“હુસૈનુમ્મીન્ની વ અના મિન હુસૈન એક ફિક્રી માપતોલ”

પ્રથમ શહીદ: આશુરાના દિવસે મોહર્રમ ૬૧ હિ.સ.ની સુબ્હે સાદિક પસાર થઇ ચુકી હતી. અન્સાર અને અસ્હાબ જે વફાની બેમિસાલ હસ્તીઓ હતી. પોતાના ચારિત્ર્યનો ઈતિહાસ જે રિસાલત મઆબની તબ્લીગાતની બુનિયાદ પર હતો, સંપૂર્ણ કરી ચુક્યા હતા. પોતાના ઇમામની ઇમામત અને નેતૃત્વમાં નમાઝે ફજ્ર અદા કરી ચુકયા હતા. ઝોહૈર ઇબ્ને કૈન અને […]

ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો

ઈમામ હુસૈન અલયહિસ્સલામના ખુત્બાની અસરો ઈમામ હુસૈન (અ.સ.)ના ખુત્બાઓ અને તેમાં છુપાએલી અસરો, રહસ્યો અને ઈશારાઓને સમજવા, એહસાસ કરવો, તેનાથી અસર પામવી અને પછી તે પોતાની ભાષા અને શબ્દો થકી રજુ કરવા, તેના ખુલાસા અને અર્થઘટન કરવા તે ભણેલા ગણેલા તો એક બાજુએ મોટા મોટા વિદ્વાનો, સ્કોલરો, જેનું જીવન લેખન, […]

ખાકે શીફા

ખુદાવંદે આલમે હઝરત ઈમામ હુસયન અલયહિસ્સલામને તે વિશેષતાઓ આપી છે જેને સમજવી ઈન્સાનની શકિત બહાર છે. ઈન્સાન પોતાની તમામ ઈલ્મી અને અર્થપૂર્ણ મહેનત પછી પણ તે સ્થાનો ઉપર નથી પહોંચી શકતો જે ખુદાવંદે આલમે ઈમામ હુસયન (અ.સ.)ના અસ્હાબોને અર્પણ કર્યા છે. જો આપણે ઈમામ હુસૈન (અ.સ.)ના સાથીદારોની વિશેષતાઓની કલ્પના નથી […]

ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૯

(અલ મુન્તઝર મોહર્રમ ખાસ અંક હિ.સ. ૧૪૩૬ ના ગયા અંકથી શ‚) અસ્સલામો અલલ્ મોહતસેબીસ્ સાબીર સલામ થાય એમના પર જેમણે અલ્લાહની ખુશી ખાતર તમામ કુરબાનીઓ આપી અને મુસીબતો ઉપર સબ્ર કરી ‘મોહ્તસીબ’ નો મૂળ શબ્દ છે ‘હે સીન બે’ અને તે બાબે ઇફતેઆલનુ ઇસ્મે ફાએલ છે જેનુ મસ્દર ‘એહતેસાબ’ છે. […]

જનાબે ઝયનબે કુબરા(સ.અ.)ની વફાતની તારીખ અને તેમની મઝાર

સાનીએ ઝહરા(સ.અ.), શરીકતે કારે ઇમામતે સૈયદુશ્ શોહદા(અ.સ.), મુશીરે હઝરત ઝૈનુલ એબા(અ.સ.), બાનીએ અઝા, મુહાફિઝે શરીઅતે ગર્રા(ડુબી યયેલ), વારિસે હૈદર વ જઅ્ફર, ખ્વાહરે અબ્બાસ વ અકીલ, અમ્મુએ (ફુફીએ) અકબરો અસગર, માદરે ગિરામીએ ઔન વ મોહમ્મદ, ઉમ્મુલ મસાએબ હઝરત ઝૈનબે કુબરા સલામુલ્લાહે અલય્હાની જીંદગીનો એ સમય આવી પહોંચ્યો, જ્યારે તેઓ દુનિયાના તમામ […]

યઝીદના દરબારમાં જનાબે ઝયનબ(સ.અ.)નો ખુત્બો

જલીલુલ કદ્ર આલિમ શૈખ તબરસી(ર.અ.) પોતાની અમૂલ્ય કિતાબ ‘અલ એહતેજાજ’ ભાગ-૨, પાના નં. ૩૦૭ ઉપર વર્ણન કરે છે: જ્યારે અલી ઇબ્નુલ હુસૈન(અ.સ.) એહલે હરમની સાથે દરબારે યઝીદમાં દાખલ થયા તો તેમને ઇમામ હુસૈન (અ.સ.)ના પવિત્ર સર પાસે લાવવામાં આવ્યા જે એક થાળમાં રાખવામાં આવ્યુ હતુ અને યઝીદ(લ.અ.) તેમના હોઠો પર […]

સય્યદા જનાબે ઝયનબ(સ.અ.) કરબલાથી શામના માર્ગો પર

ઇસ્લામી ઇતિહાસ પર ધ્યાનપૂર્વક નજર કરવામાં આવે તો માલુમ થશે કે કરબલાના બનાવ પેહલાનો ઇતિહાસ એ ઇસ્લામ નાઝિલ થવાનો અને ઇસ્લામના સંદેશાઓને પહોંચાડવાનો ઇતિહાસ છે, અને કરબલા તથા કરબલા પછીનો ઇતિહાસ ઇસ્લામની બકાનો ઇતિહાસ છે. ઇસ્લામ આવ્યો જ‚ર પણ ઇસ્લામના દુશ્મનો હંમેશા ઇસ્લામની શ‚આતથી જ તેને મિટાવી દેવા તૈયાર હતા. […]

જનાબે ઝયનબ(સ.અ.) કરબલાથી પહેલા

જનાબે ઝયનબ(સ.અ.) એટલે કરબલાથી મદીના સુધી દીને મોહમ્મદીને હંમેશની જીંદગી આપવાવાળા એક બા અઝમત ખાતૂન જે બોલવામાં સાહેબે નહજુલ બલાગાહ હઝરત અલી(અ.સ.)ની તસ્વીર હતા, તો અખ્લાકમાં હઝરત ફાતેમા(સ.અ.)ના અરીસા સમાન હતા. પરવરદિગારે આલમે પહેલી શઅબાન હિ.સ. ૪ ના દિવસે જનાબે ફાતેમા(સ.અ.)ને એક અમૂલ્ય (અજોડ) ભેટ અતા કરી અને તે સમયે […]

આશુરાના દિવસે જનાબે ઝયનબ(સ.અ.)

પ્રસ્તાવના: અલ્લાહની મશીય્યત: ઇરશાદે બારી તઆલા છે કે અમને અમારા અસ્માએ હુસ્નાથી પુકારો, અમે તમારી અવાજ ઉપર લબ્બૈક કહેવા તય્યાર છીએ. અંબિયા અને મુરસલીન અને તેમના અવસીયા પૈગામ લઇને ફરિયાદીની ફરિયાદે પહોંચવા માટે આવતા રહ્યા. આ સિલસિલો દુનિયાને બનાવવાથી લઇને આજ સુધી અને કયામત સુધી કોઇ ન કોઇ સ્વ‚પમાં શ‚ […]

જે હુરની મહત્તાને સમજશે એ જ હુર (આઝાદ) થશે.

અંતરિક્ષની વિશાળતામાં, નૂરોની વસ્તીઓમાં એવી થોડી ઉચ્ચ સ્થાન ધરાવતી રૂહો જે સર્જનોમાં સર્વશ્રેષ્ઠ હતી અને જેમને અલ્લાહ તબારક વ તઆલાએ કાએનાતના મકસદની રુહ બનાવી હતી અને જેઓ અલ્લાહ તઆલાની મઅરેફતના માધ્યમો હતી, પોતાના ખાલીકની તસ્બીહ અને તહલીલમાં મશગુલ રહેતી હતી તેથી જ્યારે મઅસુમ ઇમામ (અ.સ.)ને આપની ખિલ્કતના રહસ્ય વિષે પુછવામાં […]