આલે મોહમ્મદ અલયહેમુસ્સલામના અખ્લાક મરસીયાખ્વાન મીર અનીસની રોશનીમાં

Print Friendly, PDF & Email

મીર બબર અલી અનીસ અઅલલ્લાહો મકામહૂના અશઆર અને તેમના મરસીયાના સબંધમાં તેમના સમયથી લઇને આજ સુધી ઘણું બધુ લખાઇ ચુક્યુ છે. મીર અનીસે પોતાના મરસીયામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક ઉપર કેટલો પ્રકાશ પાડ્યો છે અને તેમને તેમાં કેટલી સફળતા મળી છે, તેનો ખરેખર ખ્યાલ તેજ સમયે મળી શકે છે જ્યારે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક માનવતાની સીમામાં રહીને અમુક હદે નક્કી કરીએ. પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાકની હદ નક્કી કરતા પહેલા આ બાબત ઘણી જરૂરી છે કે અખ્લાકની વ્યાખ્યા તેની વિસ્તૃતતા, ઉસુલ અને પાયાનું ઓછામાં ઓછું થોડું જ્ઞાન આ માટીથી બનેલા ઇન્સાનના દીમાગમાં અસ્તિત્વમાં હોય, જેથી હવે પછી આવનારા પરિણામો સમજવામાં (પ્રાપ્ત કરવામાં) વધારે તકલીફ ના થાય.

સમય, સંજોગ, ઝીંદગી જીવવાની રીતભાત અને સંસ્કૃતિની અસર અખ્લાકની સ્થાપના પર ખુબ જ પ્રભાવશાળી હોય છે. આ બાબત સ્પષ્ટ છે કે ઇન્સાનોની જાતી આપસમાં એકબીજાની મદદની મોહતાજ છે અને મદદ અથવા સહાયતા સમાજના વગર શક્ય નથી અને આજ સમાજની રહેણી-કરણી, રીત-ભાતને સંસ્કૃતિ અથવા સમાજના સંસ્કાર કહેવાય છે. શક્ય છે કે કોઇ ખાસ સંસ્કૃતિમાં જે અખ્લાકી મૂલ્યો નકકી હોય પરંતુ તે બીજી જગ્યાઓ અને સંસ્કૃતિમાં અખ્લાકની હદોથી બહાર હોય, પરંતુ મૂળભૂત રીતે બન્નેનો સામન્ય મુદ્દો એક સારી સંસ્કૃતિ અને ભ્રષ્ટતા વિહોણી સમાજની રચના છે.

પયગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.) ઇરશાદ ફરમાવે છે:

“બોઇસ્તો લેઓતમ્મેમ મકારેમલ અખ્લાક

મને એટલા માટે નબી બનાવીને મોકલવામાં આવ્યો છે કે સારા અખ્લાકની તાઅલીમ આપુ અને શ્રેષ્ઠ અખ્લાકનું દ્રષ્ટાંત રજુ કરૂ

કુરઆને પણ આ બારામાં આ રીતે જાહેરાત કરી છે.

“વ ઇન્નક લ અલા ખોલોકિન અઝીમ

અને બેશક (અય પયગમ્બર) તમે અખ્લાકના શ્રેષ્ઠ સ્થાન પર છો

મીર અનીસના મરસીયામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાકના ક્યા ક્યા દ્રષ્ટિકોણને રજુ કરવામાં આવ્યા છે અને તેમાં અનીસને ક્યાં સુધી સફળતા મળી છે, તેના બારામાં અમે અહીંયા અમુક શિર્ષકો હેઠળ અનીસના કલામના અવતરણોને રજુ કરીએ છીએ.

(૧) અમલમાં દ્રઢતા:

અમલમાં દ્રઢતા સારા અખ્લાકની ઊંચાઇનો અરીસો છે. આલે મોહમ્મદ(અ.મુ.સ.)એ હકક અને બાતિલના મયદાનમાં, જે હકનો રસ્તો અપનાવ્યો હતો, મુસીબતો અને તકલીફોમાં પણ તેમના અમલમાં દ્રઢતામાં જરા પણ ફેરફાર, ઢીલાશ જોવા નથી મળતી. ઇમામ હુસૈન(અ.સ.) ત્રણ દિવસથી પ્યાસા છે, બધાં જ મદદગારો અને સગાસબંધીઓ શહીદ થઇ ચુક્યા છે અને પોતે જંગના મયદાનમાં આવે છે. સખત સુરજના તાપના કારણે ચેહરો કરમાઇ ગયો છે. પ્યાસની સખ્તીના કારણે ઝબાનમાં કાંટા પડી ગયા છે. પ્યાસનું બુઝાવવું અને પોતાની જાનને બચાવી લેવુ તે યઝીદની બય્અત કરી લેવાના ઉપર આધાર રાખે છે. પરંતુ ઇમામ હુસૈન(અ.સ.)નું બયઅતથી ઇન્કાર કરી દેવું તે તેમની અમલમાં દ્રઢતા બતાવે છે.

અનીસ આ સ્થાન પર ફરમાવે છે:

કેહતા થા ઇબ્ને સઅદ કે એ આસમાઁ જનાબ

બયઅત જો કીજે અબ ભી તો હાઝિર હે જામે આબ

ફરમાતે થે હુસૈન(અ.સ.) કે એ ખાનમાને ખરાબ

દરિયોકો ખાક જાનતે હય ઇબ્ને બુ તુરાબ

ફાસિક હય પાસ કુછ તુજે ઇસ્લામ કા નહીં

આબ બકા હો યે તો મેરે કામ કા નહીં

(૨) સારો વ્યવહાર:

આલે મોહમ્મદ(અ.મુ.સ.) સારા વ્યવહારમાં સૌથી ઉંચાઇનું સ્થાન ધરાવે છે. અને તેમનો આ વ્યવહાર કોઇ એકના માટે ખાસ નહોતો પરંતુ બધા જ માટે હતો. અનીસે ઘણા મૌકા પર આના નમુના પેશ કર્યા છે.

ઇમામે હુસૈન(અ.સ.) જ્યારે પોતાન વતનવાળાથી વિદાય થવા લાગ્યા તો દરેક વ્યક્તિ અમુક અંતર સુધી તેમના સાથે આવવા ઇચ્છતા હતા. પરંતુ ઇમામે હુસૈન(અ.સ.) આ ખ્યાલથી કે તેમના વતનના લોકોને તકલીફ થશે તેમને રોકતા રહ્યા.

કસમેં ઉન્હે દે દે કે કહા શેહને કે જાઓ

તકલીફ તુમ્હે હોતી હય અબ સાથ ના આઓ

અલ્લાહકો સોંપા તુમ્હે આંસુ ના બહાઓ

ફિરને કે નહીં, હમસે બસ અબ હાથ ઉઠાવો

ઇસ બેકસ વ તન્હા કી ખબર પુછતે રેહના

યારો મેરી સુગરાકી ખબર પુછતે રેહના

(૩) સખાવત/ઉદારતા:

આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની ઉદારતાથી ઇતિહાસ ભરેલો છે. તેના માટે કુરઆન પણ ગવાહી આપે છે. પોતે ભુખ્યા રહ્યા પરંતુ માંગનારના સવાલને પાછો નથી ઠેલવ્યો. ઉદારતામાં હઝરત મોહમ્મદ અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ને એક અલગ જ અને આગવું સ્થાન હાસિલ છે. હુરની ઝબાનથી ઇમામ હુસૈન(અ.સ.)ની ઉદારતા મીર અનીસ આ રીતે કરે છે.

ઉનસે કતરા કોઇ માંગે તો ગોહર દેતે હય

હે સખી ઇબ્ને સખી બાત પર સર દેતે હય

પેટ સાઇલ કા યે ફાકો મે ભી ભર દેતે હય

યા તો ઝર દેતે હય ફિરદોસમેં ઘર દેતે હય

અપને મુજરીમ કે ગુનેહગાર કે ઉમ્મીદ હય યે

ઝીરહ પરવર જીન્હે કેહતે હય વહ ખુરશીદ હે યે

(૪) મેહમાનદારી:

દરેક સમયમાં મહેમાનદારીને અખ્લાકના ઊંચાઇની દલીલરૂપે સમજવામાં આવે છે. અગર દુશ્મન પણ મહેમાન થાય તો લોકો તેની સાથે ખુબ જ મહેરબાનીના સાથે સુલુક કરે છે. આમ પણ અરબ લોકોની મહેમાનદારી દુનિયામાં પ્રસંશાને પાત્ર છે. મીર અનીસના આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના મરસીયામાં આ ખુબીને ખુબ જ સારી રીતે બયાન કરવામાં આવી છે.

જ્યારે હુર(અ.સ.) યઝીદના લશ્કરથી અલગ થઇને હુસૈની સિપાહીઓ તરફ આવ્યા તો ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાના કુટુંબીજનો અને દોસ્તોથી આમ ફરમાવ્યું:

જાઓ લેને કો અજબ રૂતબએ શનાસ આતા હય

મેરા મહેમાન મેરા આશીક મેરે પાસ આતા હય

જ્યારે હઝરતે હુર(અ.સ.) હુસૈની સિપાહીઓમાં પહોંચ્યા તો તેમને લેવા ઇમામ હુસૈન(અ.સ.) પોતે આગળ વધ્યા, તેમના આવ્યા પછી

લાએ ઇસ ઇઝઝત વ હુરમતસે જો મહેમાન કો ઇમામ

બોલે અબ્બાસ(અ.) કમર ખોલ અબ એ નેક અંજામ

શેહ ને ફરમાયા મુનાસીબ હય, કોઇ દમ આરામ

અર્ઝ કી  હુરને   કમર   ખુલ્દ   મે   ખોલેગા   ગુલામ

અને હઝરતે હુરની લાશ પર રૂદન/વિલાપના માટે તેમની બહેનોને જેવી રીતે ગમ કરવા કહ્યું તે મહેમાનદારીનો અંતીમ તકાજો છે, બલ્કે તેનાથી પણ ખુબ જ ઉંચુ છે.

શાહ ચિલ્લાયે કે એ ઝયનબ વ ઉમ્મે કુલસુમ

હમ ભી મઝલુમ હય મેહમાન ભી હુવે મઝલુમ

માઁ હે યા ઉસકી ન ખ્વાહર યે તુમ્હે હે મઅલુમ

કૌન લાશે પે કરે નાલે વ ફરીયાદ કી ધુમ

અજ્ર હોગા તુમ્હે અશ્કો સે જો મુંહ ધોઓંગી

ઉસકો યુઁ  રોઓ  કે  જીસ  તરહ  મુજે  રોઓંગી

(૫) સબ્ર અને શુક્ર:

સબ્ર અને શુક્ર તે એ આભુષણ છે જેને ઇન્સાનીય્યત રીતભાતની વિશેષતા કહી શકાય. કુરઆને કરીમે પણ સબ્ર માટે નસીહત કરી છે અને તેની ખુબજ પ્રશંસા પણ કરી છે. અલ્લાહ તઆલાનું ફરમાન છે કે:

“વ તવાસવ બીસ્સબ્રે

“અને સબ્રની વસીય્યત કરે છે

સબ્ર અને શુક્ર અખ્લાકની સંપૂર્ણતાની દલીલ છે, અને અંતિમતાની દલીલ છે.

હઝરતે અલી અકબર(અ.સ.)ની શહાદતથી જનાબે ઝયનબ(સ.અ.) સ્વભાવિક રીતે જ ખુબ જ પરેશાન અને બેકરાર થઇ ગયા હતા. હઝરત ઇમામ હુસૈન(અ.સ.) તેમને સબ્ર કરવાની નસીહત ફરમાવે છે:

ફરમાયા બહન તુમને બનાયા હય યે કયા હાલ

ન સર પર કસાબા હય ન ચાદર હય, ન રૂમાલ

માથા હય ભરા ખાકસે બીખરે હુવે હય બાલ

પીટો નહી, જીતા હય અભી ફાતેમા કા લાલ

દમ તનસે મેરા ઘુટ કે નિકલ જાયેંગા ઝયનબ(સ.)

રો લિજીયો જબ રોનેકા વક્ત આયેંગા ઝયનબ(સ.)

ઇમામ હુસૈન(અ.સ.) સબ્ર અને સંતોષનું તે બલંદ માપદંડ ધરાવે છે કે જેની ઉંચાઇ સુધી કોઇપણ વ્યક્તિ, જે કોઇપણ સમાજના સાથે જોડાયેલો હોય, તેમની અખ્લાકી મુલ્યોની સામે આંખો ઉંચી કરીને જોવાની હિમ્મત અને તાકત નથી રાખતો. જેમ કે જવાન બેટાની લાશ પાસે આવીને આપે ફરમાવ્યું:

ફિદીયા હુવા ફરઝંદે જવાઁ શુક્ર કી જા હૈ

ખુશનુદ હે રબ્બે દો જહાઁ શુક્ર કી જા હૈ

લબ પર નહી ફરિયાદ વ ફુગાન શુક્ર કી જા હૈ

ગરદન સે ગયા બારે ગિરાન શુક્ર કી જા હૈ

જો હમ કો અતા કી થી વહ દૌલત ઉસે પહોંચી

ફારીગ હુએ હમ ઉસકી અમાનત ઉસે પહોંચી

છ મહીનાનું બાળક હાથ ઉપર જ તીર ખાઇને શહીદ થઇ જાય છે, પરંતુ ધીરજનું દામન હાથથી ના છોડ્યું, એટલુ જ નહી તેઓ પોતે જ મય્યતને ઉપાડે છે અને ફરિયાદ કરવાને બદલે ઉમ્મતની બક્ષીસ માટે દુવા કરતા હતા.

હાથો પે જો મુરદાહ ઉસે શબ્બીરને પાયા

આહ દિલે મઝલુમને ગિર્દો કો હિલાયા

થરરાતે હુવે હાથો પે મય્યત કો ઉઠાયા

કિ અર્ઝ કે અબતક તો મેં સાબિર હુ ખુદાયા

મોહતાજ ના પાની કા ના ખ્વાહાઁ હુ મદદ કા

તાલીબ હુઁ ફક્ત મગફેરતે ઉમ્મતે જદ કા

ખાલિકની સામે પોતાની હાલત ઇમામે આલી મકામ બયાન ફરમાવે છે. આ આખું બન્દ સબ્રના ચિત્રને સંપૂર્ણપણે આપણા સમક્ષ રજુ કરે છે.

અર્ઝ કરતે હે યે ખાલિક સે કે એ રબ્બે ગફુર

તૂ હે આલિમ કે નહી કુછ તેરે બન્દે કા કસુર

કરતે હે યે મુજે બે જુર્મ વ ખતા તેગો સે ચુર

હાથ ઉમ્મત પે ઉઠાના નહી મુજકો મન્ઝુર

જાનતે હે કે મોહમ્મદ(સ.) કા નવાસા હુ મેં

પાની દેતે નહી દો રોઝ કા પ્યાસા હુ મેં

(૬) કાબુ રાખવો અને ફરમાબરદારી:

જ્યારે યઝીદના લશ્કરે ઇમામ હુસૈન(અ.સ.)ના ખૈમાઓને નેહરે ફુરાતથી દૂર કરવા ચાહ્યુ ત્યારે હઝરતે અબ્બાસ(અ.સ.)ને જલાલ આવી ગયો અને લશ્કરને એક ડગલુ પણ આગળ વધવાથી રોકી દીધું. હવે ઇમામ હુસૈન(અ.સ.)ની પસંદગીના ઉપર આધાર રાખતું હતું કે તેઓ ચાહે તો તેમના ખૈમાઓ નેહર પાસે જ રહેવા દે અથવા ત્યાથી દૂર કરી લે. પરંતુ હુરના લશ્કરની સાથે લડાઇની પરિસ્થિતી સર્જાઇ ચુકી હતી જેના માટે ઇમામે વક્ત હુસૈન(અ.સ.) રાઝી ન હતા કારણ કે આપ(અ.સ.)ની ઇચ્છા દરેક પ્રકારના વિચાર અને લાગણી અને જુસ્સા પર પ્રાથમિકતા રાખતા હતા. તેનાજ કારણે અરબના સૌથી વધારે શૂરવીરે ઇમામ(અ.સ.)ના હુકમની તાબેદારીમાં તલવારને મ્યાનમાં રાખી લીધી અને તે કથનો કહ્યા જે કાબુ અને ફરમાંબરદારીનું અજોડ ઉદાહરણ છે.

આકા ને દી જો અપને સરે પાક કી કસમ

બસ થર થરા કે રહ ગયે વો સાહેબે કરમ

પર થી શિકન જબીન પે ના હોતા થા ગયઝ કમ

ચુપ હો ગયે કરીબ જો આયે શહે ઉમમ

ગરદન ઝુકા દી તા ના અદબમેં ખલલ પડે

કત્રે લહુ કે આંખો સે લેકીન નિકલ પડે

આ હતી ઇમામ હુસૈન(અ.સ.)ના અસહાબની ઇમામ(અ.સ.)ની પ્રત્યે ફરમાબરદારીની અજોડ મિસાલ  અને ઇમામ હુસૈન(અ.સ.) પોતે પણ અલ્લાહ તઆલાના કેટલા બધા મુતીઅ અને ફરમાબરદાર બંદા હતા. તેની એક ઝાંખી અનીસના આ બન્દ ઉપરથી આવી શકે છે.

ઇમામ હુસૈન(અ.સ.)એ જ્યારે લશ્કરને મયદાનથી ભગાવી દીધું તે સમયે ગૈબથી જંગ ન કરવાનો હુકમ આવ્યો. ઇમામ(અ.સ.)એ તલવારને રોકીને કાબુ અને ફરમાબરદારીની પરાકાષ્ટા દર્શાવી.

આવાઝ કા આના થા કે તલવાર કો રોકા

ફરમાયા કે જો હુકમ તેરા એ મેરે મૌલા

કયા દખલ જવાબ મે કરૂઁ લડને કા ઇરાદા

મેં બન્દા નાચીજ તૂ કોનૈન કા આકા

સર તેગ સે મયદાન મે કટાને કી ખુશી હય

દરબાર મે તેરે મુજે આને કી ખુશી હય

(૭) મોહબ્બત:

દરેક જીવ કે જે ધડકતું દિલ રાખે છે. અલ્લાહે તેને મોહબ્બતની ભાવનાથી નવાજ્યા છે. અને અગર એમ કહેવામાં આવે કે દુનિયાની સુવ્યવસ્થાનું નિયત રહેવું દુનિયાની અસ્તિત્વ અને સમાજની સુધારણાની બુનિયાદ મોહબ્બતના ઉપર જ છે તો તે ખોટું નથી. જેનામાં આ લાગણી જોવા નથી મળતી તો તેના માટે એમ કહી શકાય કે તે ઇન્સાનીય્યતથી અજાણ્યો છે. મોહમ્મદ(સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) આ મંઝીલમાં પણ સૌથી વધારે જુદા તરી આવતા અને અદ્વિતીય છે. મરહુમ અનીસે લગભગ બધા જ સંબંધો અને સગાવ્હાલાઓની મોહબ્બતના દ્રષ્યો આલેખન કર્યુ છે.

માઁની બેટીથી મોહબ્બત:

જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) મદીનાથી તેમની બિમાર બેટી ફાતેમા સુગરાને મુકીને ચાલવા લાગ્યા તે સમયે બેટીથી દૂર થવા પર માઁની લાગણીઓ.

માઁ હુ મે કલેજા નહી સિને મે સંભલતા

સાહિબ મેરે દિલકો હે કોઇ હાથો સે મલતા

મેં તો ઉસે લે ચલતી પે કુછ બસ નહી ચલતા

રહ જાતે બહન ભી તો દમ ઉસકા બહેલતા

દરવાજા પે તૈયાર સવારી તો ખડી હૈ

પર અબ તો મુજે જાન કી સુગરા કી પડી હૈ

બાપની મોહબ્બત બેટીથી:

સુન કર યે સુખન શાહ કે આંસુ નિકલ આયે

બિમાર  કે  નઝદીક  ગયે  સર  કો  જુકાયે

મુઁહ દેખ કે બાનુ કા સુખન લબ પે યે લાયે

કયાં ઝુફ વ નુકાહત હે ખુદા ઉસકો બચાયે

જીસ સાહિબ આઝાર કા યે હાલ હો ઘરમેં

દાનિસ્તા મે કયોકર ઉસે લે જાવું સફરમેં

બેટીની મોહબ્બત બાપથી:

ફાતેમા સુગરા કે જે તાવના કારણે બેહોશ હતા, જ્યારે હોશમાં આવે છે તો કહેવા લાગ્યા.

માઁ સે કહા મુજમે જો હવાસ આયે થે અમ્માઁ

કયા મેરે મસીહા મેરે પાસ આયે થે અમ્માઁ

બહેનની મોહબ્બત ભાઇથી:

કયા ગુઝરેગી જબ ઘરસે ચલે જાઓંગે ભાઇ

કૈસે મુજે હર બાતમેં યાદ આઓગે ભાઇ

તશરીફ ખુદા જાને કબ લાએ તો ભાઇ

કિ દેર તો જીતા ના હમે પાઓંગે ભાઇ

ભાઇની મોહબ્બત ભાઇથી:

મુંહ રખ કે મુંહ પે ભાઇ કે ભાઇ ને દી સદા

એ શેરે એ દિલેર યે બેકસ તેરે ફિદા

કયોં પતલીયાઁ ફિરાતે હો ભાઇ યે કયા યે કયા

અબ્બાસ(અ.) મે હુસૈન(અ.) હું દેખો મુજે ઝરા

મેરા ભી હલક ખુશ્ક હે ખન્જર કે વાસ્તે

ભાઇ કો છોંડે જાતે હો દમભર કે વાસ્તે

() આદરભાવ અને સન્માન:

બુઝુર્ગોનો આદરભાવ કરવો અને તેમનું સન્માન જાળવવું તે દરેક સમયમાં સભ્યતા અને અખ્લાકના એક અગત્યના ભાગ તરીકે સ્વીકારવામાં આવે છે, ગણવામાં આવે છે. હઝરત મોહંમદ મુસ્તફા(સ.અ.વ.)અને આલે મોહંમદ(સ.અ.વ.)એ પોતાના અમલ થકી દુનિયાની સમક્ષ એક ઉદાહરણ પુરૂ પાડયું છે. મીર અનીસે મરસીયામાં આ વાતને ખૂબ સરસ રીતે બયાન કરી છે. તેમજ આદર અને માન મોભાનું ખુબજ પ્રમાણમાં ધ્યાન રાખ્યું છે.

કરબલામાં આવ્યા પછી જ્યારે ખૈમા લગાવવાની વાત આવી તો ઇમામ (અ.સ.) મે તે નિર્ણયને જનાબે ઝયનબ (સ.અ.)ના પર મુકી દીધો કે તેઓ જ્યાં કહે ત્યાં જ ખૈમાને નાંખવામાં આવે.

કુછ સોચ કર ઇમામે  દો આલમને યહ કહા

ઝયનબ(સ.અ.) જહાં કહે વહીં ખૈમા કરો બપા

પીછે હટે યે સુનતે હી અબ્બાસે બા વફા

જા કર કરીબ મેહમીલે ઝયનબ(સ.અ.)યે દી સદા

હાઝીર હૈ જાં નિસાર ઇમામે ગયુર કા

બરપા કહાં હો ખૈમ એ અક્દસ હુઝુરકા

જો કે ઇમામે હુસૈન(અ.સ.) પોતે ખૈમા નાંખવાનો હુકમ આપી શકતા હતા, પરંતુ હઝરતે ઝયનબ(સ.અ.)ના સન્માનને ધ્યાનમાં રાખતા તેમનાજ હુકમ પર ખૈમાનું નસ્બ કરવાની વાત છોડી દીધી. ઇમામ હુસૈન(અ.સ.) બહેનને કેટલો આદર, એહતેરામ અને સન્માન કરતા હતા. તે આપણે મીર અનીસની ઝબાનથી જાણીએ.

ફરમાયા જબસે ઉઠ ગઇ ઝેહરા(સ.અ)એ બા કરમ

ઉસ દીનસે તુમકો માં કી જગા જાનતે હંય હમ

જયારે હઝરતે અબ્બાસ(અ.સ.) જંગના મયદાનમાં જવા માટે રજા ચાહે છે તો તેમને રજા મળતી નથી, તો તેઓ હઝરતે ઝયનબ(સ.અ.)ની પાસે રજા મેળવવા માટે જે રીતે આવીને વાતચીત કરે છે તે આદરભાવ અને નમ્રતાનું ખુબજ સરસ દ્રશ્ય ખેંચતા ફરમાવે છે:

રૂખ્સત તલબ સે શાહ સે અકબર સા લાલે ફામ

શેહઝાદા મરને જાએ સલામત રહે ગુલામ

લિલ્લાહ રોકીએના અબ ઐ ખ્વાહરે ઇમામ

વો અમ્ર કિજીયે કે બઢહે જીસસે મેરા નામ

બેકસ હું સાથ માઁ નહી સર પર પિદર નહીં

મૈં આપકા ગુલામ તો હું ગો પિસર નહીં

(૯) દુનિયાથી અરૂચી અને ઇબાદત:

દુનિયાથી અરૂચી અને ઇબાદતમાં આલે મોહંમદ (સ.અ.વ.)નો જે મરતબો છે તે સુરજ કરતા પણ વધારે સ્પષ્ટ છે. યઝીદી લશ્કરનો એક સરદાર હુસૈન(અ.સ.) અને તેમના સહાબીઓની પરિસ્થિતી બયાન કરે છે.

આફતમેં મુબ્તલા હૈં મગર બાહવાસ હૈં

ગાઝી હૈં સરફરોશ હૈં ઔર હક શનાસ હૈં

ખાનેકા હૈ ખયાલ ના પાનીકી ફિક્ર હૈ

સજદે હૈં ઔર દુઆએ હૈં ઔર હકકા ઝીક્ર હૈ

આશુરાની સવારે ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાના સહાબીઓને તેમની શહાદતની ખબર આપે છે અને તેમને સબ્ર કરવાની નસીહત કરે છે અને તેમનુ અલ્લાહની ઇબાદત તરફ ઘ્યાન દોરે છે.

શેહને સુખને મઅરેફતે હકક જો સુનાયે

અશ્ક આંખો મે હર આશિક સાદિક કે ભર આયે

કુછ પ્યાસ કા શિકવા ભી ઝબાન પર નહી લાયે

સજાવે વહી લા કે દિલેરોને બિછાયે

તકબીરે હુઇ લશ્કરે અલ્લાહ વ નબી(સ.) મેં

સબ મહવ હુવે યાદે જનાબે અહદી મેં

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) તેમની શહાદતના પહેલા ઇબાદતે ખુદાવંદીનુ કર્તવ્ય પૂરૂ કરવા ચાહતા હતા અને સજ્દાની હાલતમાં જ શહાદતનું ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા ચાહતા હતા કે જેને શહાદતની પરાકાષ્ઠા અને અંતિમ હદ કહેવાય છે.

હય અસ્ર કા હંગામ મુનાસિબ હય ઉતરના

ઇસ ખાક પે હય શુક્ર કા સજ્દા હમે કરના

ગો મરહલા સખ્ત હય દુનિયા સે ગુઝરના

સજ્દેમેં કટે સરકે સઆદત હય યે મરના

તાઅતમેં ખુદાકી નહી સરફે તન વ સરકા

ઝીં હક હય હમેં ઉસકે કે વરસે હય પીદરકા

(૧૦) વિનમ્રતા:

ઇન્સાનની અક્લ ઉચ્ચ અખ્લાકનું પ્રતિબિંબ છે. એહલેબૈત(અ.મુ.સ.) આ સિફતમાં પણ એકદમ જ જુદા તરી આવે છે. અનીસે આ પાસાની રજુઆત ખુબજ સરસ રીતે કરેલ છે.

હઝરતે અબ્બાસ(અ.સ.)ને જ્યારે લશ્કરનો અલમ મળ્યો તો બધાએજ તેમને મુબારક બાદી આપી. આ મૌકા ઉપર અલમદારે બતાવેલ વિનમ્રતાને જોઇએ.

દેતે થે તહનીય્યત જો અઝીઝાન પર જીગર

અબ્બાસ મુસ્કુરાકે ઝુકાતે થે અપના સર

— ૦૦૦ —

ઝૈનબ બુલાયે લે કર યે કેહતી થી બાર બાર

મનસબ  મુબારક અય શહે મરદાં કે યાદગાર

કેહતે થે હાથ જોડ કે અબ્બાસ ઝી વકાર

મુજકો સમજે ઓન વ મોહમ્મદ કા જાં નીસાર

ઉનકી તરફસે મોહતમમ બંદો બસ્ત હુ

માલિક યે શાહઝાદે હય મે પેશદસ્ત હુ

(૧૧) ન્યાય:

ન્યાય તે અલ્લાહની સિફતમાંથી છે અને તેનો સમાવેશ ઉસુલે દીનમાં થાય છે. ખુદાના ચૂંટેલ બંદાઓ, અંબિયા અને મુરસલીન(અ.મુ.સ.)ના ચારીત્ર્ય અને કાર્યોમાં ન્યાયને એક બહુ જ અગત્યનું સ્થાન પ્રાપ્ત થયેલ છે. સમાજના દરેક સ્તરે અધિકારોની રક્ષા માટે કાયદાઓના ઘડવા માટે અને તેના લાગુ પાડવા માટે વ્યવસ્થાની સ્થાપના અદ્લની બુનિયાદ પર લગાવવામાં આવે છે. મોહમ્મદ અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાકમાં ન્યાય અને ઇન્સાફને એક પાયાનું સ્થાન પ્રાપ્ત થયેલ છે. મીર અનીસે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની આ સીફતને મરસીયામાં સ્પષ્ટ અને સંપૂર્ણ પણે રજુ કરેલ છે.

ઇમામ હુસૈન(અ.સ.)ની મદદના માટે જઅફરે જીન આવ્યો હતો, પરંતુ તેની મદદને સ્વિકારવામાં નથી આવતી કારણ કે જીન્નાત આંખોથી અદ્રશ્ય રહે છે. તેઓ બધાને જુએ છે પરંતુ લોકો તેમને  નથી જોઇ શક્તા. ન્યાય (અદાલત)નો તકાઝો એ છે કે હરીફની સામે તેના જેવો જ કોઇ હોય અને મુકાબલામાં કોઇ પણ પ્રકારનો ધોખો અથવા દગો ન હોય. કારણ કે જીન્નાતની ઇન્સાન સાથેની લડાઇ ન્યાયની વિરૂધ્ધ છે, તેથી ઇમામ પોતાની શહાદતને અગ્રિમતા આપે છે પરંતુ અદાલતની વિરૂધ્ધમાં કોઇ પણ પ્રકારના પગલાને ઉપાડવાનું પસંદ નથી કરતા.

જઅફરસે યે ફરમાને લગે સૈયદે અબરાર

મશ્હુર હે આદિલ પીસરે હૈદરે કર્રાર

તુમ દેખો ઉન્હે ઔર તુમ્હે ન દેખે સીતમગાર

યે જંગ વ જદલ શરઅ મે જાએઝ નહી ઝનહાર

જો હકક હય કહે જાઉંગા ગોતશેં દહાં હુ

એહમદ કા નવાસા હુ ઇમામે દો જહાં હુ

(૧૨) દયા અને મહેરબાની:

દયા અને મહેરબાની તે અખ્લાકનો અગત્યનો ભાગ છે. અને મોહમ્મદ(સ.) અને આલે મોહમ્મદ(સ.)નાં કિરદારનો એક સ્પષ્ટ અને અલગથી તરી આવતો પ્રાકૃતિક ગુણ છે. ઇમામ હુસૈન(અ.સ.) ઉપર દુશ્મનો એ ૩ દિવસ થી પાણીને બંધ કરી દીધુ હતુ. આશુરાનાં દિવસે બધાજ સંબંધીઓ અને મદદગારોને નજરોના સામે જ કત્લ કરી દેવામાં આવ્યા હતા. હવે ઇન્સાનની ફિત્રતનો અને ન્યાયનો તકાઝોે આ હતો કે દુશ્મનના ઉપર કાબુ મેળવી લીધા પછી તેમને પણ કત્લ કરી દેવામાં આવે. અથવા તેમના માટે બદ્ દુઆ કરવા સિવાય કોઇ સારી વાણી ન નીકળે. પરંતુ હુરના લશ્કરને પાણીથી તૃપ્ત કરવું અને લડાઇના મેદાનમાં દુશ્મનો પર દયા ખાઇને તલવારને ચલાવતા રોકી દેવી અને તેમના માટે ગુનાહોની માફી માટેની દુઆ કરવી અને ભલાઇની ઇચ્છા કરવી આ ફક્ત આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની શક્તિ છે. આ બાબતમાં બીજુ કોઇ પણ તેમના બરાબર નથી થઇ શકતું.

યે સુનતે હી બેતાબ હુવે સિબ્તે પયમ્બર(અ.)

દેખા રૂખે અબ્બાસકો અશ્ક આંખોમે ભર કર

ફરમાયા કે યે લોગ હય સબ પ્યાસસે મુઝતર

જો સાથ હય પાની અભી મંગવાઓ બરાદર

ભૈયા કમર અબ ખોલો પ્યાસ ઉનકી બુજા કે

મંય કાંપ રહા હું કે યે બંદે હંય ખુદા કે

(૧૩) કુરબાની:

પોતાની પ્રિયતમ અને વહાલી વસ્તુને બીજાની જરૂરતને પૂર્ણ કરવાના માટે આપી દેવી અને બીજાને ખુશી પ્રાપ્ત થાય તેના માટે પોતાના નફ્સની અભિલાષાઓને પાછળ ઠેલી દેવી એ ઘણું જ કઠીન કાર્ય છે. ખાસ કરીને એવા કાર્યો કે જેનો સંબંધ મૌત અને હયાતની સાથે હોય. એક બલંદ કુરબાનીના હોસલાનો ઇચ્છુક અશક્ય કાર્યને શક્ય કરી દેખાડવા બરાબર છે. આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની કુરબાનીની આ ભાવનાને અનીસે જે રીતે પ્રસ્તુત કર્યુ છે. તે તેમની પરીપૂર્ણતાનું નિરૂપણ બતાવે છે.

હુરના પ્યાસા લશ્કરને પાણી પિવરાવવાના સમયે હઝરત અબ્બાસ(અ.સ.)એ ફરમાવ્યું કે ઘણા લાંબા રસ્તાઓ સુધી પાણીનું કોઇ નામો નિશાન નથી અને સ્ત્રીઓ તેમજ બાળકો સાથે છે. અગર પાણી ખત્મ થઇ જશે તો ઘણી મોટી મુસીબતનો સામનો કરવો પડશે અને બાળકો પ્યાસના કારણે હલાક થઇ જશે. પરંતુ ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું કે પહેલા આ લોકોને પીવડાવી દો અને મારા બાળકોના વિષે ના વિચારો, તેમની રક્ષા કરનાર અલ્લાહ છે.

ફરમાયા મેરે સર કી કસમ કુછ ના કહો અબ

મેરી યહી મરઝી હય કે સૈરાબ હોં યે સબ

ઇન્સાન કા ઇન્સાન સે રવાઁ હોતા હૈ મતલબ

મર જાએં મુસલમાઁ યે ગવારા હય મુજે કબ

મંય માલિકે કૌસર હું તરદ્દુદ તુમહેં કયા હય

પ્યાસ ઉનકી બુજાદો મેરે બચ્ચો કા ખુદા હય

(૧૪) હયા (શર્મ):

આ તે ઘરેણું છે કે જે સારી વર્તણુંકને નિખારે છે અનીસે, આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના કિરદાર (ચરિત્ર)ને જુદા જ તરીકાથી રજુ કરેલ છે.

ઔન અને મોહમ્મદ જનાબે ઝયનબ(સ.અ.)ના બન્ને લાડલા જ્યારે લડાઇ કરતા કરતા દરિયાના કિનારા સુધી પહોંચી ગયા તો જ.ઝયનબ(સ.અ.)ને ભય લાગ્યો કે કયાંક દરિયાની રવાનીની ઠંડક પ્યાસથી સુકાએલ હોઠોને પાણી પીવા માટે તૈયાર ન કરી દે. તેથી તેમને દરિયા સુધી બાળકોનું લડતા લડતા પહોંચવુ પણ પસંદ ન હતુ. અનીસે તેને આ રીતે બયાન કરેલ છે.

હય હય મુજે બેટોંને કિયા ભાઇસે મેહબુબ

શબ્બીર તો પ્યાસે હોં વોહ પાની પિયેં ક્યા ખુબ

દે દેતે હંય વોહ જાન જીન્હેં નામ હય મતલુબ

દિલ સાફ મેરા હોગા ન ઇસ સે કીસી અસલુબ

માઁ તુમસે હય નારાઝ યે કેહદે કોઇ જા કે

ગયરત હય તો અબ મુંહ ન દિખાયેં મુજે આકે

ઇમામે મઝલુમ(અ.સ.)ની શર્મો હયાની હાલતને અનીસે ખૂબ જ અસરકારક રીતે રજુ કરી છે.

ગશ મેં હઝરતને સુને જબ કે યે ઝયનબ કે સુખન

ખોલ કર દિદએ પર ખુઁ કો ઉઠાઇ ગરદન

દેખા સર નંગે ખડી રોતી હય મક્તલમેં બહન

બિન્તે ઝહરા(સ.) કો પુકારે યે શહનશાહે ઝમન

કયા કિયા તુમને કે પરદે સે ખુલે સર નિકલીં

જીતેજી મેરે બહન પરદે સે બાહર નિકલીં

(૧૫) બહાદુરી:

કાયરતા દરેક સમયમાં અને દરેક ઝમાનામાં ખરાબ ગણવામાં આવેલ છે. જ્યારે કે આના વિરૂધ્ધ શુજાઅત અને બહાદુરીને હંમેશા સન્માન અને ગૌરવ પ્રાપ્ત થયેલ છે. આમ તો અરબોની બહાદુરી સર્વ સ્વિકૃત રહી છે, પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ને જે ઉચ્ચતા પ્રાપ્ત થયેલ છે, તે આજ સુધી ઇતિહાસના પાના પર કોતરાયેલ છે. મીર અનીસ મરહુમે, આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની બહાદુરીનું જે ચિત્ર દર્શાવેલ છે તે તેમની બયાન કરવાની તાકતનું ઉચ્ચ કોટીની કલાકૃતિનું દર્શન કરાવે છે અને આલે મોહમ્મદ(અ.મુ.સ.)ની બહાદુરીનો સંપૂર્ણ અરીસો છે.

હઝરત અબ્બાસ(અ.સ.)ની બહાદુરી:

સુનતે હંય યે તરાઇ મેં ગુંજા વો શેર નર

તેવરી ચડાકે તેગ કે કબઝે પે કી નઝર

કમ થા ન હમહમા અસદે કિરદેગાર સે

નિકલા ડકારતા હુવા ઝયગમ કછાર સે

ઇમામ હુસૈન(અ.સ.)ની બહાદુરી:

કયા મદ્હ હો હુસૈન કે જંગો જેદાલ કી

તસવીર બન ગયે થે અલી(અ.) કે જલાલ કી

વો આઓ જાઓ અશ્હબો ઝયગમ ખેસાલ કી

રોંદા જો યે પરા તો વો સફ પાએમાલ કી

ફીર તો યે ગુલ હુઆ કે દુહાઇ હુસૈન(અ.) કી

અલ્લાહ કા ગઝબથા લડાઇ હુસૈન(અ.) કી

દરિયા હુસૈન(અ.) કા હય તરાઇ હુસૈન(અ.) કી

દુનિયા હુસૈન(અ.) કી હય ખુદાઇ હુસૈન(અ.)કી

બેડા બચાયા આપને તુફાં સે નુહ(અ.) કા

અબ રહ્મ વાસ્તે અલી અકબર કી રૂહ કા

(૧૬) દિલનું સુકુન:

દિલી સુકુનનું દ્રશ્ય મીર અનીસે ખૂબ જ નિપૂણતાથી રજુ કરેલ છે. ઇમામ હુસૈન(અ.સ.)ની સામે લડાઇ માટે એક પહેલવાન આવે છે. આપની એ પરિસ્થિતિ હતી કે આપના દિલ પર બોતેર શહીદના જુદાઇનો સદમો, પ્યાસની સખ્તી, ખૂબ જ વધારે પ્રમાણમાં શરીર પર ઝખ્મ અને એકલતાપણુ તેમજ બેકસી છે, જ્યારે કે વિરૂધ્ધમાં મુકાબલામાં આવનાર તૃપ્ત અને દરેક પ્રકારના દુ:ખ દર્દથી મુક્ત છે, હેમખેમ અને કુશળ છે, જવાનીનો ઘમંડ અને ખૂબ જ મોટા લશ્કરનો ટેકો ઇચ્છુક લોકોનું એક મોટુ ટોળુ જે તેમની તાકત અને હિંમતમાં વધારો કરી રહ્યું છે. આવી પરિસ્થિતીમાં સામાન્ય રીતે ઇન્સાનની ફિત્રતના તકાઝા પ્રમાણે ઇમામ હુસૈન(અ.સ)ના દિલને અજંપો અને બેચૈની થવી જોઇએ. પરંતુ આવુ કંઇ જ ન થયુ બલ્કે આપના દિલને સવિશેષ પ્રમાણમાં ઇત્મેનાન હતું.

બોલે યે મુસ્કુરા કે હુસૈન(અ.) ફલકે હશ્મ

થા વાર સરસરી સરો ગરદન કો કર ન ખમ

ઝુક કર ઉઠાલે ખુદ જો હય સર ઝનિશકા ગમ

સર જંગ હો ચુકી ન ઉઠાના બસ અબ કદમ

આ જમ કે લડ કે હમ ભી તો દેખે હુનર તેરા

ભાગા તો પાઉઁ ઘોડેકે હોંગે ન સર તેરા

(૧૭) પ્રાણીઓના સાથે પણ રહેમ અને કરમ:

રહેમો કરમ ફક્ત ઇન્સાનની જાત સુધીજ સિમીત નથી. પ્રાણીઓની સાથે પણ દયાળુપણાથી વર્તવું તે સારી વર્તણુંકની ઉંચાઇની નિશાની છે. ઈસ્લામમાં તેના માટે ખુબજ ભાર મુકવામાં આવ્યો છે. કુરબાનીના પ્રાણીઓને પણ સંપૂર્ણપણે તૃપ્ત કરવાનું માર્ગદર્શન છે. હઝરત અલી(અ.સ.)મે તેમની શહાદતની રાતે ઘરમાં રહેતી બતકોના ધ્યાન રાખવા વિશે વસિય્યત કરી હતી. મર્હુમ અનીસે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના આ અખ્લાકી પાસાને પણ ખૂબજ ખૂબસુરત રીતે રજુ કરેલ છે:

ઇમામે હુસૈન(અ.સ.) ઝુલજનાહને ફરમાવે છે:

શાહ ફરમાતે હૈં ઐ મેરે રફીકો હમ્દમ્

હૈ મુજે અપને અઝીઝોં કે બરાબર તેરા ગમ્

હમસે તુ છુટતા હૈ અબ તુજસે જુદા હોતે હૈં હમ

મરકેભી તૂજકો ન ભુલુંગા મૈં ખાલિકકી કસમ

ખલકસે સુએ અદમ કૂચકી તૈયારી હય

આખરી અબ તેરે આકાકી યે સવારી હય

યે કેહ કે નિકલે ખૈમે સે શબ્બીર દિલ ફિગાર

દેખા ખડા હૈ દેવડી પે અસ્પે વફા શઆર

ગરદનપે હાથ ફેર કે બોલા વો નામદાર

તાકત ન હો તો જાએ પયાદા તેરા સવાર

યે ગરદીશે ફલક યે જફાએ ઝમાના હય

તુ ભી તો તીન રોઝસે બે આબો દાના હય

(૧૮) દુશ્મનો સાથેનો વર્તાવ:

મિત્રો, સગા સંબંધીઓ અને બીજા લોકોથી સારો વર્તાવ કરવો તે તો એક સામાન્ય કાનુન અને ફિત્રત મુજબ છે, પરંતુ તેવા લોકોથી કે જેઓ જાન માલના દુશ્મન હોય અગર તેમના સાથે પણ સારો વર્તાવ કરવામાં આવે તો તે પ્રશંસાને પાત્ર કાર્ય છે. ઇતિહાસમાં કદાચજ કોઇ આવા બનાવ અથવા ઘટના જોવા મળતી હશે. પરંતુ આલે મોહંમદ(અ.મુ.સ.)ની ઝિંદગીમાં અને ચારિત્ર્યમાં આવા બેશુમાર બનાવો જોવા મળે છે. મરસીયામાં મીર અનીસે આલે મોહંમદ(અ.મુ.સ.)ની આ વિશેષતાને ખુબજ બેહતરીન રીતે બયાન કરેલ છે.

ખૂને અલી અકબરકા ભી દઅવા નહીં કરતે

ઉમ્મતકે હૈં ઝુલ્મ પે શિકવા નહીં કરતે

પાની કે ભી તાલિબ નહીં ગો તશ્ના દહન હૈં

કલમે હૈં નસીહત કે મોહબ્બતકે ઝમનમેં

(૧૯) અપરાધની ક્ષમા:

દોષિતને દોષ પર સજા દેવા શક્તિમાન હોય છતા તેને માફ કરી દેવું તે પ્રશંસાને પાત્ર કાર્ય કહેવાય. મર્હુમ અનીસના મરસીયામાં અખ્લાકના આ પહેલુને એકદમ સ્પષ્ટ રીતે બયાન કરવામાં આવ્યુ છે.

હઝરતે હુર(અ.સ.)મે ઇમામે હુસૈન(અ.સ.)ને રસ્તામાં  રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. અને પોતાના આવા સાહસ બદલ શહાદત સુધી શરમ અનુભવતા રહ્યા. આશૂરાની સવારે જ્યારે યઝીદી લશ્કરમાંથી નિકળીને ઇમામના તરફ આવ્યા તો આજ જસારત બદલ શરમ અનૂભવી રહ્યા હતા. પરંતુ ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાની માયાળુપણાની પરકાષ્ઠા વડે તેની ભૂલને માફ કરી દીધી.

ઇસ્તગાસા યે કિયા હુરને જો બા દીદે નમ

જોશ મેં આ ગયા અલ્લાહકા દરિયાએ કરમ

ખુદ બઢે હાથોંકો ફૈલા કે શહનશાહે ઉમમ

હુર કો યે હાતિફે ગૈબીને સદા દી ઉસ દમ

શુક્ર કર સિબ્તે રસુલુસ્સકલૈન આતે હૈં

લે બહાદુર તેરે લેનેકો હુસૈન આતે હૈં

(૨૦) વડીલોનું સન્માન:

વડીલોનું સન્માન કરવું અખ્લાક અને સમાજના કાનુનમાં એક ખુબજ અગત્યનું સ્થાન ધરાવે છે. અને તેની મહત્વતા દરેક સમયમાં સ્વિકૃત રહેલ છે. મોહંમદ અને આલે મોહંમદ(અ.મુ.સ.)ના જીવનમાં  આ પ્રકૃતિ ઝળહળી ઉઠે છે.

મદીનાથી રવાનગીના સમયે ફાતેમાં સુગરાને પોતાના સાથે નહોતા લીધા. જેની ફાતેમા સુગરાને ફરિયાદ હતી. સાથે લઇ જવા તેમણે જે રીતે વિનંતી કરી તે એહતેરામ અને અદબનો એક ખુબજ અસરકારક નમુનો છે.

વહ બાત ના હોગી કે જો બેચૈન હો માદર

હર સુબ્હ મૈં પી લુંગી દવા આપ બના કર

દિન ભર મેરી ગોદીમે રહેંગે અલી અસગર

લોંડી હું સકીનાકી ન સમજો મુજે દુખ્તર

મૈં યે નહીં કહતી કે અમારી મેં બીઠા દો

બાબા મુજે ફિઝ્ઝાકી સવારી મેં બિઠા દો

હઝરત અલી અકબર(અ.) તેમના કાકા હઝરત અબ્બાસ(અ.સ.)ને જઇને ખબર આપે છે કે તેમને હઝરત ઝયનબ(સ.અ.) બોલાવી રહ્યા છે. તે સમયે એહતેરામનો ઈઝહાર.

અચ્છા બુલાયે આપકો કિધર હૈ વહ સફ શુકન

અકબર(અ) ચચાકે પાસ ગયે સુનકે યે સુખન

કી અર્ઝ ઇન્તેઝારસે શાહે ગયુરકો

ચલે ફુફીને યાદ કિયા હય હુઝુરકો

હઝરતે સકીના(અ)એ તેમના કાકા હઝરતે અબ્બાસ(અ.)ને અલમદારીના માટે આ રીતે મુબારકબાદી પેશ કરી.

નાગાહ આકે બાલી સકીનાને યે કહા

કૈસા હય યે હુજુમ કિધર હય મેરે ચચા

ઓહદા અલમકા ઉનકો મુબારક કરે ખુદા

લોગો મુજે બુલાયેં તો લેને દો એક ઝરા

શૌકત ખુદા બઢાયે મેરે અમ્મુજાનકી

મૈં ભી તો દેખું શાન અલી કે નિશાનકી

(૨૧) નાના બાળકો સાથે વર્તન:

હઝરતે ઝયનબ(સ.અ.)ના બંને બાળકાનેે પણ અલમ મેળવવા તમન્ના હતી. પરંતુ જેવી રીતે જ. ઝયનબ (સ.અ.)એ તેમના બાળકોને ધીરજ આપી અને જેવી રીતે તેમના દિલોને ઠેસ લાગતા બચાવીને  કુરબાનીની લાગણી જગાડીતે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના ઉચ્ચ કિરદારનો અને અનીસ(ર.અ.)ના આ શ્રેષ્ઠ કિરદારને ચિતરવાનો અરીસો છે.

ઇન નન્હે નન્હે હાથોંસે ઉઠેગા યે અલમ

છોટે કદોમેં સબસે સિનોમેં સભોંસે કમ

નિકલે તનો સે સિબ્તે નબી(સ.) કે કદમ પે દમ

ઓહદા યહી હય બસ યહી મન્સબ યહી હશમ

રૂખ્સત તલબ અગર હો તો યે મેરા કામ હય

માઁ સદકે જાયેં આજતો મરનેમેં નામ હય

જનાબે ઇમામ હુસૈન(અ.સ.) પોતાના ભાણેજોની આ રીતે પ્રશંસા કરે છે.

ઝયનબકે પાસ આકે યે બોલે શહે ઝમન

ક્યોં તુમને દોનો બેટોંકી બાતે સુની બહન

શેરોંકે શેર આકિલો જર્રારો સફ શિકન

ઝયનબ વહીદે અસ્ર હય દોનો યે ગુલ બદન

યું દેખનેમેં સબ હય બુઝુર્ગો કે તૌર મેં

તેવર હી ઉનકે ઔર ઇરાદે હી ઔર હંય

હઝરતે અનીસ(ર.અ.) જ્યાં ઘણા બધા નવા વિષયોના લેખોનો ઢગલો કરી દીધો છે. અને સંપાદકોએ તેમને જુદા જુદા પ્રકારે અને દ્રષ્ટીકોણથી પ્રભાવિત થઇને કલમ ઉપાડી છે. ત્યાંજ અખ્લાકીયાત કે જેનું ક્ષેત્રફળ ખુબ જ વિશાળ છે. તેનાથી લેખકોનું ધ્યાન આકર્ષિત થાય છે. ઉપર દર્શાવેલ વિષયોમાં ર૧શિર્ષકો હેઠળ જે અખ્લાક તેમના અશ્આરમાં જોવા મળે છે, તેનું એક અત્યંત સંક્ષિપ્તમાં પરિક્ષણ છે. કારણકે હઝરતે અનીસના મરસીયા મજલીસ તે ઉચ્ચ કોટીની રચના છે, જેમાં વિચાર હકીકતના સ્વરૂપે પ્રતિબિંબિત થાય છે. અને વર્ણનનો ચમત્કાર તો એ છે કે સારા અને ઉમદા અખ્લાક જે સમાજને શણગારે છે અને સજાવે છે. અને તેને ઊંચા મુલ્યોથી ઝગમગાવી દે છે. એટલુંજ નહી પરંતુ તેના ધરાવવાવાળા બનાવી દે છે. હઝરતે અનીસ પોતાના અશ્આરમાં હાલતના ઘરેણાંથી એવી રીતે સજાવ્યું છે કે ખુદ કહેવા લાગ્યા કે :

કિસીને તુમ્હારી તરહ ઐ અનીસ

ઉરૂસે સુખનકો સંવારા નહીં

અય કાશ! આજના આ આતંકવાદી માહોલમાં અનીસના મરસીયા જેમાં મોહમ્મદ(સ.અ.વ.)ના અખ્લાક કે જે ઇન્સાનિય્યતના બુલંદ મુલ્યોની ઓળખ કરાવે છે. અને દુનિયાને આપસમાં  સારો વ્યવહાર કરવાનો સંદેશો આપી રહ્યા છે. તેના તરફ તમામ સભ્ય લોકો અને રાષ્ટ્રના મઝહબ અને રાષ્ટ્રના ફરક વિના ધ્યાન આપતે અને તેની રોશનીથી ફાયદો મેળવતે તો તેની રોશની ચારે તરફ દુનિયામાં ફેલાઇ જાતે. પરંતુ  અગર આજની દુનિયામાં જો આ વસંત ઋતુના નવા ઉલ્લાસનું આવવું અશક્ય લાગે છે, તો આવનારી આવતી કાલ દુનિયાવાળાઓને શુભ સમાચાર જરૂર આપશે. અને ઇન્શા અલ્લાહ તે સમય ઇમામે અસ્ર(અ.સ.)ના ઝુહૂરનો પુરનૂર અને બરકતથી ભરપુર સમય હશે. (ઇલાહી આમીન)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *