‘નહજુલ બલાગાહ’ માં ઇમામ મહદી (અ.સ.)
ગત વર્ષે શઅબાન મહિનાના ખાસ અંકમાં, ઇમામે ઝમાના (અ.સ.) વિશેની કુરઆનની આયતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શીઆ અને સુન્ની બન્ને ફિરકાના મુહદિસોએ નકલ કરેલ આ આયતો વડે અમે પુરવાર કર્યું હતું કે હઝરત ઇમામ મહદી (અ.સ.) વિશેનો અકીદો (માન્યતા) એક ઇસ્લામી હકીકત છે, તે માત્ર શીઆઓનો જ અકીદો નથી.
આ અંકમાં અમે મવલાએ કાએનાત હઝરત અલી અબી તાલિબ (અ.સ.) ના એ અકવાલ (કથનો) રજુ કરી રહ્યા છીએ કે જે તેમણે ઇમામે ઝમાના (અ.સ.) વિશે પોતાના ખુત્બાઓમાં ક્યાંક ક્યાંક બયાન કર્યા છે. આના ઉપરથી જાણવા મળે છે કે ઇમામ મહદી (અ.સ.) એમના વંશમાં કેટલીક પેઢીઓ પછી જન્મશે. ટૂંકમાં અમે એમના બે ખુત્બાઓમાંથી કેટલાક અવતરણો રજુ કરીએ છીએ.