અલ-અબ્કરીયતો અલ-હેસાનો

Print Friendly, PDF & Email
અલ મુન્તઝરના ખાસ અંકોમાં ઇમામે ઝમાના(અ.સ.)ને સંબંધિત કિતાબોનો પરિચય થતો રહે છે અને આ અંકમાં ઉમદા અને કિંમતી કિતાબ “અલ અબ્કરીયતો અલ-હેસાનો ફી અહવાલે મવ્લાના સાહેબિ અઝ્-ઝમાને” (અ.ત.ફ.શ.) નો ટુંકમાં પરિચય રજુ કરીએ છીએ.
સંકલનકર્તા:
આ કિતાબના લેખક હઝરત શૈખુલ ફોકહા વલ મોહદ્દેસીન આયતુલ્લાહ મરહૂમ હાજી શૈખ અલી અકબર નેહાવંદી છે. આપ હિ.સ. ૧૨૮૦માં પૈદા થયા અને તે સમયના શ્રેષ્ઠ ઓલમાં જેમકે મુલ્લા લુત્ફુલ્લાહ માઝન્દરાની, મીર્ઝા હબીબુલ્લાહ રીશ્તી શરીઅત ઇસ્ફહાની, મરહૂમ મામકાની અને હાજી નૂરી મુસ્તદ્રકુલ વસાએલના લેખકના શાગીર્દ હોવાનો શરફ હાસિલ કર્યો.
આપ પાકીઝગી અને તકવા માટે ખૂબ જ મશ્હૂર હતા. અને ઝોહદ તથા પરહેઝગારીમાં તે ઝમાનામાં બેનમૂન અને અદ્વિતીય હતા. આથી જ ઘણા બધા ઓલમા અને મુબલ્લેગીન (દીનનો પ્રચાર કરનારાઓ) આપની પાસેથી રિવાયતની મંજૂરી મેળવતા રહેતા હતા.
આપ જામેઅ મસ્જીદ ગૌહરશાદમાં નમાઝે જમાઅત પઢાવતા હતા. આપની નમાઝ સૌથી વધારે લાંબી રહેતી. એ છતા પણ આપની પાછળ પુષ્કળ સંખ્યામાં લોકો નમાઝ પઢતા હતા અને સંખ્યા તથા સ્થિતિની દ્રષ્ટિએ આ જમાતની ગણતરી ખુરાસાનમાં પ્રથમ દરજ્જા પર આવતી હતી.
આપ ઇબાદત અને ખુઝૂઅ તેમજ ખુશૂઅમાં અદ્વિતીય અને અજોડ હતા અને આખરે ૧૯ રબીઉલ અવ્વલ હિ.સ. ૧૩૬૯માં આ નાશવંત દુનિયાને છોડી ગયા. હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)ના પગ તરફ હરમના દર્બમાં દફ્ન થયા.
સંકલનો:
એહલેબૈતના ઉલૂમથી માલામાલ હતા. જ્યાં ઇબાદત, તકવા અને પરહેઝગારીની મંઝિલ પર ઉચ્ચ મકામ પર હતા, ત્યાં ઇલ્મી કોશીશોમાં પણ આપનો કોઇ જવાબ ન હતો. જુદા જુદા વિષયો પર કિતાબોનું લેખન અને સંકલન કર્યુ. એમાંથી આ કિતાબો આજે પણ મૌજૂદ છે.
૧. ખઝીનતુલ જવાહેર ૨. ગુલઝારે અકબરી ૩. વસાએલુલ અબીદ ૪. રાહતુર્ ‚હ ૫. જવાહે‚લ કલેમાત ૬. અન્વા‚લ મવાહીબ ૭. અન્હા‚ન્ નવાએબ ૮. અલ ફવાએદુલ કુફીયતાહ્ ૯. રસનહતુલ નેદા ૧૦. તૂરે સીના ૧૧. અનાવીનુલ્ લુમ્આત ૧૨. લુમ્આતુલ અન્વાર ૧૩. મોફર્રેહુલ કોલૂબ ૧૪. અલ બુન્યાનુર રફીઅ ૧૫. અલ જન્નતુલ આલીયા ૧૬. જન્નતાને મુદ્હામ્મતાન ૧૭. અલ યાકૂતુલ અહ્મર
કેવી રીતે અમુક લોકોએ ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)થી મુલાકાતનો શરફ હાસિલ કર્યો?
ગયબતે કુબરાના સમયમાં ઘણા બધા લોકોએ હઝરત વલીએ અસ્ર(અ.સ.)ની ઝિયારતનો શરફ હાસિલ કર્યો છે. અને ખુદાની આ ઇનાયત અને મોહબ્બતથી ભાગ્યશાળી થયા છે.
મુલાકાતના બનાવો એટલા વિપૂળ પ્રમાણમાં મળે છે કે સાબિતીની જ‚ર નથી. પરંતુ એક મુદ્દો જે ચર્ચા અને સંશોધન માંગી લે છે તે એ છે કે એ લોકોએ કેવી રીતે આ મહાન ફૈઝને હાસિલ કરવાની કાબેલીયત મેળવી?
શું તેમના તકવા, પરહેઝગારી અને નેક આમાલના કારણે આ લાયકાત મળી? અથવા શું તેમના ઇલ્મી અને ‚હાની દરજ્જાત બુલંદ હતા, એટલે હઝરત(અ.ત.ફ.શ.)ની ઝિયારતમાં કામિયાબ થયા અથવા ફક્ત હઝરત (અ.ત.ફ.શ.)ના લુત્ફ અને મહેરબાનીના લીધે તેઓ ઝિયારતથી મુશર્રફ થયા?
ઘણી બધી મશ્હૂર અને મઅ્‚ફ હદીસો જે હઝરત બકીય્યતુલ્લાહ અર્વાહોના ફીદાહની તરફથી તે હઝરતના ચોથા નાએબે ખાસ શૈખ અલી બિન મોહમ્મદ સય્મૂરી (ર.અ.)ની પાસે પહોંચી છે, તેના પર વિચાર કરવામાં આવે તો હકીકત માલૂમ થાય છે.
“અલા ફ મનીદ્દઅલ મુશાહદા કબ્લ ખો‚જીસ્સુફયાની વસ્સય્હતે ફ હોવ કાઝેબુન મુફતરે…..
“જાણી લ્યો જે કોઇ સુફીયાનીના ખુ‚જ અને આસ્માની
અવાજના પહેલા હઝરતના જોવાનો દાવો કરે તે જુઠ્ઠો અને તોહમત લગાવનાર છે.
આ હદીસથી સાફ જાહેર થાય છે કે બાબીય્યતને (ઇરાનમાં આવેલ એક ફીરકો સંપ્રદાય) અને તે હઝરત (અ.સ.) સાથે સ્વૈચ્છીક સંપર્કને રદીયો આપવામાં આવ્યો છે. આથી ગયબતે કુબરામાં કોઇ પણ શખ્સ કોઇપણ કારણથી અને કોઇ પણ તરીકાથી આ દાવો નથી કરી શકતો કે ફલાણું કામ હઝરતની ઝિયારત અને મુલાકાતનું કારણ છે કારણકે જો આવું હોય તો દરેક વ્યક્તિ આ કામને બજાવી લાવશે અને હઝરતની ઝિયારત કરશે અને આ એક પ્રકારની બાબીયત છે.
બીજી તરફ અગર આપણે જુદા-જુદા કિસ્સાઓ અને મુલાકાતના બનાવો પર વિચાર કરીએ તો એ વાત સ્પષ્ટ થઇને સામે આવે છે કે મુલાકાતીઓ, મુશર્રફીનમાં ક્યારેક બુઝુર્ગ અને મશ્હૂર ઓલમાં દેખાય છે તો ક્યારેક નેક અને મુત્તકી લોકો દેખાય છે અને ક્યારેક મામૂલી અને સામાન્ય માણસો તેમજ તેઓમાંથી અમૂક એહલેસુન્નત અને અમૂક કાફિર પણ નજરે  પડે છે. આ કારણે અને તેઓ લોકોની હાલતો અને ‚હાનિય્યત અને માનસિકતા જુદી જુદી હોવાના કારણે માલુમ થાય છે કે તે હઝરત(અ.સ.)થી મુલાકાતનો શરફ હાસિલ કરવાવાળાઓનો કોઇ ખાસ વર્ગ અથવા સમૂહ હતો નહી અને ન છે. પરંતુ હઝરત ખાસ અને સામાન્યને પોતાની ઇનાયત અને બરકતોથી નવાઝે છે. મખ્લુક અને તેના બંદા પર ખલીફા હોવાની હૈસીયતથી હઝરતે હુજ્જતે ખુદા(અ.સ.)ની તરફથી અને મસલેહતથી આ શરફ જારી થાય છે.
અલ અબ્કરીયુલ હેસાન:
આ કિતાબ જેનો પરિચય રજૂકરી રહ્યા છીએ, તેમાં એવા જ ખુશનસીબ લોકોની હિકાયત વર્ણવવામાં આવી રહી છે જેમના નસીબમાં ઇમામ મહદી(અ.સ.)ની ખાસ બરકતો અને ઇનાયતો પહોંચી અને તેઓ ગૌરવશાળી બની ગયા.
કિતાબ અલ અબ્કરીયુલ હેસાનની જે કોપી અમારી પાસે મૌજૂદ છે તે બે ભાગની બનેલ છે. જેનું પ્રકાશન તથા વેચાણ દબીસ્તાને તેહરાનનું છે.
પાંચ હિસ્સા:
કિતાબ અલ અબ્કરીયુલ હેસાન બે ભાગ છે અને ૫ાંચ હિસ્સાઓની બનેલી છે.
પ્રથમ ભાગમાં ત્રણ હિસ્સા અને બીજી ભાગમાં બે હિસ્સા છે. ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદતથી લઇને ગયબતે સુગરા તેમજ ગયબતે કુબરામાં મુલાકાત કરવાવાળાઓની દાસ્તાનો વર્ણવવામાં આવી છે.
સનદો:
કિતાબની ખૂબી એ છે કે દરેક હિકાયતની શ‚આતમાં સંકલનકર્તાએ સનદો લખી છે. ઓલમાં અને સંશોધનકર્તાઓ માટે આ સનદો ખૂબજ મહત્વ ધરાવે છે. અલબત્ત અમુક સનદો લાંબી છે.
કિતાબનું વિભાજન:
જેવી રીતે અમે બયાન કર્યુ કે આ કિતાબ પાંચ હિસ્સાઓની બનેલી છે, પરંતુ અમે અહીં તરતીબ અને તફસીલથી હટીને વિષયોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ જે નીચે પ્રમાણે છે.
પ્રથમ હિસ્સો:
આ હિસ્સામાં એવા મુલાકાતીઓના બનાવો છે કે જેમાં મુલાકાતના મૌકા ઉપર તે લોકોએ ઇમામે ઝમાના(અ.સ.)ને ઓળખી લીધા. આ હિસ્સામાં એવી મુલાકાતીઓના બનાવો પણ છે કે જેમાં મુલાકાતના સમયે ઇમામે ઝમાના(અ.સ.)ને ઓળખ્યા નહી, પણ પછીથી હાલાતોની પહેલાની અને પછીની પરિસ્થિતિની તરફ ધ્યાન કર્યુ તો સમજાણું કે ઇમામે અસ્ર (અ.સ.)થી મુલાકાત કરી છે અને અમુક એવી હિકાયતો છે કે જેમાં ખબર ન પડી કે હઝરતને ઓળખ્યા કે ન ઓળખ્યા.
બીજો હિસ્સો:
આ હિસ્સામાં મુશાહેદાત મુકાશેફાતનું વર્ણન થયુ છે-મુકાશેફા એટલે સ્વપ્ન અને બેદારીની વચ્ચેની હાલત. મુકાશેફામાં ઇન્સાન તે ચીજોને જુએ છે જે જાહેરી જ્ઞાનેન્દ્રીયોથી સંબંધ ન રાખતી હોય. પરંતુ તેના ‚હાની અને મઅનવી સમજણ તરફ પલટે.
સ્વપ્નમાં ઇન્સાનનું સાંભળવુ અને જોવુ એ જાહેરી આંખોથી નથી હોતુ, જ્યારે કે મુકાશેફામાં ‚હ હકીકતોને સમજવામાં મશ્ગૂલ હોય છે, અને તે સમયે જાહેરી કાન આજુ-બાજુના અવાજોને સાંભળે છે.
ત્રીજો હિસ્સો:
આ હિસ્સામાં ખ્વાબમાં ઇમામ(અ.સ.)ની ઝિયારતથી મુશર્રફ થવાવાળા લોકોનો ઉલ્લેખ છે. આ સાચા સ્વપ્ન છે.
ચોથો હિસ્સો:
આ હિસ્સામાં ઇમામે અસ્ર(અ.સ.)ની તજલ્લીઓનું વર્ણન થયુ છે, એટલેકે મુલાકાત કરવાવાળાઓ પર નૂર અથવા અવાજ અથવા હઝરત વલીએ અસ્ર(અ.સ.)ની ખુશ્બુ સાથે હાંસિલ કરી છે.
પાંચમો હિસ્સો:
આ હિસ્સામાં એવા લોકોનો ઉલ્લેખ છે જેઓએ હઝરત ઇમામે અસ્ર(અ.સ.)થી તવસ્સુલ કર્યુ અને યોગ્ય પરિણામ હાસિલ કર્યુ હોય.
તવસ્સુલ:
આ વર્ગીકરણથી એ બાબત સામે આવે છે કે ગયબતે કુબરામાં આપણે ઇમામે ઝમાના(અ.સ.)થી મુલાકાત કરીએ કે ન કરીએ, તેમની જાહેરી ઝિયારતનો શરફ મળે કે ન મળે, ખ્વાબ અને મુકાશેફામાં ઇમામ(અ.સ.)ને મળીએ કે ન મળીએ, પરંતુ તે હઝરત(અ.સ.)થી તવસ્સુલના થકી યોગ્ય પરિણામો અને આપણી મુશ્કેલીઓનો ઉકેલ મેળવી શકીએ છીએ. એટલા માટે દરેક શીઆની જવાબદારી છે કે સતત તવસ્સુલ કરતો રહે અને તેમના ઝુહૂર માટે દોઆ કરતો રહે.
હઝરત વલીએ અસ્ર(અ.સ.)ની બરકતો:
અહીં અમૂક વાકેઆત વર્ણવી રહ્યા છીએ. જેમાં ખુશનસીબ અને દીદારના ઇચ્છુક લોકોને ઇમામે ઝમાના(અ.સ.)એ પોતાના ચમકતા કપાળ અને સોંદર્ય મુબારકની ઝિયારતનો શરફ અતા કર્યો.
મોહમ્મદ બિન અલી રવ્વાદ અને ઇબ્ને જઅફર દહ્હાનની મૂલાકાત:
મોહમ્મદ બિન અલી રવ્વાદ રવાસી કહે છે કે, એક દિવસ માહે રજબમાં મોહમ્મદ બિન જઅફર દહ્હાનની સાથે મસ્જીદે સહલાની તરફ ચાલ્યા. મોહમ્મદે મને કહ્યું કે મને મસ્જીદે સાઅસાઅ લઇ જાવ. (અમી‚લ મોઅમેનીન(અ.સ.) અને અઇમ્મએ અત્હાર(અ.મુ.સ.)એ આ મસ્જીદમાં નમાઝ અદા કરી છે, અને પોતાના કદમ મુબારકથી આ જગ્યાને શરફ અતા કર્યો છે. એટલા માટે આ મસ્જીદ ખૂબજ બરકતવાળી છે.) અમે તે મસ્જીદની તરફ ગયા. ત્યાં અમે નમાઝની હાલતમાં જોયુ કે એક આદમી ઉંટ ઉપર સવાર થઇને આવી રહ્યો છે. તે પોતાના ઉંટ ઉપરથી ઉતર્યા અને એક છાંયામાં પોતાના ઉંટને બાંધી દીધો, અને મસ્જીદમાં દાખલ થયા અને બે રકાત નમાઝ પઢી, અને નમાઝ લાંબી હતી. તેના પછી પોતાના હાથોને ઉંચા કર્યા અને કહ્યું. “અલ્લાહુમ્મ યા ઝલ મેનનીસ્સાબેગાહ…….. દુઆના અંત સુધી (આ દુઆ દુઆઓની કિતાબમાં માહે રજબના અઅમાલ અને મસ્જીદે સાઅસાઅના આમાલમાં વર્ણવાએલી છે. મફાતીહુલ જીનાનમાં પણ મૌજૂદ છે.) પછી તે ઉભા થયા અને પોતાના ઉંટની પાસે ગયા અને તેના પર સવાર થઇ ગયા. મોહમ્મદ બિન જઅફર દહ્હાને મને કહ્યું: શું આપણે તેમને સવાલ ન કરીએ કે તેઓ કોણ છે? મેં તેમની વાતને માની અને ઉભો થયો અને તેમની પાસે જઇને કહ્યું કે ‘આપને અલ્લાહની કસમ આપીએ છીએ કે અમને જણાવો કે આપ કોણ છો?’ તેમણે ફરમાવ્યું: તમને ખુદાની કસમ આપુ છુ કે તમે વિચારો કે હું કોણ છુ? ઇબ્ને જઅફરે દહ્હાને કહ્યું કે ‘હું સમજુ છું કે આપ ખિઝ્ર(અ.સ.) છો.’ તે શખ્સે મને કહ્યું કે ‘શું તુ પણ એમજ સમજો છો કે હું ખિઝ્ર(અ.સ.) છું?’ મેં કહ્યું: હું પણ વિચારી રહ્યો છું કે તમે ખિઝ્ર(અ.સ.) છો. આપ(અ.સ.)એ  ફરમાવ્યુ: ‘ખુદાની કસમ! હું એ છું કે ખિઝ્ર(અ.સ.) જેના દીદારના મોહતાજ છે. તમે પાછા ફરો, હું તમારા ઇમામે ઝમાના(અ.સ.) છું’
(અલ અબકરીયુલ હેસાન, ભાગ:૨, પાના:૬૦, ૨૮મીં લાઇન)
પરગના હિન્દુસ્તાનમાં:
મરહૂમ આકા સૈયદ અલી તબરેઝી દામાદ વર્ણવે છે કે અમુક દિવસો હું હિન્દુસ્તાનના પરગનામાં રોકાણો હતો. એક દિવસ પોતાના ઘરમાં બેઠો હતો કે અચાનક એક પ્રભાવશાળી ઔરત મારા કમરામાં દાખલ થઇ, અને કોઇપણ જાતની પ્રસ્તાવના વગર પોતાની ચાદરને હટાવી દીધી અને પોતાનો ચેહરો મને બતાવ્યો. મેં જોયુ કે એક યુવાન ઔરત, ખુબસૂરત પરંતુ ખૂબજ કમઝોર અને અશક્ત છે.
તે ઔરતે કહ્યું કે મારી કમઝોરીનું કારણ એ છે કે હું એક જીનના પંજામાં ફસાઇ ગઇ છું. તેણે મારી આવી હાલત બનાવી દીધી છે. તેનાથી છુટકારા માટે મારી પાસે કોઇ પણ રસ્તો નથી સિવાય કે હું આપની સમક્ષ રજુ થાવ. કારણકે આપ એક સૈયદ અને પયગમ્બર(સ.અ.વ.)ના ખાનદાનમાંથી છો. એની વાત પૂરી થયા બાદ મેં તેને કહ્યું: જ્યારે પણ તે જીન જાહેર થાય તું આયતુલ કુરસીની તિલાવત કરજે. તે તારી પાસેથી ભાગી જશે. તેણે કહ્યું કે ‘હું આયતુલ કુરસી નથી જાણતી’ અમૂક દિવસો તકલીફ ઉપાડીને તેને આયતુલ કુરસી યાદ કરાવી. અમૂક દિવસો પછી તે આવી અને શુક્રિયા અદા કર્યો કે આ આયતે મુબારેકાની બરકતથી જ્યારે પણ તે જાહેર થતો તો હું પઢતી અને તેના નુકસાનથી મેહફૂઝ થઇ જતી.
સૈયદ અલી ફરમાવે છે કે અમૂક દિવસો આ રીતે પસાર થઇ ગયા,એક દિવસ મેં જોયુ કે દેડકાની જેવી એક કાળા રંગની વસ્તુ મારા ‚મની છત ઉપર ચોંટેલી છે, અને ધીમે ધીમે નીચે આવી રહી છે અને જેમ જેમ નીચે આવતી હતી તેમ તેનુ કદ વધતુ જતુ હતુ. ત્યાં સુધી કે તે ઓરડાની જમીન પર આવી ગઇ એવામાં મેં જોયુ કે તેણે એક અજીબ સ્વ‚પ ધારણ કરેલુ છે કે જેને જોઇને હું ભયભીત થઇ ગયો. તેણે ખૂબજ ઉંચા અવાજે અને ગુસ્સાપૂર્વક મને કહ્યુ: તે આયતુલ કુરસીની તાલીમ આપીને મારી પાસેથી મારા મહેબૂબને અલગ કરી દીધી, હવે હું તને ખત્મ કરી દઇશ. મેં આયતુલ કુરસી પઢવાનું શ‚ કરી દીધુ. તે અજીબ સ્વ‚પ ધીમે ધીમે નાનુ થવા લાગ્યુ. ત્યાં સુધી કે પોતાના અસ્લ સ્વ‚પમાં આવી ગયુ, અને પછી ગાએબ થઇ ગયુ. ઘણી વાર તે આવી રીતે આવ્યો અને મને ખત્મ કરવાનો ઇરાદો કર્યો, પરંતુ હું આયતુલ કુરસીની તિલાવત થકી તેના નુકસાનથી નજાત પામી ગયો.
એક દિવસ હું ફરવા માટે શહેરની બહાર ગયો, શહેરની નજદીક જંગલ હતુ. જ્યારે હું એ જંગલમાં પહોંચ્યો તો મેં જોયુ કે અચાનક એક ખૂબ જ મોટો અજગર વૃક્ષોની વચ્ચેથી બહાર નીકળ્યો અને ચીસો પાડવા લાગ્યો, ‘હું એ જ જીન છુ, અને હવે હું તને હલાક કરી દઇશ. હું જોવ છુ કે હવે કોણ તને મારા પંજામાંથી બચાવશે?’ જેવી તેની વાત પૂરી થઇ તો તરત જ મને ઇલ્હામ થયુ, અને મજબૂરોના ફરીયાદરસ અને મુસીબતોમાં તેઓને નજાત દેવાવાળા હઝરત સાહેબુઝ્ઝમાન (અ.સ.)ની તરફ મુતવસ્સીલ થયો અને તે જીનને કહ્યુ: હઝરતે હુજ્જત(અ.સ.) મને બચાવશે.
મારા મોઢામાંથી જેવુ આ વાક્ય બહાર આવ્યુ કે એક સૈયદ જવાન જેના માથા ઉપર લીલા રંગનો અમામો અને હાથમાં એક કુહાડી હતી, તેને મેં મારી સામે જોયા. આપ જનાબે કુહાડી મને આપી અને કહ્યું: આ અજગરને ખત્મ કરી દો. મેં કહ્યું: મારા મૌલા! ખૌફના લીધે હું મારા શરીરમાં તાકત મહેસૂસ નથી કરતો. હું કેવી રીતે આ કુહાડી લઉ? પછી આપે તે કુહાડી લીધી અને તે અજગરના માથા પર વાર કર્યો, અને તેને હલાક કરી દીધો. પછી મને ફરમાવ્યુ: જાવ, હવે તમે આના શરથી સુરક્ષિત થઇ ગયા. મેં સવાલ કર્યો: આપ કોણ છો? ફરમાવ્યુ: તે કોનાથી તવસ્સુલ કર્યુ હતુુ, અને મદદ માંગી હતી? મેં કહ્યું: ઇમામે અસ્ર(અ.સ.)થી મુતવસ્સીલ થયો હતો. આપ(અ.સ.)એ ફરમાવ્યુ: હું ઝમાનાની હુજ્જત અને ઇમામે ઝમાના છું અને આપ મારી નજરોથી ગાએબ થઇ ગયા. મેં અલ્લાહની બારગાહમાં આ અઝીમ નેઅમતનો શુક્રીયા અદા કર્યો.
(ભાગ:ર, પાના:૨૦૪, સત્ર:૨૫)
ઇમામે વક્તએ જ હજરે અસ્વદને નસ્બ કર્યો:
આ વાકેઆથી જાહેર થાય છે કે હજરે અસ્વદને સ્થાપિત કરવુ હુજ્જતે ખુદાના થકી જ શક્ય છે. અબુલ કાસિમ જઅફર બિન મોહમ્મદ કુલવીયા ફરમાવે છે, હું હિ.સ. ૩૩૭માં (ગયબતે કુબરાની શ‚આતનો જમાનો હતો. આ એ વર્ષ હતુ જેમાં કરામતાએ હજરે અસ્વદને મસજીદુલ હરામમાં પાછો મોકલી દીધો હતો.) બયતુલ્લાહની ઝિયારતના ઇરાદા સાથે બગદાદ પહોંચ્યો અને આ સફરનો હેતુ એ હતો કે હું એ શખ્સને જોઉ કે જે હજરે અસ્વદને સ્થાપિત કરશે, કારણકે મેં કિતાબોમાં વાંચ્યુ હતુ કે હજરે અસ્વદને તેની જગ્યાએથી કાઢવો અને બેસાડવો એ ઝમાનાની હુજ્જત(અ.સ.)ના થકી થાય છે. (જેમ કે હજ્જાજ લઅ્નતુલ્લાહો અલય્હના ઝમાનામાં તેની જગ્યાએથી નિકાળવામાં આવ્યો, અને જેને પણ તેને તેની જગ્યાએ મુકવાની કોશિષ કરી પણ તેને તેની જગ્યાએ મુકી ન શક્યો, ત્યાં સુધી કે ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ પોતાના મુબારક હાથથી તેને તેની જગ્યા પર સ્થાપિત કરી દીધો.)
હું બગદાદમાં ખૂબ જ બિમાર થઇ ગયો. ત્યાં સુધી કે મેં પોતાની જાતને મૌતની નઝદીક જોઇ. આથી હું મારા મકસદથી (બયતુલ્લાહની ઝિયારતથી) નાઉમ્મીદ થઇ ગયો. મેં એક શખ્સ ઇબ્ને હિશામને મારો નાયબ બનાવ્યો અને એક પત્ર બંધ કરીને મહોર લગાડીને તેના હવાલે કર્યો, અને તે પત્રમાં મારી ઉમ્ર વિશે સવાલ કર્યો અને પુછ્યુ કે ‘આ બિમારીમાં મારી મૌત થશે કે નહીં?’ અને તે શખ્સને કહ્યું કે ‘આ પત્ર રવાના કરવાનો મારો મહત્વનો હેતુ એ છે કે તુ આ પત્રને તે શખ્સના હવાલે કરજે કે જે હજરે અસ્વદને તેની જગ્યા પર નસ્બ કરે. પછી તુ તેમની પાસેથી આ પત્રનો જવાબ લેજે, કારણકે હું તને ફક્ત આ કામ માટે જ મોકલી રહ્યો છું.’
ઇબ્ને હિશામ કહે છે કે જ્યારે હું મક્કએ મોઅઝ્ઝમામાં દાખલ થયો અને લોકો ચાહતા હતા કે હજરે અસ્વદને તેની જગ્યાએ મુકે. અમૂક રકમ ખુદ્દામને આપી જેથી તે મારી મદદ કરે એ શખ્સને જોવામાં, જે હજરે અસ્વદને નસ્બ કરશે. મારી નજદીક અમૂક લોકો નિયુક્ત થઇ ગયા. જે લોકોની ભીડથી મારી હિફાઝત કરી રહ્યા હતા. જે પણ હજરે અસ્વદને નસ્બ કરવા ચાહતા હતા, તો હજરે અસ્વદ ધ્રુજવા લાગતો અને પોતાની જગ્યા પર સ્થિર ન થતો. એવામાં એક ઘઉંવર્ણા રંગના અને ખૂબસૂરત જવાન જાહેર થયા અને તેમણે પત્થરને પોતાની જગ્યાએ મૂકી દીધો. હજરે અસ્વદ એ જગ્યાએ એવી રીતે સ્થિર થઇ ગયો કે જાણે કોઇએ ક્યારેય તેને તેની જગ્યાએથી કાઢ્યો જ ન હોય!
જ્યારે લોકોએ આ જોયુ તો તકબીરની અવાજો બુલંદ થવા લાગી અને તે જવાન મસ્જીદુલ હરામમાંથી બહાર નિકળી ગયા. હું તેમની પાછળ પાછળ ગયો. મજમાને ચીરીને તેની પાછળ ભાગી રહ્યો હતો. તો લોકોને એમ લાગ્યુ કે કદાચ હું પાગલ અથવા બિમાર છું. હું તો દોડી રહ્યો હતો, પરંતુ તે જવાન ખૂબજ વકારપૂર્વક આરામથી ચાલી રહ્યા હતા. પરંતુ હું તેની પાસે પહોંચી શક્યો નહીં. ત્યાં સુધી કે હું એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં મારી સિવાય બીજુ કોઇ ન હતુ, જે એમને જોઇ શકે. તેઓ ઉભા રહ્યા અને મને કહ્યુ: જે ચીજને તુ લઇને આવ્યો છે તે મને આપી દે. મેં પત્રને તેમના હવાલે કર્યો. તે પત્રને ખોલ્યા વિના ફરમાવ્યુ કે આ પત્ર મોકલનારને કહી દેજો કે તે આ બિમારીથી નહી મરશે પરંતુ આજથી ૩૦ વરસ સુધી જીવતા રહેશે. ઇબ્ને હિશામ કહે છે કે તે સમયે હું એટલો રડી પડ્યો કે હું ચાલી ન શક્યો. તે જવાન મને એ હાલતમાં છોડીને ચાલ્યા ગયા, ત્યાં સુધી કે તે નજરોથી ગાએબ થઇ ગયા.
અબુલ કાસિમ જઅ્ફર બિન મોહમ્મદ કવલવયાહ કહે છે કે ઇબ્ને હિશામે હજથી પાછા ફરીને મને આ બનાવથી આગાહ કર્યો. મૂળ વાકેઓ વર્ણવવાવાળા કહે છે કે આ બનાવને ૩૦ વર્ષ પસાર થવા પછી ઇબ્ને કુલવીયા બિમાર થયા અને પોતાની આખેરતની તૈયારીમાં મશ્ગૂલ થયા. પોતાની વસીય્યત લખી અને કફન તૈયાર કર્યુ અને પોતાની કબ્રની જગ્યાને નક્કી કરી. લોકોએ તેમને કહ્યું કે તમે શા માટે આ બિમારીથી ડરો છો? અમોને આશા છે કે ખુદા તમારી ઉપર ફઝ્લ કરશે અને તમો તંદુરસ્ત થઇ જશો. તેમણે જવાબ આપ્યો કે આ એ જ વર્ષ છે કે જેમાં મને મારી મૌતની ખબર આપવામાં આવી છે. તેજ વર્ષે અને તેજ દિવસે તેમની મૌત વાકેઅ થઇ, અને રહેમતે ઇલાહીથી જોડાઇ ગયા.
(ભાગ:૨, પાના:૫૭,  ત્રીજી લાઇન)
અંત:
ઇમામે ઝમાના(અ.સ.)નો લુત્ફો,કરમ અને બરકતોનો સિલસિલો શ‚ છે. આ લેખમાં જુના બનાવો વર્ણવ્યા છે, પરંતુ હકીકત એ છે કે આજે પણ મદદ તલબ કરવાવાળાઓ ઇમામ(અ.સ.)ની મદદથી ફાયદો મેળવે છે. અહીં એક બનાવ આપણા સમયનો વર્ણવીએ છીએ…
તાજેતરમાં આપણા એક મહાન આલિમ શૈખ મોહમ્મદ અલ અમ્રીનો ઇન્તેકાલ થયો છે. આપ મદીનએ મુનવ્વરાના રહેવાસી હતા, અને મૃત્યુ સમયે આપની ઉમ્ર લગભગ ૧૩૫ વર્ષ હતી. જન્નતુલ બકીઅમાં આપને દફ્ન કરવામાં આવ્યા. આપના વિશે એ મશ્હૂર હતુ કે આપે ઇમામે ઝમાના(અ.સ.)ની સાથે મુલાકાત કરી છે. હઝરતે આપને સઉદીની જેલમાંથી છુટકારો અપાવ્યો.
અલ-મુન્તઝરના પ્રતિનિધિઓએ ઇ.સ. ૧૯૯૮ પ્રમાણે મોહર્રમ હિ.સ. ૧૪૩૦માં શૈખ મોહમ્મદ અલી અલ અમ્રી અને તેમના વ્હાલા ફરઝંદ હઝરત હુજ્જતુલ ઇસ્લામ હાજી શૈખ કાઝિમ અમ્રીની મુલાકાતનો શરફ હાસિલ કર્યો, અને જનાબ શૈખ કાઝિમ અમ્રીને પુછ્યુ કે બનાવ શું છે? લોકો એમ કહે છે કે આપના વાલીદે ઇમામે ઝમાના(અ.સ.)થી મુલાકાત કરી છે. તેઓએ તરતજ કહ્યું: એવી કોઇ વાત નથી. તે લોકોએ કહ્યુ, પરંતુ આ વાત બહૂજ પ્રચલિત છે. આપ તેની સ્પષ્ટતા કરો. બહૂજ આગ્રહ કરવા પછી તેઓએ કહ્યુ….
વાકેઓ આ રીતે છે કે આજથી લગભગ ૭૦વર્ષ પહેલા જ્યારે કે આપ પૈદા પણ નહોતા થયા, મારા વાલિદને તથા ઘણા બધા શીઆઓને સઉદી હુકૂમતે ફક્ત શીઆ હોવાના લીધે ગિરફ્તાર કરી લીધા, અને બાબે જીબ્રઇલની સામે શીઆઓ ઉપર ઝુલ્મો થયા, ત્યાં સુધી કે બે શીઆ તેમાં શહીદ થઇ ગયા, અને ઘણા બધા શીઆઓની સાથે મારા વાલિદને પણ ગિરફ્તાર કરી લીધા. મારા વાલિદ કારણ કે તેઓ આલિમનું સ્થાન ધરાવતા હતા, તેઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી.બાદમાં શીઆઓએ ઘણો બધો વિરોધ કર્યો તો મારી વાલિદની ફાંસીની સજાને ઉમ્રકૈદની સજામાં બદલી નાંખવામાં આવી અને શહેરથી દૂર કોઇ જેલમાં મોકલી દેવામાં આવ્યા. અમારા ખાનદાન અને કબીલાના લોકોને આ બાબતની કોઇ જાણ નહોતી કે તેઓને ઉમ્ર્ર્ર્ર્રકૈદ થઇ છે. પરંતુ ખાનદાનના લોકો એમજ સમજી રહ્યા હતા કે તેમને ફાંસી થઇ ગઇ છે. એક વર્ષ પછી મારા વાલીદ ઘરે પરત આવ્યા. લોકોએ તેમને જોયા તો ખુશીનો પાર ન રહ્યો. બધાએ તેમને પુછ્યુ કે બનાવ શું છે? તેઓએ ખાસ-ખાસ લોકોને બનાવ વર્ણવ્યો, અને ત્યારપછી અમને પણ તેઓએ બનાવ બયાન કર્યો. આપે ફરમાવ્યુ કે…
જ્યારે મને શહેરની બહાર લઇ જવામાં આવ્યો, અને હું જેલમાં હતો, હું બારગાહે ખુદાવંદી અને અઇમ્મએ હોદા(અ.મુ.સ.)ની બારગાહથી મુતવસ્સિલ રહેતો અને પોતાની નજાત માટે દુઆ કરતો હતો. એક રાત્રે મેં ખ્વાબમાં જોયુ કે ઇમામે જવાદ(અ.સ.) આવ્યા છે. (શૈખ અમ્રીનું જ્યાં મકાન છે, તે વિસ્તાર અવાલીના નામથી મશ્હૂર છે, તે અવાલીના વિસ્તારમાં મસ્જીદે કુબા પણ છે, અને તે વિસ્તારમાં ઇમામે જવાદ(અ.સ.)નું મકાન હતુ.)
મને ખુશ-ખબરી આપી રહ્યા છે કે ટુંક સમયમાંજ હું આઝાદ થઇ જઇશ. આજ રીતે બીજી રાત્રે ખ્વાબમાં ઇમામ અમી‚લ મોઅમેનીન(અ.સ.) તશ્રીફ લાવ્યા અને તેઓએ પણ ખુશ-ખબરી આપી કે હું ખૂબજ જલ્દી જેલમાંથી છુટી જઇશ. અને ત્રીજી રાત્રે સ્વપ્નમાં ઇમામે ઝમાના(અ.સ.)ને જોયા, એવી રીતે કે આપ(અ.સ.) ઘોડા ઉપર સવાર હતા. આપની સાથે ઘણા બધા અસ્હાબો પણ હતા, અને મક્કાથી મદીના તરફ આવી રહ્યા છે. મને આપ(અ.સ.)એ ફરમાવ્યુ કે ‘મારો એક પ્રતિનિધિ તમારી પાસે આવી રહ્યો છે. તે તમને આઝાદ કરાવશે.’ તે ખ્વાબ પછી જ્યારે હું જાગ્યો તો પરેશાન થયો કે શું બાબત છે? ખ્વાબની તાબીર શું છે? બાદમાં સિપાહીઓ મારી પાસે આવ્યા અને મને ખબર આપી કે મને આઝાદી મળી રહી છે અને આ રીતે મને જેલમાંથી આઝાદી મળી ગઇ. હું બારગાહે ખુદાવંદમાં શુક્રગુઝાર થયો અને મારા મૌલાના ઝુહૂર માટે દુઆ કરવા લાગ્યો.
શૈખ કાઝિમ અમ્રીએ પોતાના વાલિદની વાત વર્ણવ્યા બાદ અલ-મુન્તઝરના પ્રતિનિધિઓને ફરમાવ્યુ:
વાત એમ છે કે હકીકત આ છે કે અમે મદીનામાં ફક્ત એટલા માટે સુરક્ષિત છીએ કે આપણા મૌલા અને આકા ઇમામે ઝમાના(અ.સ.) અમા‚ રક્ષણ કરે છે.
તેમનો ટેકો અમારી સાથે શામિલ છે. આપે પોતાની પાછળની દિવાર તરફ ઇશારો કર્યો કે જેના પર હદીસનું આ લખાણ લાગેલુ હતુ કે….
“ઇન્ના ગય્રો મુહ્મેલીન લે મુરાઆતેકુમ વલા નાસીન લે ઝિક્રેકુમ……
શૈખ કાઝિમએ ફરમાવ્યુ: હઝરત(અ.સ.) આપણા કાર્યોથી ક્યારેય ગાફિલ નથી થતા અને આપણી યાદને ક્યારેય ભૂલાવતા નથી અને અગર આપ(અ.સ.)ની નઝરે ઇનાયત આપણા પરથી હટી જાય તો દુશ્મન આપણને પાછળ ધકેલી દેશે.
આ તૌકીઅમાં હઝરતે આ જ બાબત ફરમાવી છે.
બાદમાં પ્રતિનિધિઓએ પોતે શૈખ મોહમ્મદ અલી અમ્રીની તસ્દીક કરી. અલબત્ત, શ‚આતમાં તો તેમણે કંઇપણ બતાવવાનો ઇન્કાર કર્યો. પરંતુ ખૂબજ આગ્રહ કર્યો તો કહ્યુ કે આ રીતે આપણા મૌલા અને આકાએ અમારી મદદ કરી.
વજ્ અલ્હો અલ્લાહુમ્મ મફ્ઝઅન્ લે મઝલૂમે એબાદેક
“અને અય અલ્લાહ! તે હઝરત(અ.સ.)ને પોતાના મઝ્લૂમ બંદાઓના માટે ફરીયાદે પહોંચનાર બનાવી દે

અલ મુન્તઝરના ખાસ અંકોમાં ઇમામે ઝમાના(અ.સ.)ને સંબંધિત કિતાબોનો પરિચય થતો રહે છે અને આ અંકમાં ઉમદા અને કિંમતી કિતાબ “અલ અબ્કરીયુલ હેસાનો ફી અહ્વાલે મવ્લાના સાહેબીઝ્ઝમાન (અ.ત.ફ.શ.)નો ટુંકમાં પરિચય રજુ કરીએ છીએ.સંકલનકર્તા:આ કિતાબના લેખક હઝરત શૈખુલ ફોકહા વલ મોહદ્દેસીન આયતુલ્લાહ મરહૂમ હાજી શૈખ અલી અકબર નેહાવંદી છે. આપ હિ.સ. ૧૨૮૦માં પૈદા થયા અને તે સમયના શ્રેષ્ઠ ઓલમાં જેમકે મુલ્લા લુત્ફુલ્લાહ માઝન્દરાની, મીર્ઝા હબીબુલ્લાહ રીશ્તી શરીઅત ઇસ્ફહાની, મરહૂમ મામકાની અને હાજી નૂરી મુસ્તદ્રકુલ વસાએલના લેખકના શાગીર્દ હોવાનો શરફ હાસિલ કર્યો.આપ પાકીઝગી અને તકવા માટે ખૂબ જ મશ્હૂર હતા. અને ઝોહદ તથા પરહેઝગારીમાં તે ઝમાનામાં બેનમૂન અને અદ્વિતીય હતા. આથી જ ઘણા બધા ઓલમા અને મુબલ્લેગીન (દીનનો પ્રચાર કરનારાઓ) આપની પાસેથી રિવાયતની મંજૂરી મેળવતા રહેતા હતા.આપ જામેઅ મસ્જીદ ગૌહરશાદમાં નમાઝે જમાઅત પઢાવતા હતા. આપની નમાઝ સૌથી વધારે લાંબી રહેતી. એ છતા પણ આપની પાછળ પુષ્કળ સંખ્યામાં લોકો નમાઝ પઢતા હતા અને સંખ્યા તથા સ્થિતિની દ્રષ્ટિએ આ જમાતની ગણતરી ખુરાસાનમાં પ્રથમ દરજ્જા પર આવતી હતી.આપ ઇબાદત અને ખુઝૂઅ તેમજ ખુશૂઅમાં અદ્વિતીય અને અજોડ હતા અને આખરે ૧૯ રબીઉલ અવ્વલ હિ.સ. ૧૩૬૯માં આ નાશવંત દુનિયાને છોડી ગયા. હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.)ના પગ તરફ હરમના દર્બમાં દફ્ન થયા. સંકલનો:એહલેબૈતના ઉલૂમથી માલામાલ હતા. જ્યાં ઇબાદત, તકવા અને પરહેઝગારીની મંઝિલ પર ઉચ્ચ મકામ પર હતા, ત્યાં ઇલ્મી કોશીશોમાં પણ આપનો કોઇ જવાબ ન હતો. જુદા જુદા વિષયો પર કિતાબોનું લેખન અને સંકલન કર્યુ. એમાંથી આ કિતાબો આજે પણ મૌજૂદ છે.૧. ખઝીનતુલ જવાહેર ૨. ગુલઝારે અકબરી ૩. વસાએલુલ અબીદ ૪. રાહતુર્ ‚હ ૫. જવાહે‚લ કલેમાત ૬. અન્વા‚લ મવાહીબ ૭. અન્હા‚ન્ નવાએબ ૮. અલ ફવાએદુલ કુફીયતાહ્ ૯. રસનહતુલ નેદા ૧૦. તૂરે સીના ૧૧. અનાવીનુલ્ લુમ્આત ૧૨. લુમ્આતુલ અન્વાર ૧૩. મોફર્રેહુલ કોલૂબ ૧૪. અલ બુન્યાનુર રફીઅ ૧૫. અલ જન્નતુલ આલીયા ૧૬. જન્નતાને મુદ્હામ્મતાન ૧૭. અલ યાકૂતુલ અહ્મરકેવી રીતે અમુક લોકોએ ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)થી મુલાકાતનો શરફ હાસિલ કર્યો?ગયબતે કુબરાના સમયમાં ઘણા બધા લોકોએ હઝરત વલીએ અસ્ર(અ.સ.)ની ઝિયારતનો શરફ હાસિલ કર્યો છે. અને ખુદાની આ ઇનાયત અને મોહબ્બતથી ભાગ્યશાળી થયા છે.મુલાકાતના બનાવો એટલા વિપૂળ પ્રમાણમાં મળે છે કે સાબિતીની જ‚ર નથી. પરંતુ એક મુદ્દો જે ચર્ચા અને સંશોધન માંગી લે છે તે એ છે કે એ લોકોએ કેવી રીતે આ મહાન ફૈઝને હાસિલ કરવાની કાબેલીયત મેળવી?શું તેમના તકવા, પરહેઝગારી અને નેક આમાલના કારણે આ લાયકાત મળી? અથવા શું તેમના ઇલ્મી અને ‚હાની દરજ્જાત બુલંદ હતા, એટલે હઝરત(અ.ત.ફ.શ.)ની ઝિયારતમાં કામિયાબ થયા અથવા ફક્ત હઝરત (અ.ત.ફ.શ.)ના લુત્ફ અને મહેરબાનીના લીધે તેઓ ઝિયારતથી મુશર્રફ થયા?ઘણી બધી મશ્હૂર અને મઅ્‚ફ હદીસો જે હઝરત બકીય્યતુલ્લાહ અર્વાહોના ફીદાહની તરફથી તે હઝરતના ચોથા નાએબે ખાસ શૈખ અલી બિન મોહમ્મદ સય્મૂરી (ર.અ.)ની પાસે પહોંચી છે, તેના પર વિચાર કરવામાં આવે તો હકીકત માલૂમ થાય છે.”અલા ફ મનીદ્દઅલ મુશાહદા કબ્લ ખો‚જીસ્સુફયાની વસ્સય્હતે ફ હોવ કાઝેબુન મુફતરે…..”જાણી લ્યો જે કોઇ સુફીયાનીના ખુ‚જ અને આસ્માની અવાજના પહેલા હઝરતના જોવાનો દાવો કરે તે જુઠ્ઠો અને તોહમત લગાવનાર છે.આ હદીસથી સાફ જાહેર થાય છે કે બાબીય્યતને (ઇરાનમાં આવેલ એક ફીરકો સંપ્રદાય) અને તે હઝરત (અ.સ.) સાથે સ્વૈચ્છીક સંપર્કને રદીયો આપવામાં આવ્યો છે. આથી ગયબતે કુબરામાં કોઇ પણ શખ્સ કોઇપણ કારણથી અને કોઇ પણ તરીકાથી આ દાવો નથી કરી શકતો કે ફલાણું કામ હઝરતની ઝિયારત અને મુલાકાતનું કારણ છે કારણકે જો આવું હોય તો દરેક વ્યક્તિ આ કામને બજાવી લાવશે અને હઝરતની ઝિયારત કરશે અને આ એક પ્રકારની બાબીયત છે.બીજી તરફ અગર આપણે જુદા-જુદા કિસ્સાઓ અને મુલાકાતના બનાવો પર વિચાર કરીએ તો એ વાત સ્પષ્ટ થઇને સામે આવે છે કે મુલાકાતીઓ, મુશર્રફીનમાં ક્યારેક બુઝુર્ગ અને મશ્હૂર ઓલમાં દેખાય છે તો ક્યારેક નેક અને મુત્તકી લોકો દેખાય છે અને ક્યારેક મામૂલી અને સામાન્ય માણસો તેમજ તેઓમાંથી અમૂક એહલેસુન્નત અને અમૂક કાફિર પણ નજરે  પડે છે. આ કારણે અને તેઓ લોકોની હાલતો અને ‚હાનિય્યત અને માનસિકતા જુદી જુદી હોવાના કારણે માલુમ થાય છે કે તે હઝરત(અ.સ.)થી મુલાકાતનો શરફ હાસિલ કરવાવાળાઓનો કોઇ ખાસ વર્ગ અથવા સમૂહ હતો નહી અને ન છે. પરંતુ હઝરત ખાસ અને સામાન્યને પોતાની ઇનાયત અને બરકતોથી નવાઝે છે. મખ્લુક અને તેના બંદા પર ખલીફા હોવાની હૈસીયતથી હઝરતે હુજ્જતે ખુદા(અ.સ.)ની તરફથી અને મસલેહતથી આ શરફ જારી થાય છે.અલ અબ્કરીયુલ હેસાન:આ કિતાબ જેનો પરિચય રજૂકરી રહ્યા છીએ, તેમાં એવા જ ખુશનસીબ લોકોની હિકાયત વર્ણવવામાં આવી રહી છે જેમના નસીબમાં ઇમામ મહદી(અ.સ.)ની ખાસ બરકતો અને ઇનાયતો પહોંચી અને તેઓ ગૌરવશાળી બની ગયા.કિતાબ અલ અબ્કરીયુલ હેસાનની જે કોપી અમારી પાસે મૌજૂદ છે તે બે ભાગની બનેલ છે. જેનું પ્રકાશન તથા વેચાણ દબીસ્તાને તેહરાનનું છે.પાંચ હિસ્સા:કિતાબ અલ અબ્કરીયુલ હેસાન બે ભાગ છે અને ૫ાંચ હિસ્સાઓની બનેલી છે.પ્રથમ ભાગમાં ત્રણ હિસ્સા અને બીજી ભાગમાં બે હિસ્સા છે. ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદતથી લઇને ગયબતે સુગરા તેમજ ગયબતે કુબરામાં મુલાકાત કરવાવાળાઓની દાસ્તાનો વર્ણવવામાં આવી છે.સનદો:કિતાબની ખૂબી એ છે કે દરેક હિકાયતની શ‚આતમાં સંકલનકર્તાએ સનદો લખી છે. ઓલમાં અને સંશોધનકર્તાઓ માટે આ સનદો ખૂબજ મહત્વ ધરાવે છે. અલબત્ત અમુક સનદો લાંબી છે. કિતાબનું વિભાજન:જેવી રીતે અમે બયાન કર્યુ કે આ કિતાબ પાંચ હિસ્સાઓની બનેલી છે, પરંતુ અમે અહીં તરતીબ અને તફસીલથી હટીને વિષયોનું વર્ગીકરણ કરી રહ્યા છીએ જે નીચે પ્રમાણે છે.પ્રથમ હિસ્સો:આ હિસ્સામાં એવા મુલાકાતીઓના બનાવો છે કે જેમાં મુલાકાતના મૌકા ઉપર તે લોકોએ ઇમામે ઝમાના(અ.સ.)ને ઓળખી લીધા. આ હિસ્સામાં એવી મુલાકાતીઓના બનાવો પણ છે કે જેમાં મુલાકાતના સમયે ઇમામે ઝમાના(અ.સ.)ને ઓળખ્યા નહી, પણ પછીથી હાલાતોની પહેલાની અને પછીની પરિસ્થિતિની તરફ ધ્યાન કર્યુ તો સમજાણું કે ઇમામે અસ્ર (અ.સ.)થી મુલાકાત કરી છે અને અમુક એવી હિકાયતો છે કે જેમાં ખબર ન પડી કે હઝરતને ઓળખ્યા કે ન ઓળખ્યા.બીજો હિસ્સો:આ હિસ્સામાં મુશાહેદાત મુકાશેફાતનું વર્ણન થયુ છે-મુકાશેફા એટલે સ્વપ્ન અને બેદારીની વચ્ચેની હાલત. મુકાશેફામાં ઇન્સાન તે ચીજોને જુએ છે જે જાહેરી જ્ઞાનેન્દ્રીયોથી સંબંધ ન રાખતી હોય. પરંતુ તેના ‚હાની અને મઅનવી સમજણ તરફ પલટે.સ્વપ્નમાં ઇન્સાનનું સાંભળવુ અને જોવુ એ જાહેરી આંખોથી નથી હોતુ, જ્યારે કે મુકાશેફામાં ‚હ હકીકતોને સમજવામાં મશ્ગૂલ હોય છે, અને તે સમયે જાહેરી કાન આજુ-બાજુના અવાજોને સાંભળે છે. ત્રીજો હિસ્સો:આ હિસ્સામાં ખ્વાબમાં ઇમામ(અ.સ.)ની ઝિયારતથી મુશર્રફ થવાવાળા લોકોનો ઉલ્લેખ છે. આ સાચા સ્વપ્ન છે.ચોથો હિસ્સો:આ હિસ્સામાં ઇમામે અસ્ર(અ.સ.)ની તજલ્લીઓનું વર્ણન થયુ છે, એટલેકે મુલાકાત કરવાવાળાઓ પર નૂર અથવા અવાજ અથવા હઝરત વલીએ અસ્ર(અ.સ.)ની ખુશ્બુ સાથે હાંસિલ કરી છે.પાંચમો હિસ્સો:આ હિસ્સામાં એવા લોકોનો ઉલ્લેખ છે જેઓએ હઝરત ઇમામે અસ્ર(અ.સ.)થી તવસ્સુલ કર્યુ અને યોગ્ય પરિણામ હાસિલ કર્યુ હોય.તવસ્સુલ:આ વર્ગીકરણથી એ બાબત સામે આવે છે કે ગયબતે કુબરામાં આપણે ઇમામે ઝમાના(અ.સ.)થી મુલાકાત કરીએ કે ન કરીએ, તેમની જાહેરી ઝિયારતનો શરફ મળે કે ન મળે, ખ્વાબ અને મુકાશેફામાં ઇમામ(અ.સ.)ને મળીએ કે ન મળીએ, પરંતુ તે હઝરત(અ.સ.)થી તવસ્સુલના થકી યોગ્ય પરિણામો અને આપણી મુશ્કેલીઓનો ઉકેલ મેળવી શકીએ છીએ. એટલા માટે દરેક શીઆની જવાબદારી છે કે સતત તવસ્સુલ કરતો રહે અને તેમના ઝુહૂર માટે દોઆ કરતો રહે.હઝરત વલીએ અસ્ર(અ.સ.)ની બરકતો:અહીં અમૂક વાકેઆત વર્ણવી રહ્યા છીએ. જેમાં ખુશનસીબ અને દીદારના ઇચ્છુક લોકોને ઇમામે ઝમાના(અ.સ.)એ પોતાના ચમકતા કપાળ અને સોંદર્ય મુબારકની ઝિયારતનો શરફ અતા કર્યો.મોહમ્મદ બિન અલી રવ્વાદ અને ઇબ્ને જઅફર દહ્હાનની મૂલાકાત:મોહમ્મદ બિન અલી રવ્વાદ રવાસી કહે છે કે, એક દિવસ માહે રજબમાં મોહમ્મદ બિન જઅફર દહ્હાનની સાથે મસ્જીદે સહલાની તરફ ચાલ્યા. મોહમ્મદે મને કહ્યું કે મને મસ્જીદે સાઅસાઅ લઇ જાવ. (અમી‚લ મોઅમેનીન(અ.સ.) અને અઇમ્મએ અત્હાર(અ.મુ.સ.)એ આ મસ્જીદમાં નમાઝ અદા કરી છે, અને પોતાના કદમ મુબારકથી આ જગ્યાને શરફ અતા કર્યો છે. એટલા માટે આ મસ્જીદ ખૂબજ બરકતવાળી છે.) અમે તે મસ્જીદની તરફ ગયા. ત્યાં અમે નમાઝની હાલતમાં જોયુ કે એક આદમી ઉંટ ઉપર સવાર થઇને આવી રહ્યો છે. તે પોતાના ઉંટ ઉપરથી ઉતર્યા અને એક છાંયામાં પોતાના ઉંટને બાંધી દીધો, અને મસ્જીદમાં દાખલ થયા અને બે રકાત નમાઝ પઢી, અને નમાઝ લાંબી હતી. તેના પછી પોતાના હાથોને ઉંચા કર્યા અને કહ્યું. “અલ્લાહુમ્મ યા ઝલ મેનનીસ્સાબેગાહ…….. દુઆના અંત સુધી (આ દુઆ દુઆઓની કિતાબમાં માહે રજબના અઅમાલ અને મસ્જીદે સાઅસાઅના આમાલમાં વર્ણવાએલી છે. મફાતીહુલ જીનાનમાં પણ મૌજૂદ છે.) પછી તે ઉભા થયા અને પોતાના ઉંટની પાસે ગયા અને તેના પર સવાર થઇ ગયા. મોહમ્મદ બિન જઅફર દહ્હાને મને કહ્યું: શું આપણે તેમને સવાલ ન કરીએ કે તેઓ કોણ છે? મેં તેમની વાતને માની અને ઉભો થયો અને તેમની પાસે જઇને કહ્યું કે ‘આપને અલ્લાહની કસમ આપીએ છીએ કે અમને જણાવો કે આપ કોણ છો?’ તેમણે ફરમાવ્યું: તમને ખુદાની કસમ આપુ છુ કે તમે વિચારો કે હું કોણ છુ? ઇબ્ને જઅફરે દહ્હાને કહ્યું કે ‘હું સમજુ છું કે આપ ખિઝ્ર(અ.સ.) છો.’ તે શખ્સે મને કહ્યું કે ‘શું તુ પણ એમજ સમજો છો કે હું ખિઝ્ર(અ.સ.) છું?’ મેં કહ્યું: હું પણ વિચારી રહ્યો છું કે તમે ખિઝ્ર(અ.સ.) છો. આપ(અ.સ.)એ  ફરમાવ્યુ: ‘ખુદાની કસમ! હું એ છું કે ખિઝ્ર(અ.સ.) જેના દીદારના મોહતાજ છે. તમે પાછા ફરો, હું તમારા ઇમામે ઝમાના(અ.સ.) છું’(અલ અબકરીયુલ હેસાન, ભાગ:૨, પાના:૬૦, ૨૮મીં લાઇન)પરગના હિન્દુસ્તાનમાં:મરહૂમ આકા સૈયદ અલી તબરેઝી દામાદ વર્ણવે છે કે અમુક દિવસો હું હિન્દુસ્તાનના પરગનામાં રોકાણો હતો. એક દિવસ પોતાના ઘરમાં બેઠો હતો કે અચાનક એક પ્રભાવશાળી ઔરત મારા કમરામાં દાખલ થઇ, અને કોઇપણ જાતની પ્રસ્તાવના વગર પોતાની ચાદરને હટાવી દીધી અને પોતાનો ચેહરો મને બતાવ્યો. મેં જોયુ કે એક યુવાન ઔરત, ખુબસૂરત પરંતુ ખૂબજ કમઝોર અને અશક્ત છે. તે ઔરતે કહ્યું કે મારી કમઝોરીનું કારણ એ છે કે હું એક જીનના પંજામાં ફસાઇ ગઇ છું. તેણે મારી આવી હાલત બનાવી દીધી છે. તેનાથી છુટકારા માટે મારી પાસે કોઇ પણ રસ્તો નથી સિવાય કે હું આપની સમક્ષ રજુ થાવ. કારણકે આપ એક સૈયદ અને પયગમ્બર(સ.અ.વ.)ના ખાનદાનમાંથી છો. એની વાત પૂરી થયા બાદ મેં તેને કહ્યું: જ્યારે પણ તે જીન જાહેર થાય તું આયતુલ કુરસીની તિલાવત કરજે. તે તારી પાસેથી ભાગી જશે. તેણે કહ્યું કે ‘હું આયતુલ કુરસી નથી જાણતી’ અમૂક દિવસો તકલીફ ઉપાડીને તેને આયતુલ કુરસી યાદ કરાવી. અમૂક દિવસો પછી તે આવી અને શુક્રિયા અદા કર્યો કે આ આયતે મુબારેકાની બરકતથી જ્યારે પણ તે જાહેર થતો તો હું પઢતી અને તેના નુકસાનથી મેહફૂઝ થઇ જતી.સૈયદ અલી ફરમાવે છે કે અમૂક દિવસો આ રીતે પસાર થઇ ગયા,એક દિવસ મેં જોયુ કે દેડકાની જેવી એક કાળા રંગની વસ્તુ મારા ‚મની છત ઉપર ચોંટેલી છે, અને ધીમે ધીમે નીચે આવી રહી છે અને જેમ જેમ નીચે આવતી હતી તેમ તેનુ કદ વધતુ જતુ હતુ. ત્યાં સુધી કે તે ઓરડાની જમીન પર આવી ગઇ એવામાં મેં જોયુ કે તેણે એક અજીબ સ્વ‚પ ધારણ કરેલુ છે કે જેને જોઇને હું ભયભીત થઇ ગયો. તેણે ખૂબજ ઉંચા અવાજે અને ગુસ્સાપૂર્વક મને કહ્યુ: તે આયતુલ કુરસીની તાલીમ આપીને મારી પાસેથી મારા મહેબૂબને અલગ કરી દીધી, હવે હું તને ખત્મ કરી દઇશ. મેં આયતુલ કુરસી પઢવાનું શ‚ કરી દીધુ. તે અજીબ સ્વ‚પ ધીમે ધીમે નાનુ થવા લાગ્યુ. ત્યાં સુધી કે પોતાના અસ્લ સ્વ‚પમાં આવી ગયુ, અને પછી ગાએબ થઇ ગયુ. ઘણી વાર તે આવી રીતે આવ્યો અને મને ખત્મ કરવાનો ઇરાદો કર્યો, પરંતુ હું આયતુલ કુરસીની તિલાવત થકી તેના નુકસાનથી નજાત પામી ગયો.એક દિવસ હું ફરવા માટે શહેરની બહાર ગયો, શહેરની નજદીક જંગલ હતુ. જ્યારે હું એ જંગલમાં પહોંચ્યો તો મેં જોયુ કે અચાનક એક ખૂબ જ મોટો અજગર વૃક્ષોની વચ્ચેથી બહાર નીકળ્યો અને ચીસો પાડવા લાગ્યો, ‘હું એ જ જીન છુ, અને હવે હું તને હલાક કરી દઇશ. હું જોવ છુ કે હવે કોણ તને મારા પંજામાંથી બચાવશે?’ જેવી તેની વાત પૂરી થઇ તો તરત જ મને ઇલ્હામ થયુ, અને મજબૂરોના ફરીયાદરસ અને મુસીબતોમાં તેઓને નજાત દેવાવાળા હઝરત સાહેબુઝ્ઝમાન (અ.સ.)ની તરફ મુતવસ્સીલ થયો અને તે જીનને કહ્યુ: હઝરતે હુજ્જત(અ.સ.) મને બચાવશે.મારા મોઢામાંથી જેવુ આ વાક્ય બહાર આવ્યુ કે એક સૈયદ જવાન જેના માથા ઉપર લીલા રંગનો અમામો અને હાથમાં એક કુહાડી હતી, તેને મેં મારી સામે જોયા. આપ જનાબે કુહાડી મને આપી અને કહ્યું: આ અજગરને ખત્મ કરી દો. મેં કહ્યું: મારા મૌલા! ખૌફના લીધે હું મારા શરીરમાં તાકત મહેસૂસ નથી કરતો. હું કેવી રીતે આ કુહાડી લઉ? પછી આપે તે કુહાડી લીધી અને તે અજગરના માથા પર વાર કર્યો, અને તેને હલાક કરી દીધો. પછી મને ફરમાવ્યુ: જાવ, હવે તમે આના શરથી સુરક્ષિત થઇ ગયા. મેં સવાલ કર્યો: આપ કોણ છો? ફરમાવ્યુ: તે કોનાથી તવસ્સુલ કર્યુ હતુુ, અને મદદ માંગી હતી? મેં કહ્યું: ઇમામે અસ્ર(અ.સ.)થી મુતવસ્સીલ થયો હતો. આપ(અ.સ.)એ ફરમાવ્યુ: હું ઝમાનાની હુજ્જત અને ઇમામે ઝમાના છું અને આપ મારી નજરોથી ગાએબ થઇ ગયા. મેં અલ્લાહની બારગાહમાં આ અઝીમ નેઅમતનો શુક્રીયા અદા કર્યો. (ભાગ:ર, પાના:૨૦૪, સત્ર:૨૫)ઇમામે વક્તએ જ હજરે અસ્વદને નસ્બ કર્યો:આ વાકેઆથી જાહેર થાય છે કે હજરે અસ્વદને સ્થાપિત કરવુ હુજ્જતે ખુદાના થકી જ શક્ય છે. અબુલ કાસિમ જઅફર બિન મોહમ્મદ કુલવીયા ફરમાવે છે, હું હિ.સ. ૩૩૭માં (ગયબતે કુબરાની શ‚આતનો જમાનો હતો. આ એ વર્ષ હતુ જેમાં કરામતાએ હજરે અસ્વદને મસજીદુલ હરામમાં પાછો મોકલી દીધો હતો.) બયતુલ્લાહની ઝિયારતના ઇરાદા સાથે બગદાદ પહોંચ્યો અને આ સફરનો હેતુ એ હતો કે હું એ શખ્સને જોઉ કે જે હજરે અસ્વદને સ્થાપિત કરશે, કારણકે મેં કિતાબોમાં વાંચ્યુ હતુ કે હજરે અસ્વદને તેની જગ્યાએથી કાઢવો અને બેસાડવો એ ઝમાનાની હુજ્જત(અ.સ.)ના થકી થાય છે. (જેમ કે હજ્જાજ લઅ્નતુલ્લાહો અલય્હના ઝમાનામાં તેની જગ્યાએથી નિકાળવામાં આવ્યો, અને જેને પણ તેને તેની જગ્યાએ મુકવાની કોશિષ કરી પણ તેને તેની જગ્યાએ મુકી ન શક્યો, ત્યાં સુધી કે ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ પોતાના મુબારક હાથથી તેને તેની જગ્યા પર સ્થાપિત કરી દીધો.)હું બગદાદમાં ખૂબ જ બિમાર થઇ ગયો. ત્યાં સુધી કે મેં પોતાની જાતને મૌતની નઝદીક જોઇ. આથી હું મારા મકસદથી (બયતુલ્લાહની ઝિયારતથી) નાઉમ્મીદ થઇ ગયો. મેં એક શખ્સ ઇબ્ને હિશામને મારો નાયબ બનાવ્યો અને એક પત્ર બંધ કરીને મહોર લગાડીને તેના હવાલે કર્યો, અને તે પત્રમાં મારી ઉમ્ર વિશે સવાલ કર્યો અને પુછ્યુ કે ‘આ બિમારીમાં મારી મૌત થશે કે નહીં?’ અને તે શખ્સને કહ્યું કે ‘આ પત્ર રવાના કરવાનો મારો મહત્વનો હેતુ એ છે કે તુ આ પત્રને તે શખ્સના હવાલે કરજે કે જે હજરે અસ્વદને તેની જગ્યા પર નસ્બ કરે. પછી તુ તેમની પાસેથી આ પત્રનો જવાબ લેજે, કારણકે હું તને ફક્ત આ કામ માટે જ મોકલી રહ્યો છું.’ઇબ્ને હિશામ કહે છે કે જ્યારે હું મક્કએ મોઅઝ્ઝમામાં દાખલ થયો અને લોકો ચાહતા હતા કે હજરે અસ્વદને તેની જગ્યાએ મુકે. અમૂક રકમ ખુદ્દામને આપી જેથી તે મારી મદદ કરે એ શખ્સને જોવામાં, જે હજરે અસ્વદને નસ્બ કરશે. મારી નજદીક અમૂક લોકો નિયુક્ત થઇ ગયા. જે લોકોની ભીડથી મારી હિફાઝત કરી રહ્યા હતા. જે પણ હજરે અસ્વદને નસ્બ કરવા ચાહતા હતા, તો હજરે અસ્વદ ધ્રુજવા લાગતો અને પોતાની જગ્યા પર સ્થિર ન થતો. એવામાં એક ઘઉંવર્ણા રંગના અને ખૂબસૂરત જવાન જાહેર થયા અને તેમણે પત્થરને પોતાની જગ્યાએ મૂકી દીધો. હજરે અસ્વદ એ જગ્યાએ એવી રીતે સ્થિર થઇ ગયો કે જાણે કોઇએ ક્યારેય તેને તેની જગ્યાએથી કાઢ્યો જ ન હોય!જ્યારે લોકોએ આ જોયુ તો તકબીરની અવાજો બુલંદ થવા લાગી અને તે જવાન મસ્જીદુલ હરામમાંથી બહાર નિકળી ગયા. હું તેમની પાછળ પાછળ ગયો. મજમાને ચીરીને તેની પાછળ ભાગી રહ્યો હતો. તો લોકોને એમ લાગ્યુ કે કદાચ હું પાગલ અથવા બિમાર છું. હું તો દોડી રહ્યો હતો, પરંતુ તે જવાન ખૂબજ વકારપૂર્વક આરામથી ચાલી રહ્યા હતા. પરંતુ હું તેની પાસે પહોંચી શક્યો નહીં. ત્યાં સુધી કે હું એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં મારી સિવાય બીજુ કોઇ ન હતુ, જે એમને જોઇ શકે. તેઓ ઉભા રહ્યા અને મને કહ્યુ: જે ચીજને તુ લઇને આવ્યો છે તે મને આપી દે. મેં પત્રને તેમના હવાલે કર્યો. તે પત્રને ખોલ્યા વિના ફરમાવ્યુ કે આ પત્ર મોકલનારને કહી દેજો કે તે આ બિમારીથી નહી મરશે પરંતુ આજથી ૩૦ વરસ સુધી જીવતા રહેશે. ઇબ્ને હિશામ કહે છે કે તે સમયે હું એટલો રડી પડ્યો કે હું ચાલી ન શક્યો. તે જવાન મને એ હાલતમાં છોડીને ચાલ્યા ગયા, ત્યાં સુધી કે તે નજરોથી ગાએબ થઇ ગયા. અબુલ કાસિમ જઅ્ફર બિન મોહમ્મદ કવલવયાહ કહે છે કે ઇબ્ને હિશામે હજથી પાછા ફરીને મને આ બનાવથી આગાહ કર્યો. મૂળ વાકેઓ વર્ણવવાવાળા કહે છે કે આ બનાવને ૩૦ વર્ષ પસાર થવા પછી ઇબ્ને કુલવીયા બિમાર થયા અને પોતાની આખેરતની તૈયારીમાં મશ્ગૂલ થયા. પોતાની વસીય્યત લખી અને કફન તૈયાર કર્યુ અને પોતાની કબ્રની જગ્યાને નક્કી કરી. લોકોએ તેમને કહ્યું કે તમે શા માટે આ બિમારીથી ડરો છો? અમોને આશા છે કે ખુદા તમારી ઉપર ફઝ્લ કરશે અને તમો તંદુરસ્ત થઇ જશો. તેમણે જવાબ આપ્યો કે આ એ જ વર્ષ છે કે જેમાં મને મારી મૌતની ખબર આપવામાં આવી છે. તેજ વર્ષે અને તેજ દિવસે તેમની મૌત વાકેઅ થઇ, અને રહેમતે ઇલાહીથી જોડાઇ ગયા. (ભાગ:૨, પાના:૫૭,  ત્રીજી લાઇન)અંત:ઇમામે ઝમાના(અ.સ.)નો લુત્ફો,કરમ અને બરકતોનો સિલસિલો શ‚ છે. આ લેખમાં જુના બનાવો વર્ણવ્યા છે, પરંતુ હકીકત એ છે કે આજે પણ મદદ તલબ કરવાવાળાઓ ઇમામ(અ.સ.)ની મદદથી ફાયદો મેળવે છે. અહીં એક બનાવ આપણા સમયનો વર્ણવીએ છીએ…તાજેતરમાં આપણા એક મહાન આલિમ શૈખ મોહમ્મદ અલ અમ્રીનો ઇન્તેકાલ થયો છે. આપ મદીનએ મુનવ્વરાના રહેવાસી હતા, અને મૃત્યુ સમયે આપની ઉમ્ર લગભગ ૧૩૫ વર્ષ હતી. જન્નતુલ બકીઅમાં આપને દફ્ન કરવામાં આવ્યા. આપના વિશે એ મશ્હૂર હતુ કે આપે ઇમામે ઝમાના(અ.સ.)ની સાથે મુલાકાત કરી છે. હઝરતે આપને સઉદીની જેલમાંથી છુટકારો અપાવ્યો.અલ-મુન્તઝરના પ્રતિનિધિઓએ ઇ.સ. ૧૯૯૮ પ્રમાણે મોહર્રમ હિ.સ. ૧૪૩૦માં શૈખ મોહમ્મદ અલી અલ અમ્રી અને તેમના વ્હાલા ફરઝંદ હઝરત હુજ્જતુલ ઇસ્લામ હાજી શૈખ કાઝિમ અમ્રીની મુલાકાતનો શરફ હાસિલ કર્યો, અને જનાબ શૈખ કાઝિમ અમ્રીને પુછ્યુ કે બનાવ શું છે? લોકો એમ કહે છે કે આપના વાલીદે ઇમામે ઝમાના(અ.સ.)થી મુલાકાત કરી છે. તેઓએ તરતજ કહ્યું: એવી કોઇ વાત નથી. તે લોકોએ કહ્યુ, પરંતુ આ વાત બહૂજ પ્રચલિત છે. આપ તેની સ્પષ્ટતા કરો. બહૂજ આગ્રહ કરવા પછી તેઓએ કહ્યુ….વાકેઓ આ રીતે છે કે આજથી લગભગ ૭૦વર્ષ પહેલા જ્યારે કે આપ પૈદા પણ નહોતા થયા, મારા વાલિદને તથા ઘણા બધા શીઆઓને સઉદી હુકૂમતે ફક્ત શીઆ હોવાના લીધે ગિરફ્તાર કરી લીધા, અને બાબે જીબ્રઇલની સામે શીઆઓ ઉપર ઝુલ્મો થયા, ત્યાં સુધી કે બે શીઆ તેમાં શહીદ થઇ ગયા, અને ઘણા બધા શીઆઓની સાથે મારા વાલિદને પણ ગિરફ્તાર કરી લીધા. મારા વાલિદ કારણ કે તેઓ આલિમનું સ્થાન ધરાવતા હતા, તેઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી.બાદમાં શીઆઓએ ઘણો બધો વિરોધ કર્યો તો મારી વાલિદની ફાંસીની સજાને ઉમ્રકૈદની સજામાં બદલી નાંખવામાં આવી અને શહેરથી દૂર કોઇ જેલમાં મોકલી દેવામાં આવ્યા. અમારા ખાનદાન અને કબીલાના લોકોને આ બાબતની કોઇ જાણ નહોતી કે તેઓને ઉમ્ર્ર્ર્ર્રકૈદ થઇ છે. પરંતુ ખાનદાનના લોકો એમજ સમજી રહ્યા હતા કે તેમને ફાંસી થઇ ગઇ છે. એક વર્ષ પછી મારા વાલીદ ઘરે પરત આવ્યા. લોકોએ તેમને જોયા તો ખુશીનો પાર ન રહ્યો. બધાએ તેમને પુછ્યુ કે બનાવ શું છે? તેઓએ ખાસ-ખાસ લોકોને બનાવ વર્ણવ્યો, અને ત્યારપછી અમને પણ તેઓએ બનાવ બયાન કર્યો. આપે ફરમાવ્યુ કે…જ્યારે મને શહેરની બહાર લઇ જવામાં આવ્યો, અને હું જેલમાં હતો, હું બારગાહે ખુદાવંદી અને અઇમ્મએ હોદા(અ.મુ.સ.)ની બારગાહથી મુતવસ્સિલ રહેતો અને પોતાની નજાત માટે દુઆ કરતો હતો. એક રાત્રે મેં ખ્વાબમાં જોયુ કે ઇમામે જવાદ(અ.સ.) આવ્યા છે. (શૈખ અમ્રીનું જ્યાં મકાન છે, તે વિસ્તાર અવાલીના નામથી મશ્હૂર છે, તે અવાલીના વિસ્તારમાં મસ્જીદે કુબા પણ છે, અને તે વિસ્તારમાં ઇમામે જવાદ(અ.સ.)નું મકાન હતુ.)મને ખુશ-ખબરી આપી રહ્યા છે કે ટુંક સમયમાંજ હું આઝાદ થઇ જઇશ. આજ રીતે બીજી રાત્રે ખ્વાબમાં ઇમામ અમી‚લ મોઅમેનીન(અ.સ.) તશ્રીફ લાવ્યા અને તેઓએ પણ ખુશ-ખબરી આપી કે હું ખૂબજ જલ્દી જેલમાંથી છુટી જઇશ. અને ત્રીજી રાત્રે સ્વપ્નમાં ઇમામે ઝમાના(અ.સ.)ને જોયા, એવી રીતે કે આપ(અ.સ.) ઘોડા ઉપર સવાર હતા. આપની સાથે ઘણા બધા અસ્હાબો પણ હતા, અને મક્કાથી મદીના તરફ આવી રહ્યા છે. મને આપ(અ.સ.)એ ફરમાવ્યુ કે ‘મારો એક પ્રતિનિધિ તમારી પાસે આવી રહ્યો છે. તે તમને આઝાદ કરાવશે.’ તે ખ્વાબ પછી જ્યારે હું જાગ્યો તો પરેશાન થયો કે શું બાબત છે? ખ્વાબની તાબીર શું છે? બાદમાં સિપાહીઓ મારી પાસે આવ્યા અને મને ખબર આપી કે મને આઝાદી મળી રહી છે અને આ રીતે મને જેલમાંથી આઝાદી મળી ગઇ. હું બારગાહે ખુદાવંદમાં શુક્રગુઝાર થયો અને મારા મૌલાના ઝુહૂર માટે દુઆ કરવા લાગ્યો.શૈખ કાઝિમ અમ્રીએ પોતાના વાલિદની વાત વર્ણવ્યા બાદ અલ-મુન્તઝરના પ્રતિનિધિઓને ફરમાવ્યુ:વાત એમ છે કે હકીકત આ છે કે અમે મદીનામાં ફક્ત એટલા માટે સુરક્ષિત છીએ કે આપણા મૌલા અને આકા ઇમામે ઝમાના(અ.સ.) અમા‚ રક્ષણ કરે છે.તેમનો ટેકો અમારી સાથે શામિલ છે. આપે પોતાની પાછળની દિવાર તરફ ઇશારો કર્યો કે જેના પર હદીસનું આ લખાણ લાગેલુ હતુ કે….”ઇન્ના ગય્રો મુહ્મેલીન લે મુરાઆતેકુમ વલા નાસીન લે ઝિક્રેકુમ……શૈખ કાઝિમએ ફરમાવ્યુ: હઝરત(અ.સ.) આપણા કાર્યોથી ક્યારેય ગાફિલ નથી થતા અને આપણી યાદને ક્યારેય ભૂલાવતા નથી અને અગર આપ(અ.સ.)ની નઝરે ઇનાયત આપણા પરથી હટી જાય તો દુશ્મન આપણને પાછળ ધકેલી દેશે.આ તૌકીઅમાં હઝરતે આ જ બાબત ફરમાવી છે.બાદમાં પ્રતિનિધિઓએ પોતે શૈખ મોહમ્મદ અલી અમ્રીની તસ્દીક કરી. અલબત્ત, શ‚આતમાં તો તેમણે કંઇપણ બતાવવાનો ઇન્કાર કર્યો. પરંતુ ખૂબજ આગ્રહ કર્યો તો કહ્યુ કે આ રીતે આપણા મૌલા અને આકાએ અમારી મદદ કરી.વજ્ અલ્હો અલ્લાહુમ્મ મફ્ઝઅન્ લે મઝલૂમે એબાદેક”અને અય અલ્લાહ! તે હઝરત(અ.સ.)ને પોતાના મઝ્લૂમ બંદાઓના માટે ફરીયાદે પહોંચનાર બનાવી દે

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *