને જાબિરને રિવાયત કરવામાં એક સમાન દરજ્જે બતાવ્યા. પછી ઇશ્ના અશર ખલીફા ગણતરીના બારામાં જે કાંઇ ઝિક્ર કર્યુ છે, તો તેમા ઓલમાઓએ તેના અર્થમાં ઇખ્તેલાફ કર્યો છે. તેમાંથી કેટલાક કહે છે, રસૂલ(સ.અ.વ.) પછી ખલીફાઓ છે, તે ૧૨ છે, અને તે ૩૦૦ વર્ષ સુધી હુકુમત કરશે, અને તેના પછી ફિત્નાઓ બરપા થશે અને આ અર્થ છે….કુરૈશના બાર ખલીફાઓની ખિલાફત દરમિયાન દીનના અમ્રને મજબુત અને માનનીય હોવાનું.
અને કેટલાકનું માનવું છે કે, કુરૈશમાંથી બાર ખોલફાએ સાલેહીનની ગણતરી આ રીતે છે: ખોલફાએ રાશેદીન જે પાંચ છે અને અબ્દુલ્લાહ બિન ઝુબૈર અને ઉમર બિન અબ્દુલ અઝીઝ અને પાંચ બની અબ્બાસના ખલીફાઓ, બસ આ ઇશારો છે, કુરૈશ ના ખલીફામાં સોલહા(નેક)ની તરફ અને જ્યાં સુધી વાત છેઆ હદીસનું અઇમ્મએ ઇશ્ના અશર ઇમામો ઉપર બંધબેસતી કરવાનું તો તેનાથી મુરાદ મઅરેફત અને ઇલ્મની ખિલાફત અને વિરાસત અને હુજ્જત અને નબુવ્વતના મન્સબનું જાહેર કરવું અને સંપૂર્ણ રીતે કાએમ રાખવું છે. તેથી આ અર્થને સહીહ અને જાએઝ કરાર આપવામાં કોઇ રૂકાવટ નથી, પરંતુ આ અર્થ હસન(સારૂં) છે, અને તેમના માટે સંપૂર્ણ નેતૃત્વ અને મહાન હુકુમતનો ખ્યાલ કરવો તે બરાબર નથી, કેમકે બારમાં બે વ્યક્તિ સંપૂર્ણ નેતૃત્વ કરનારા હતા, અને તે અલી અને હસન, જેમનાથી અલ્લાહ રાઝી છે, અને બાકીનાઓ માટે ક્યારેય સંપૂર્ણ નેતૃત્વનું રક્ષણ થયુ નથી, ભલે પછી દુશ્મનો કહે છે: ‘તે લોકો ખલીફા હતા. લોકોએ તેમને તેમના હકથી રોકી દીધા.’ હું (રોઝબહાન) કબુલ કરૂ છું કે, તેઓ હરગીઝ ખોલફા બિલ ફેઅલ નથી, પરંતુ બિલ કુવ્વહ અને બિલ ઇસ્તેહકાક તેઓ ખલીફા છે, અને હદીસના અર્થમાં તે ખલીફાઓ છે અને કાએમ છે હુકુમત અને વિલાયતની સાથે. નહીતર તેમની ખિલાફતમાં દીનને કાએમ થવાની વાતનો શું ફાયદો છે? આ જાહેરી અર્થ છે. વલ્લાહો અઅ્લમ્
પછી જે કાંઇ હઝરત અલી(અ.સ.)ની શાનમાં ખિલાફતની નસ્સના સંદર્ભે આયતો અને હદીસો વર્ણવી છે, અને તેની બુનિયાદ ઉપર સાબિતિઓ આપેલી છે. તો હું જાણું છું કે તેમાંથી મોટા ભાગના દાવાથી ઘણું દૂર છે અને તેની નસ્સ અને દાવેદારના દાવામાં હકીકતમાં કોઇ નિસ્બત જ નથી અને આ નિસ્બત ખિલાફતને સ્થાપિત કરવામાં બરાબર નથી. હકીકતે હું જાણું છું કે આ આયતો અને રિવાયતો નસ્સ પર દલાલત નથી કરતી. આ બધુતેમના દાવાને સાબિત નથી કરતુ. તો પછી આ કૌલનો શું ફાયદો: વલ્ અખ્બારો ફી ઝાલેક અક્સરો મિન્ અન્ તુહસા (રિવાયતો આ સિલસિલામાં ગણતરીથી ખુબ વધારે છે)?
કાઝી નુરૂલ્લાહ શુસ્તરી(અ.ર.)નો જવાબ:
અમે અહીં શહીદ કાઝી(ર.અ.)ના જવાબનો ખુલાસો વર્ણવીએ છીએ.  રોઝબહાનની ધિક્કારપાત્ર શિખામણો અને હુમલાઓ ઉપર ધ્યાન દેવાથી નીચેના મુદ્દાઓ સામે ઉભરી આવે છે.
૧. તેનું કહેવું છે કે, જાબિર ઇબ્ને સમરા અને ઇબ્ને અયનીયાહ ભરોસાપાત્ર અને એક દરજ્જાના રાવી નથી. તો તેનો તે એઅ્તેરાઝ રદ્દ કરવાને પાત્ર છે, કારણકે અલ્લામા હિલ્લીએ તેઓને ભરોસાપાત્ર એટલે કે તે બંને એક સમાન બરાબરના સહાબી અને પયગંબર(સ.અ.વ.)થી હદીસ નકલ કરનાર હતા તેમ ગણ્યા છે પણ સમાન નથી ગણ્યા. નાસિબ(રોઝબહાને) આમ મતલબ બયાન કરેલ છે. જ્યારે કે ઇબ્ને અયનીયાહએ જે હદીસ બયાન કરી છે, તે મુન્કતઅ છે. (મુન્કતઅ એટલે એ હદીસ કે જેના વચ્ચેના રાવીઓની વિગત દર્શાવી ન હોય)અને તેનાથી ઉલ્ટુ જાબિરની હદીસ મુત્તસિલ છે. (મુત્તસિલ એટલે જે હદીસ સીધી જ રસુલ(સ.અ.વ.)થી વર્ણવવામાં આવી હોય એટલે કે તેના રાવીએ પયગંબર(સ.અ.વ.)થી સાંભળેલ છે.)
૨. તેનું આમ કહેવું છે કે, હદીસની તાવીલમાં અસ્લાફથી મુરાદ કેટલાક મહાન ઘમંડીઓ સ્વીકાર્ય છે, તો આ વાતથી કોઇ અકલમંદ મોઅમીન રાજી ન થાય. ત્રણેય ખલીફાઓના ફસાદથી આપણે માહિતગાર છીએ.
બળવાખોર અને ‘આવી’(હુમ્લો કરનાર, ભસનાર, કુતરાઓને ચીડવનાર) મોઆવીયા તથા શરાબી, વલદુઝ્ઝીના યઝીદ કે જે ઇમામ હુસૈન(અ.સ.)નો કાતિલ, જેણેમદીનામાં અસ્હાબોની કત્લે આમ કરાવી અને તેમની ઔરતોને હલાલ કરી, તથા વલીદ બિન યઝીદ ઇબ્ને અબ્દુલ મલિક, નાસ્તીક અને મુરતદ જેણે કુઆન મજીદ પર હુમ્લો કર્યો, તેને ફેંકી દીધુ અને તેના ઉપર તીરો વરસાવ્યા અને એ પ્રકારના ખલીફાઓ અને દીનના ઇમામો, જેના લીધે ઇસ્લામ મજબુત અને માનવંત હોવાનો ખ્યાલ રોઝબહાને રજુ કરેલ છે, આ એ વાતો છે જે મુસલમાનોની ઝબાન ઉપર કદી નથી આવતી.
મોઆવીયામાં ઐબદાર છે, આપણે બતાવીશુ કે ખુદ દુશ્મનોએ મોઆવીયાને ખલીફા નહી, પરંતુ ઇસ્લામી બાદશાહ તરીકે દર્શાવ્યો છે. બાદશાહ પોતાના કાર્યોમાં ઐબથી ખાલી નથી, તો પછી કઇ રીતે નાસિબ રોઝબહાનની નઝદિક આ તાવીલ સહીહ બનશે જેને ખુદ પોતે જકબુલ કરેલ છે? તે જ રીતે ખોલફાએ દીનના નજરીયા મૂજબ દીનના એહકામને ખાસ કરીને શાફેઇનની નજદીક ૩૦૦ વર્ષ પછી આજનાં ઝમાના સુધી નકામું(મુઅતલ) થવું જોઇએ.
૩. રોઝબહાને જે તાવીલ રજુ કરી છે, તે રદ્દને પાત્ર છે, કેમ કે અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરને મોટા ખલીફાના સલાહકારમાં શુમાર કરેલ છે. હકીકતમાં આ શખ્સ જંગે જમલમાં બળવાખોરની સાથે અને મુહાજેરીનની સાથે એહલેબૈત(અ.મુ.સ.)ની સાથે દુશ્મનીમાં આગળ હતો. જેમ કે ‘ઇસ્તેયાબ’ના લેખક લખે છે કે, “બેશક! (અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર અડચણરૂપ હતો અને તે ખિલાફતના માટે લાયક ન હતો, કારણકે તે કંજુસ, સખ્ત બદબુદાર, બદ્ અખ્લાક અને સખત હસદખોર હતો. તેણે મોહમ્મદ બિન હનફીયાને દરબદર કરી દીધા હતા અને અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસને તાએફ જવાથી રોકી દીધા હતા. હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)એ ફરમાવ્યું: ઝુબૈર હંમેશા અમો એહલેબૈત (અ.મુ.સ.)ની સાથે હતા, ત્યાં સુધી કે અબ્દુલ્લાહ જુવાન થઇ ગયો. (અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર ખુદ તો જહન્નમી થયો પરંતુ પોતાના બાપને પણ જહન્નમમાં લઇ ગયો)
અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરનો ફસાદ જાહેર છે કે, તે ક્યારેય પોતાના ખરાબ કાર્યોથી પસ્તાયો નહીં અને  એહલેબૈત(અ.મુ.સ.)ની દુશ્મનાવટ પર બાકી રહ્યો. ‘કશફુલ ગુમ્માહ’ના લેખક લખે છે કે તે પોતાની બાતિલ ખિલાફતના ઝમાનામાં પયગંબર(સ.અ.વ.) ઉપર તેના ખુત્બાઓમાં સલવાત મોકલતો ન હતો. કહેવામાં આવે છે કે જ્યારે રસુલે ખુદા(સ.અ.વ.) અને એહલેબૈત(અ.મુ.સ.)નો ઝિક્ર થતો તો ઘમંડથી મોઢું ચડાવતો.
આ રીતે આ વાત પણ તવજ્જોહ આપવા જેવી છે કે રિવાયતથી જાણવા મળે છે કે તમામ ખલીફાઓનું એક પછી એક હોવું જરૂરી છે, પરંતુ રોઝબહાનની મુર્ખાઇ કરેલી વાતથી ખ્યાલ આવે છે કે, બે સાલેહ ખલીફાની વચ્ચેનો ઝમાનો ખલીફાથી ખાલી હશે.
૪. રોઝબહાનના સવાલ અને જવાબ જે રદ્દ કરવાના સ્વરૂપમાં તેણે કરેલ છે, તે રદ્દ થવા પાત્ર છે, કેમકે ખિલાફત અને ઇમામત નબીની નિયાબતમાં દીન અને દુનિયાના કાનૂનોમાંએક ઉમુમી રીયાસત છે અને તેની કાર્ય પ્રણાલી, અસ્તિત્વ અને હકીકતનસ્સ અને તઅય્યુનના માધ્યમના જરીએ છે ન કે શાસકીય છે, નહી કે કોઇ હુકમના લાગુ પડવાથી અને ઉમૂરમાં તસર્રૂફનો ફાયદો ઉઠાવીને. જો કે ખલીફાની હકીકત જે તેણે દર્શાવી છે, તેનાથી જરૂરી જણાય છે કે અબુબક્ર અરબોમાં ઝકાત અદા ન કરવાની હાલતમાં ખલીફા ન બની શકે અને ઉસ્માન પોતાના સગાવાદને લીધે ખલીફા ન થઇ શકે. તે જ રીતે હઝરત અલી(અ.સ.) ત્રણ ખલીફાઓના ગલબાના સમયમાં ખલીફા ન થઇ શક્યા. જ્યારે કે એવું નથી, પરંતુ ખલીફા અને ઇમામ અલ્લાહ તરફથી મુકર્રર થાય છે અને અલ્લાહના રસૂલની તરફથી હોય છે, ભલે પછી ચાહે ઉમ્મતના કેટલાક ઇખ્તેયારથી દૂર રાખવામાં આવે. જેમ કે સુન્ની કહે છે, ખલીફા અને ઇમામ બિલ્ ફેઅ્લ હોય છે, જ્યારે કે ઉમૂરમાં ઇખ્તેયાર (સત્તા) નથી ધરાવતા. જેમ કે નબી (સ.અ.વ.) એ પોતાના નવાસાઓના બારામાં ફરમાવ્યું: “મારા આ બંને ફરઝંદો ઇમામ છે, ચાહે તે કયામ કરે યા ખામોશ રહે. શહીદ કાઝી(ર.અ.)એ કશફુલ ગુમ્માહ કિતાબના હવાલાથી વિશેષમાં લખેલ છે કે અલ્લાહ તબારક વ તઆલાએ જે લોકોને ખિલાફત અને મન્સબ માટે નક્કી કરી લીધા છે, તેના ઉપર બીજાઓને ફઝીલત આપી શકાતી નથી. અંબીયા(અ.મુ.સ.)ની નબુવ્વતને જુઠલાવવાથી ન તો તેની નબુવ્વત ઉપર અસર પડે છે, ન તેમાં શક પૈદા થઇ શકે છે, અને ન તો તેમની બુરાઇ કરવાવાળાની બુરાઇથી તેમના ચહેરાઓ ખરાબ થાય છે અને ન તો દુશ્મનોની દુશ્મનાવટને લીધે તેમની શરાફતમાં કોઇ ઘટાડો થાય છે. ઇમામ(અ.સ.) ફરમાવે છે: મોઅમિનના મરતબામાં કોઇ ઘટાડો થતો નથી, જ્યારે તે મઝલુમ હોય. તે પોતાના દીનમાં શંકા નથી કરતો, ન તો તેના યકીનમાં કમી આવે છે.
નાસીબ રોઝબહાનનું કેહવું કે: સોલેમત ઇન્નહુમ લમ્ યકુનૂ ખોલફાઅ બિલ્ ફેઅ્લે બિલ્ કુવ્વતે…..(હું કુબલ કરૂં છું, તે લોકો બિલ ફેઅલ ખલીફા નથી હોતા, કુવ્વતના લીધે હોય) વધારે ભૂલ કરાવનારી છે અને તેની આ વાતમાં બેવકુફ અને બાળકો સિવાય કોઇ તેના ફરેબમાં આવી ન શકે.
અને રોઝબહાનનું આ કહેવું: ફમલ્ ફાએદતો ફી ખિલાફતેહિમ્ ફ મદ્ફૂઓ….. આ સિલસિલામાં અફઝલુલ મોહક્કેકિન ખ્વાજા નસીરૂદ્દીન તુસી(અ.ર.)એ પોતાની કિતાબ ‘અલ્-તજ્દીદ’માં લખ્યું છે કે, તેમનું અસ્તિત્વ લુત્ફ છે, તેમની સત્તા લુત્ફ છે અને તેમનું ગાએબ થવું આપણા લીધે છે. ઇમામનું વુજુદ લુત્ફ છે, ભલે પછી તે હુકૂમત કરે યા ન કરે. હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.) ફરમાવે છે કે: જમીન હઝરતે કાએમ(અ.સ.)થી ખાલી નહીં રહે, તે ખુદાની હુજ્જત છે, ચાહે તે જાહેર અને મશ્હૂદ હોય અથવા છુપી અને ગાએબ હોય. જેથી અલ્લાહની હુજ્જતો અને તેની નિશાનીઓ બાતિલ ન થાય, તેથી ઇમામ હુસૈન(અ.સ.) મઅસૂમ ઇમામ છે અને અલ્લાહ સુબ્હાનહૂ તઆલાની તરફથી મખ્લૂકના માટે લુત્ફે અઝીમ છે,આ રીતે જનાબે ઝકરીયા અને જનાબે યહ્યા(અ.સ.) બંનેઅલ્લાહતરફથી તેની ખિલ્કત ઉપર લુત્ફ હતા. લોકોએ આપને કત્લ કરીનેગુમરાહીને હિદાયત ઉપર અગ્રતા આપી. અલ્લઝીનશ્તરવુઝ્ ઝલાલત બિલ્ હોદા, ફમા રબેહત્ તિજારતોહુમ્ વમા કાનુ મુહતદીન(સુરએ બકરહ: આયત૧૬). આ રીતે હઝરત નૂહ(અ.સ.) અને બીજા અંબીયા(અ.મુ.સ.) અને અઇમ્માહ (અ.મુ.સ.)ના વાકેઆતમાં જોવા મળે છે.
૫. રોઝબહાનનો આ એઅતેરાઝ અને રદ્દ, અલ્લામા હિલ્લીએ નકલ કરેલ એ આયતો અને રિવાયતો ઉપર કે જેના લીધે તેમણે ખીલાફતના વુજુદ અને નસ્સને સાબિત કરવાનો ઇરાદો કર્યો છે, આ સાબિતી તેના દાવાના માટે યોગ્ય નથી. શહીદ કાઝી(ર.અ.) ફરમાવે છે કે રોઝબહાનની આ શંકાઓ રદ્દને પાત્ર છે, એટલા માટે કે અલ્લામા હિલ્લી(ર.અ.) એ હઝરત અલી(અ.સ.)ની ખિલાફતની દલીલો ફક્ત રિવાયતો પૂરતી સિમિત નથી કરી, પરંતુ તેના ઉપરાંત તેમની ઇસ્મત અને અફઝલીય્યત ઉપર જે નુસૂસ મવજુદ છે અને જે ફઝીલતો ઇમામ અલી (અ.સ.)માં છે, તે તેમના સિવાય બીજા કોઇમાં હરગીઝ જોવા નથી મળતી. આ તમામ આયાત અને રિવાયાતને અમે તેની જગ્યા ઉપર બયાન કરેલ છે.
રોઝબહાને અલ્લામા હિલ્લીના મકસદોને યા તો સમજ્યા નથી અથવા તો જાણી બુઝીને લોકોમાં આ પ્રકારની વાતોનો ફેલાવો કરીને પોતાના જાનવર અસ્હાબની તરસને ગુમરાહી ભરેલી વાતોથી તૃપ્ત કરવા ચાહે છે.
નાસિબ રોઝબહાન અને તેના સાથીદારો જેમણે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ની બિલા ફસ્લ ખિલાફતનો ઇન્કાર કર્યો અને આપની ઝુર્રીયતમાંથી અઇમ્મા(અ.મુ.સ.) ને રદ્દ કર્યા અને આપ હઝરત(અ.ત.ફ.શ.)ના ઝરીએ ખુદા તેનાથી ઇન્તેકામ લેય અને શહીદ કાઝી નુરૂલ્લાહ શુસ્તરી(નુરૂલ્લાહો મરકદહૂ) અને તમામ ખુદાની રાહમાં શહીદ થનાર શોહદાના ખુનનો ઇન્તેકામ લેય.

ઇશ્નાઅશર ખલીફાની હદીસના સિલસિલામાં વધારે જાણકારી માટે અગાઉના ‘અલ-મુન્તઝર’ અંકોનો અભ્યાસ કરવો. ઉપરાંત ‘મુલ્હકાતે એહકાકુલ હક્ક’ ભાગ-૧૩ લેખક અલ્લામા આયતુલ્લાહ સૈયદ શહાબુદ્દીન મરઅશીનો અભ્યાસ કરવો.
એ તાલિબે ઇલ્મ અને જવાન કે જે દીને મુબીને ઇસ્લામની બકા અને તેની તહેઝીબનો ફેલાવો કરવાની તરફ પ્રયત્નશીલ છે, ખાસ કરીને લેખક તેમનાથી દુઆગીર છેકે એકાફેલાજેએક પછી એક શહીદે સાલિસ(ર.અ.)ની ઝિયારતના હેતુથી આપની કબ્રે મુબારક પાસે જાય છે, અને દુઆ માંગે છે, તેઓ રાહે ખુદામાં શહીદની અઝમત અને બુઝુર્ગીની ક્ષિતિજોને કાફલામાં શરીક તાલિબે ઇલ્મો અને જવાનો દરમિયાન એ રીતે બયાન કરે કે કેટલાક ગૃપ બનાવી લે અને એ રીતે બયાન કરે કે તેના દિલોમાં આ હકીકી ચિરાગો રૌશન કરી દે.
ઇલ્મ કી શમ્એ રાહે હકમેં જલા દે યા રબ
રૌશની હર્ફ કે દામન મેં સજા દે યા રબ
ખુદાયા ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહૂરમાં જલ્દી કર અને અલ્લાહની રાહમાં શહીદ થનારાના ખુનનો ઇન્તેકામ લેય. (આમીન)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *