સંપાદકની નોંધ :

Print Friendly, PDF & Email

અમારા ગુજરાતન ચાહકોની વર્ષોથી માગ રહી છે કે ‘અલ મુન્તઝર’ (અ.સ.) જે ફક્ત ઉર્દૂમાં પ્રકાશીત થાય છે એ ગુજરાતીમાં પણ અનુવાદ થાય તો ગુજરાતની જનતાને ઇમામે ઝમાના (અ.સ.)ની એમની જાણમાં વધારો થાય. અમને વર્ષોથી ઇચ્છા રહી છે કે અમે આ અવારનવાર થતી માંગને પૂર્ણ કરીયે.
માસુમ (અ.સ.) ની એક હદીસ છે જેમાં આપે ફરમાવ્યું છે કે જે વ્યક્તિ પોતાના જમાનાના ઇમામને ઓળખ્યા વગર મરી જશે તો જેહાલતની – કુફ્રની – મૌત મરશે. અમે અમારી ફરજ સમજીને આ વખતે કોશીશ કરી આપની સમીક્ષ આ ગુજરાતી ‘અલ – મુન્તઝર’ (અ.સ.) રજુ કરીએ છીએ.
આશા છે કે ઇમામે ઝમાના હઝરત હુજ્જતુલ ઇબ્નલ હસન અલ – અસ્કરી (અ.સ.) ને અમારો ગુજરાતી જનતા પ્રત્યેનો આ પ્રયાસ પસંદ આવે. – આમીન….
* ગયા વર્ષનો નિસ્ફે – શાબાનનો અંક ફક્ત ઉર્દૂમાં જ પ્રકાશીત કરી શક્યા હતા. અને અમારી કોશિશ હોવા છતાં ગુજરાતીમાં અંક પ્રગટ ન થઇ શકાયો એ બદલ અમે દિલગીર છીએ.-સંપાદક.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *