ઇમામ હુસૈન (અ.સ.)ની ક્રાંતિ અને તે જમાનાના યુવાનોની હાલત

કોઇપણ કૌમ અને કબીલામાં યુવાનોને કૌમના પ્રતિનિધિ ગણવામાં આવે છે. કૌમની આશાઓ પણ તેઓની સાથે બંધાએલી હોય છે તેઓ જ કૌમના ભાવિનું ઘડતર કરે છે, તેઓજ કૌમ અને મઝહબની આંખો, દીવા અને ભવિષ્ય હોય છે. તેની સૌથી ઉત્તમ દલીલ આજના નવયુવાનો છે. આજે સમગ્ર દુનિયામાં આપખુદીનો જમાનો છે. જે મનમાં આવે તે કરી નાખે છે એટલેકે પોતાની ઇચ્છાઓ ઉપર જ અમલ કરે છે. આજના યુવાનોનો શ્રેષ્ઠ ધંધો કિંમતી સમયને નકામી ચીઝોમાં વેડફી નાખવાનો છે. આજના યુગમાં દ્રષ્ટાંતરૂપ યુવાન તેને કહેવામાં આવે છે જે નાણાં કમાવાનું મશીન હોય અને આ તુચ્છ દુનિયા સંબંધિત પ્રાથમિક જાણકારી ધરાવતો હોય. આજે સમગ્ર દુનિયાના યુવાનોની પ્રાથમિકતા મોજશોખ અને એશોઆરામનું જીવન તથા વધુમા વધુ ખ્વાહીશો પૂરી કરવી છે. આજના યુવાનો માટે અખ્લાકી મુલ્યો, ઇન્સાનિય્યતની સીફાતો, રૂહાની શાંતિ, અલ્લાહની નજદિકી તથા તેની ઇતાઅત, ઇલાહી નિશાનીઓનું સન્માન જાળવવું, સગાઓ સાથે સારો વ્યવહાર કરવો, વડીલોનું સન્માન જાળવવું અને ર્માં-બાપની તાબેદારી કરવી વિગેરે બાબતોને જુનવાણી ગણવામાં આવે છે. ન્યાય સમજ અને જ્ઞાન ધરાવતા ઇન્સાનો આવા યુવાનો પાસેથી શું આશા રાખી શકે? શું તે કહી શકે છે કે ભવિષ્યમાં ઇન્સાનને સંપૂર્ણ ઇન્સાન બનાવવાની જવાબદારી આવા લોકો અદા કરી શકશે? અગર સમાજની પ્રગતિની જવાબદારી તેઓને સોંપવામાં આવે તો શું તેઓ એક ટકો પણ પોતાની જવાબદારી સંંભાળવાની લાયકાત ધરાવે છે? અગર એમ નથી તો આવા સંજોગોમાં દર્દમંદ દીલ ધરાવતા ઇન્સાનોએ તેઓને સુધારવા માટે એવો ક્યો રસ્તો અપનાવ્યો છે જેનું સો ટકા સાચું પરિણામ આવે શકે?

ઇમામ અને ઇમામત

હુસૈનિય્યત દિલના દર્દનો ઇલાજ છે. હુસૈનિય્યત એવા લોકો માટે હિમ્મત અને ધીરજ છે જેઓના હક્કોને છીનવી લેવામાં આવ્યા છે. હુસૈનિય્યત હિંમત અને બહાદુરી છે એવા લોકોનો સામનો કરવા માટે જે માલ, દૌલત, ઝુલ્મ અને અત્યાચાર થકી નબળા અને કમઝોરને પાછળ ધકેલી રહ્યા છે. હુસૈનિય્યત એક મીશન છે જે જગતમાં ફેલાએલી બેશુમાર માનસિક, બૌદ્ધિક, આર્થિક તથા સમાજીક ગુંચવણભરી બિમારીઓ માટે માટે સુરક્ષિતતાની દિવાલ છે, જેને કોઇ તોડી શકતું નથી. અર્થાંત ઇસ્લામની ૨૩ વર્ષની રિસાલતનો સારાંશ કરબલાનો બનાવ છે.

અઝાદારી….. જમીનના પટથી આકાશની પરિસીમાઓ સુધી સય્યદુશ્શોહદાની મુસીબતની અસરો

મઅસુમ ઇમામો (અ.સ.)થી જે રિવાયતોની નોંધ થઇ છે તેમાં એક મહત્ત્વનું પ્રકરણ ઝિયારતો છે. આ વિષય ઉપર આપણા ભરોસાપાત્ર અને સનદ મેળવેલા આલિમોએ સંપૂર્ણ કિતાબોનું સંપાદન કર્યું છે. તેમાં તેઓએ અત્યંત વિશ્ર્વસનીય અને સાચી સનદ ધરાવતી ઝિયારતો ટાંકી છે.

લોકો સામાન્ય રીતે ઝિયારતના સવાબ ઉપર ધ્યાન આપે છે. પરંતુ ઝિયારતોમાં જે બાબતો બયાન કરવામાં આવી છે અને ઝિયારતના સમયે ક્યા શબ્દો અને લકબોથી પોતાના ઇમામ (અ.સ.)ને સંબોધન કરી રહ્યા છે તે તરફ ઘણું ઓછું ધ્યાન આપવામાં આવે છે. અર્થાંત ઝિયારતમાં જે ભાવાર્થ સમાએલો છે તેની તરફ ક્યારેકજ ધ્યાન અપાય છે. આથી એ બાબતનો પણ ખ્યાલ નથી રહેતો કે આપણે આ ઝિયારતમાં આપણા ઇમામને શું વાયદો અને વચન આપી રહ્યા છીએ. અગર આપણને એ અનુભુતિ થઇ જાય કે આપણે શું વાયદો કર્યો છે તથા કોને કોને સાક્ષી રાખીને વાયદો કર્યો છે તો શક્ય છે કે આપણે તેની ઉપર અમલ પણ કરવા લાગીએ. કારણકે દરેક શરીફ ઇન્સાન તેના વાયદા અને વચનનો ખ્યાલ રાખે છે. ઇન્સાન જ્યારે તેની શરાફત તથા ખાનદાનીના કેન્દ્ર તરફ પ્રયાણ કરે છે ત્યારે તેની નજર સામેથી રહસ્ય અને કરામતના પરદાઓ દૂર થવા લાગે છે.

હુસૈન (અ.સ.)ના કાતીલો ઇતિહાસના સાક્ષીઓના અરીસામાં

આધુનિક યુગને જ્ઞાન, વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાનો યુગ કહેવામાં આવે છે. જેમાં સદીઓથી ચાલ્યા  આવતા ગુંચવણભર્યા અને વિરોધાભાસી અભિપ્રાયો અને મંતવ્યોનો સુંદર રીતે અને ખૂબી પૂર્વક ઉકેલ શોધવાની કોશીશ કરવામાં આવે છે અને આ બાબતમાં તટસ્થ સંશોધકો મોટા ભાગે સફળ થયા છે અને થતા રહેશે. પરંતુ આ ત્યારે શક્ય બને […]

વલ અસ્ર…..

સમયના સૌથી નાના ભાગને ક્ષણ કહેવામાં આવે છે. આ ક્ષણ સેકન્ડથી પણ નાની હોય છે. તેનાથી પણ સમયનું એક નાનું માપ હોય છે જેને “કલમહીલ બસર’ કહે છે. એટલે કે પલક ઝપકતા પસાર થઇ જાય. સમગ્ર જગતનું જીવન એજ ક્ષણોની બનેલી સાંકળમાં જકડાએલું છે. માણસ જન્મ પછી ક્ષણે ક્ષણે મોટો […]

લોહુફ

સય્યદ ઇબ્ને તાઉસ (અ.ર.)એ લોહુફની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ કિતાબ લખવાનું કારણ એ છે કે જ્યારે મેં “મિસ્બાહુઝઝાએર વ જનાહુલ મોસાફીર સંપાદન કરી તો જોયું કે આ કિતાબ ઝ્યિારતો અને દિવસ તથા રાતના ખાસ અઅમાલનો સમાવેશ કરી લે છે અને આ કિતાબ રાખનારને મીસ્બાહ (મીસ્બાહુલ મોહતજદ અને મીસ્બાહે કફઅમી) જેવી કિતાબો રાખવાની જરૂરત નથી પડતી અને મહાન અને પવિત્ર મઝારોનું કામ તેનાથી લે છે. તેથી મેં એ પસંદ કર્યું કે આ કિતાબ ધરાવનારને મકતલ અને ઝિયારતે આશુરા માટે બીજી કોઇ કિતાબ રાખવી ન પડે તેથી કિતાબે લોહુફને સંક્ષિપ્તમાં લખી જેથી તે મિસ્બાહુઝ ઝાએરની પૂરક બની જાય. મેં ઝવ્વારોની સમયની તંગીને ધ્યાનમાં રાખીને બાબત લખી અને લંબાણ પૂર્વકના વિવરણને છોડી દીધું છે.

(લોહુફ મુકદ્દમા, પાના નં. ૨૪)

કરબલાના શહીદો પર અફસોસ અને વિલાપ

કરબલાની હૃદયદ્રાવક ઘટના આજ સુધી શીયાઓની મહેફીલો અને મજલીસો માટે ઝળહળતો પ્રકાશ બની રહી છે અને શીયા સમાજ માટે સદીઓથી એક ભવ્ય પરિબળ અને પ્રેરક બનીને પેઢી દર પેઢી કેળવણી પુરી પાડી રહી છે અને ભવિષ્યમાં પણ આજ રીતે મહેફીલો, મજલીસો અને ઇસ્લામી સમાજને હિદાયતનું નૂર પહોંચાડતી રહેશે.

મરહુમ મીર અલી અનીસે ખૂબ સુંદર રીતે કહ્યું છે :

“હર વક્ત ગમે શાહે ઝમન તાઝા હય

ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત ઉપર એક વિચાર એક નઝર

ઇમામ હુસૈન(અ.સ.)ની અઝમત ઉપર એક વિચાર એક નઝર

ઇન્સાનની અક્લ અને ડહાપણ, ઇલ્મ અને સમજ તેમજ વિચાર અને નઝર એક પાંખ કપાયેલ પક્ષીની જુંબીશ સમાન છે, જેને તે પોતાની બધી તાકત, આવડત અને સંશોધનને સમેટીને પોતાની બલંદ હિંમત અને બલંદ હોસલાની સાથે પોતાના બાવડાઓને આપે છે.

આલે મોહમ્મદ અલયહેમુસ્સલામના અખ્લાક મરસીયાખ્વાન મીર અનીસની રોશનીમાં

મીર બબર અલી અનીસ અઅલલ્લાહો મકામહૂના અશઆર અને તેમના મરસીયાના સબંધમાં તેમના સમયથી લઇને આજ સુધી ઘણું બધુ લખાઇ ચુક્યુ છે. મીર અનીસે પોતાના મરસીયામાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક ઉપર કેટલો પ્રકાશ પાડ્યો છે અને તેમને તેમાં કેટલી સફળતા મળી છે, તેનો ખરેખર ખ્યાલ તેજ સમયે મળી શકે છે જ્યારે આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાક માનવતાની સીમામાં રહીને અમુક હદે નક્કી કરીએ. પરંતુ આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના અખ્લાકની હદ નક્કી કરતા પહેલા આ બાબત ઘણી જરૂરી છે કે અખ્લાકની વ્યાખ્યા તેની વિસ્તૃતતા, ઉસુલ અને પાયાનું ઓછામાં ઓછું થોડું જ્ઞાન આ માટીથી બનેલા ઇન્સાનના દીમાગમાં અસ્તિત્વમાં હોય, જેથી હવે પછી આવનારા પરિણામો સમજવામાં (પ્રાપ્ત કરવામાં) વધારે તકલીફ ના થાય.

ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલો ઐતિહાસિક સાક્ષીઓના અરીસામાં (ભાગ-2)

‘અલ મુન્તઝર’ના મોહર્રમ હિ.સ. 1428ના અંકમાં ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબના બારામાં ઐતિહાસિક સાક્ષીઓ અને દલીલોના અરીસામાં ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હજી અમૂક ઐતિહાસિક હકીકતો બાકી છે જે બીજા ભાગ તરીકે રજુ કરવાની ખુશબખ્તી હાંસિલ કરી રહ્યા છીએ.

પહેલા ભાગમાં નીચે દર્શાવેલા બે પ્રશ્ર્નોની છણાવટ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોના મઝહબની ઓળખાણ આપવામાં આવી હતી અને તેઓને બે સવાલો થકી ઇમામ હુસૈન (અ.સ.)ના કાતિલોને શીઆ કહેનારાઓની હજારો દલીલોનો જડબાતોડ જવાબો આપવામાં આવ્યા હતા. તેમ છતાં હજી પણ ઘણા બધા પાસાઓ બાકી છે. જે અમે ક્રમશ: રજુ કરવાની કોશિશ કરશું.